________________
ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી. ४७ આ પ્રમાણે નીકળી–આચાર પ્રથમ શ્રી ધર્મવલ્લભવાચકને આચાર્યપદ આપવાનો વિચાર કર્યો હતો, ત્યારપછી તેઓને સદોષ જાણીને બીજા શિષ્યને આચાર્યપદ આપ્યું. ત્યારે રૂટ થયેલ ધર્મવલ્લભગણિએ જેસલમેરના રહેનાર છાજડગોત્રીય પિતાના સંસારી પક્ષની સમીપે આ વૃત્તાન કહ્યા. ત્યારે તેમાંના તેમના ભાઈ વિગેરેએ કહ્યું કે-“અમારા તમેજ આચાર્ય. અમે બીજાને માનીશું નહિં.” બસ, આથી આ ચોથો ગચ્છભેદ નિકળે. હેમના સંસારી માત્ર બાર શ્રાવકોજ તેમના પક્ષીય થયા. અને ઓગણીસ યતિથી અધિક યતિઓ નથી થતા અને જે કોઈ થાય, તો તે ગુરૂના શ્રાપથી મરી જાય.
આ વૃત્તાન્ત ક્યાં સુધી સત્ય છે, તે કંઈ કહી શકાય નહિં. કેમકે ઘણી વખત, એ કબીજાના ષના કારણે પિતાના પક્ષની નિર્દોષતા બતાવવાની ખાતર એક પક્ષવાળા તરફથી લખાતા વૃત્તાન્તમાં સત્યવૃત્તાન્તનું રૂપાન્તર અવશ્ય થતું જોવામાં આવે છે. પરંતુ આથી તે વૃત્તાન્ત લખનારના હૃદયની સંકુચિતતાજ જણાઈ જાય છે. ઉપરનું વૃત્તાન્ત જોતાં આ લેખકને તે એવીજ સંકુચિતતા પ્રતિભાસે છે.
ખેર, ગમે તેમ છે, પરંતુ સં. ૧૪૨૩ ની સાલમાં શ્રી ધર્મવલ્લભગણિ (આચાર્ય થયા પછીના શ્રીજિનેશ્વરસૂરિ) થી વેગડશાખા નિકળી, એ તે ચોક્કસ જ છે.
આ વેગડશાખાના ઉત્પાદક શ્રીજિનેશ્વરસૂરિ પછી શ્રીજિનશેખરસૂરિ, તે પછી શ્રીજિનધર્મસૂરિ થયા છે. આ પ્રમાણે અનુક્રમથી નામ ખરતરગચ્છની એક પદાવલીમાં-ગુર્નાવલીમાં પણ આપવામાં આવ્યાં છે, કે જે ગુર્નાવલી અહિં આપવામાં આવે છે –
વેગડ ખરતરગચ્છ ગુર્વવલી. પણમિય વીર જિણુંદ ચંદ ક્ય સુજ્ય પવેસે, ખરતર સુરતરૂ ગચ્છ સ્વચ્છ ગણુહર પભણે; તસુ પય પંકય ભમરસમ રસજિ ગેયમ ગણહર, તિણિ અનુક્રમિ સિરિ નેમિચંદ મુણિ મુણિ ગુણ મુણિહર. સિરિ ઉદ્યતન વર્ધમાન સિરિ સૂરિ જણેયર, થંભણુપુર સિરિ અભયદેવ પથડિય પરમેસરક જિણવલહ જિસદર સૂરિ જિણચંદ મણીસર, જિણપતિ સૂરિ પચાસ વાસ પહુ સૂરિ જિણેસર. ભવભય ભંજણ જિપ્રબોધ સૂરિહિ સુપસંસિય, જિણવર ભૂત્તિ નિરૂર જુત્ત જિણચંદ નમુંસિય; આગમ છંદ પમાણ જાણ તવ તેક દિવાયર, સિરિજિનકુશલ મુણિંદચંદ ધીરિમ ગુણ સાયર. ભાવભંજણ કચ્છ સખ જિણપદ્ધ ગણીસર,
સબ સિદ્ધિ બુદ્ધિ સમિધિ વૃદ્ધિ જિલદ્ધિ જઈસર;
આ ગુર્નાવલી વાચનાચાર્ય શ્રી. કીર્તિમે કે જેઓ પંદરમી શતાબ્દિમાં થયા છે, તેમની હાથપથીમાના એક પાનામાંથી પ્રાપ્ત થઈ છે. આ હાથથી પરમ ગુરૂશ્રી આચાર્ય મહારાજશ્રી પાસે મજા
લેખક,