________________
જૈન સંસ્કૃત સાહિત્ય.
४१३
હિત્યની વૃદ્ધિ કરવામાં ભારે શ્રમ લીધું હતું. તેમણે નૈષધ કાવ્ય ઉપર જિનરાજી નામની ટીકા રચી ઈતર વિદ્વાનોને પણ પિતાની પ્રતિભાને ચમત્કાર બતાવી આપ્યો હતો. વિક્રમના અગીયારમાં શતકમાં થયેલા જિનેશ્વર સૂરિએ રચેલા જેન નૈષધિય કાવ્યને મહિમા ભારત વર્ષ ઉપર પ્રગટ કર્યો હતે. તેજ સૈકામાં વિદ્ધમાનસૂરિના શિષ્ય બીજા જિનરાજમરિ થયેલા તેમણે સંસ્કૃત સાહિત્યને મહાન પ્રભાવ વિસ્તાર્યો હતો. આ સમયે માળવા દેશમાં ભોજરાજા રાજ્ય કરતા હતા. મહાત્મા જિનરાજરિને બુદ્ધિસાગરસૂરિ નામે બીજા એક ગુરૂ ભાઈ હતા. આ બન્ને મહાત્મા ઓએ ગુજરાતમાં જૈનધર્મનો મહાન પ્રચાર કર્યો હતો. અણહિલપુર પાટણમાં ચૈત્યવાસી વતિઓના બળને તેમણે જ તેડી પાડયું હતું, અને જૈન ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું હતું. તે સમયે પાટણના રાજ્ય સિંહાસન ઉપર દુર્લભસેનરાજા વિરાજિત હતો, તે રાજાના બ્રાહ્મણ પુરોહિતને આ મહાત્માઓએ સાહિત્યના પ્રભાવથી મોહિત કરી દીધો હતો. વિક્રમના બારમા સૈકામાં શ્રી હેમચંદ્રસૂરિ થયા તેમણે તો જન સંસ્કૃત સાહિત્યની જે સેવા કરી છે, તે યાવચ્ચદ્ર દિવાકર સુધી ભૂલી જવાય તેમ નથી. જૈન સંસ્કૃત સાહિત્યની પરાકાષ્ટા તેમના સમયમાં જ થઈ છે. અને તેમણે જૈનસંસ્કૃત સાહિત્યને બીજા સીહિત્યની સાથે સ્પર્ધામાં ઉતાર્યું છે, જે અમો પહેલાં જ લખી ગયા છે, તેથી જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તે મહાત્માનું નામ અમર રહી ગયું છે. આ સિવાય પૂર્વકાળમાં હરિભદ્રસૂરિ થઈ ગયા છે કે જેમણે ચૌદસે સુવાલીસ પુસ્તક બનાવે છે અને હાલમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય થઈ ગયા છે કે જેમણે સં. સ્કૃતમાં ન્યાયના અને વિધિ પ્રતિષેધના તેમજ અધ્યાત્મ રસના પિષક અનેક ગ્રંથો બનાવ્યા છે, તેમજ બીજા ગૃહસ્થ અને યતિ વર્ગમાં જૈન સંસ્કૃત સાહિત્યને ખીલવનારી ઘણી વ્યક્તિઓ થઈ ગઈ છે. જો આ સ્થળે તેમની સવિસ્તર હકીકત આપવામાં આવે તે આ વિષયને વિશેષ વિસ્તાર થઈ જાય, તેથી જૈન સંસ્કૃત સાહિત્યની ઉપયોગિતા વિષે સંક્ષેપથી કહેવાનું દુરસ્ત ધાર્યું છે.
જૈન સંસ્કૃત સાહિત્યની અનેક શાખાઓ ચાલી છે. ધર્મ, તત્વજ્ઞાન, કવિતા, નીતિ આયાર, વિવેક, શાંતિ, વૈદક, તિષ અને જનસ્વભાવ વિષે તેમાં પુરતું વિવેચન કરવામાં આવ્યું છે. આત્મોન્નતિ અને સંઘન્નતિ સિદ્ધ કરવામાં જે વસ્તુ આવશ્યક છે, તે વસ્તુને અંગે ભાવના અને વિચાર તે સાહિત્યમાં ઉત્તમ પ્રકારે આપવામાં આવ્યા છે. ઉન્નતિકારક અને ઉદ્ધારક ભાવનાઓ તેમાં ભરપૂર છે. પ્રતિભાના પ્રસાદમાં વિલાસ કરતાં સૂરિવરએ ધાર્મિક વૃતિ જાગૃત કરવાને સંસ્કૃત સાહિત્યનું ઘણું મથન કરેલું છે. તેમના કેટલાએક લેખોમાં ભક્તિ અને શ્રદ્ધાનું સ્વરૂપ જ્વલંત દેખાઈ આવે છે. મહાકવિ ધનંજયની કૃતિમાં કેટલાક એવાં પળે છે કે જે ઉપરથી મનુષ્યની કર્તવ્ય ભાવના સ્પષ્ટ રીતે પ્રકાશિત થઈ શકે છે; મનુષ્ય જીવનના મુખ્ય ઉદેશ માટે તે મહાકવિની કૃતિમાં ઉંચી જાતનાં પ આવે છે અને તે રસ, અલંકાર અને ધ્વનિથી યુક્ત છે. આ વિશ્વ વ્યવસ્થામાં કર્મ કે નિયતિએ નિયમિત કરેલી યોજનાને અનુસાર અને વ્યવહારે સિદ્ધ કરવા જૈન સંસ્કૃત લેખકે ઘણું આગળ વધ્યા છે, અને તેમણે જનસમાજના જે કોઈ વિચાર ઉપસ્થિત થયા હોય, તે વિચારેને અધિક પુષ્ટ કરવા, ઉદિપિત કરવા કે કર્તવ્ય ભૂમિકા ઉપર ઉતારવા, તે અર્થે ઉચ્ચ લેખો સંસ્કૃત ગધ અને પધમાં ચમત્કારિ રીતે નિરૂપ્યા છે અને જમાનાનુસાર સુવિચારો દર્શાવ્યા છે.