SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવિક કવિતા. ૪૫૫ પ્રસ્તાવિક કવિતા મારા દાદા સંશોધક–રા છગનલાલ વિદ્યારામ રાવળ, જૂનાં પુસ્તકોને શોધ કરતાં પ્રસ્તાવિક કવિતા તથા કવિ વજીયા કૃત સીતાવેલ નામનું એક અપ્રસિદ્ધ નેહાના કાવ્યનું પુસ્તક હાથ આવ્યું. હેની કવિતા વાંચી જતાં હેના ઇતિશ્રી ભાગથી જણાવ્યું, કે આ પુસ્તકને લેખક એક પુરૂષ નહિ, પણ એક સ્ત્રી છે, ને તે પણ એક સંસારી સ્ત્રી નહિ પણ જૈન ધર્મની પવિત્ર આર્યા–આરજા છે, આ જોઈ સાનંદાશ્ચર્ય સાથે કવિતા બે ત્રણ વખત વાંચી જતાં હેના અક્ષર એવા તે મરેડદાર અને સારામાં સારા મલમ પડયા કે, એક પ્રખ્યાત લહીઓ પણ તેવા અક્ષર ઘણું કાળજી રાખ્યા છતાંએ લખી શકે નહિ ! આ મેતીના દાણુ જેવા જણુતા અક્ષરે, એવા તે કાળજીપૂર્વક લખાયેલા છે, કે હેમાંથી કોઈ પણ અક્ષર હાને હેટ ન હતાં આખા પુસ્તકના તમામ અક્ષર એકજ સરખા માપના છે. હેની સાથે આખું પુસ્તક એકજ શાહી, અને એકજ કલમથી લખાયું હોય એવું જેનારની દૃષ્ટિએ આવ્યા વિના રહેતું નથી. આ ઉપરથી તે વખતની ભણેલી સ્ત્રીઓ અને હેમાં વિશેષે કરી સંસારને ક્ષણભંગુર અને તૃણવત ગણી હેને ત્યાગ કરનાર જૈન આર્યા કેળવણી તરફ કેટલું બધું ધ્યાન આપતી હશે એ વિચારવા જેવું છે. હાલની ઉંચી કેળવણી લેઈ હાલ્ડરથી ગુજરાતી અક્ષર લખનારી કેટલીક સ્ત્રીઓને જ્યારે કલમજ ઘડતાં આવડતી નથી, તો પછી મરોડદાર સારા અક્ષર તે કાઢતાં આવડે જ શાનું. આ પ્રસ્તવિક દેહરાના ઇતિ ભાગમાં લખ્યું છે, કે— લિખત આર્ય સખરબાઈ પઠનાર્થ બાઈ અજબકુમારી જીર્ણગઢ મધે લખ્યું છે.” આ ઉપરથી અનુમાન થાય છે, કે આ પુસ્તકની લેખક આર્યા સખરબાઈ, તે અજબકુમારી બાઈજીની વખતે શિક્ષિકા પણ હોય અને અજબકુમારી તે જીર્ણગઢ – જૂનાગઢના કોઈ રાજાની, કે તેમના ભાયાતેમાંથી કેદની બાઈજી હાય, ને હેના વિનાદ માટે આ પુસ્તક લખવામાં આવ્યું હોય કે બંગાલામાં અંગ્રેજી કેળવણી શરૂ થતાં જેમ બંગાલી જમીનદારોની પરદેશી સ્ત્રીઓને કેળવણી આપનારી કેટલીક ચેતન્ય પંથની સાધ્વી-સંસાર ત્યાગ કરનારી–સ્ત્રીઓ હતી, તેમ ગુજરાતના કેટલાક રાજા રજવાડમાં સ્ત્રી કેળવણીનો ફેલાવો કરનાર જૈન સાધ્વી સ્ત્રીઓ એટલે આર્યાએ હતી એમ જણાય છે. આ પુસ્તકને છેડે લખ્યા સાલ આપી નથી તે પણ પુસ્તકની ભાષાનું રૂપ જોતાં હેને લખાયે ઘણું વરસ થઈ ગયાં હોય એમ જણાય છે. પુસ્તકને વચમાંથી બાંધવામાં આવેલું હોવાથી હેને દેરો તૂટી જતાં, કેટલાંક પાનાં જતાં રહેવાથી, કેટલીક કવિતા નાશ પામેલી છે, તેમ ન થયું હેત તે આ કરતાં કંઈક વધારે કવિતા હાથ આવત એમાં કશે સંદેહ નથી.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy