SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ તંત્રીનું નિવેદન. જે સમાજમાં હેમચંદ્રાચાર્ય જેનને અનન્ય જીસસ હો એવું કથન કયા શાસ્ત્રમાં લખેલું છે એ પ્રશ્ન જાહેર પત્રદ્વારા પ્રકટ થાય, જે સમાજમાં ઉ દેવામાળાના કર્તા વીરદીક્ષિત ગણું શકાય કે કેમ? એવો ઉદ્ભવેલો પ્રશ્ન મિથ્યાત્વજનિન ગણાય, જે સમાજમાં તેના જ સંપ્રદાયે પરસ્પર ન લડે અને સંપથી રહે એ વાત હાસ્યજનક ગણાય, જ્યાં ધર્મનાં મુલ શાસ્ત્રો છાપવા-છપાવવા પ્રત્યે મહા વિરોધ ઉભે થતો હોય, જે સમાજમાં સંપ્રદાયભેદ, ગચ્છભેદ, સમાચારી ભેદ, તડાં, તડાંમાં તડાં, ઉસૂત્ર-પ્રાપણની માથે લટકતી તલવાર, સંઘબહારની શિક્ષા, જાતિભેદ, દુષ્ટ રૂઢીઓ, નવીન જેને સાથે વ્યવહાર તે દૂર, પરંતુ ધર્મસ્થાનોમાં આવવાનો પ્રતિબંધ, વિધિવાદમાં રહેલા હેતુનું અજ્ઞાન વગેરે જડ ઘાલીને બેસી રહેલાં હોય ત્યાં પ્રગતિ, સંસ્કૃતિ, ઉન્નત પ્રયાણ, સાધ્ય પ્રાપ્તિ વગેરે સંભવ ખરો? આ શું પંચમ આરાની કઠિનતા, કલિની કુટિલતા, કે ભસ્મગ્રહની પ્રબળતા ! ! અમને લાગે છે કે કાલનો દોષ નથી, કાલ પર દોષ નાંખે એ ઉપચાર માત્ર છે જે પૂર્વે હતો તેવો હમણાં કાલ ગણી આપણે બીજી દિશા શોધવાની છે. સમાજના નેતાઓ ભૂતકાલ પર દષ્ટિ ફેંકી તેની મહત્તા જે કારણોને લઈ હતી તે કારણે શોધી - માનના સંજોગોનું તેલન કરી તેના દેશકાળાદિને અનુકૂલે પગલાં ભરે તે અવશ્ય ઉન્નતિ પ્રાપ્ત થાય. આ માટે જૈન ઇતિહાસની ખાસ આવશ્યકતા છે. 1. અત્યાર સુધી જેનનો ધારાવાહિક ઇતિહાસ લખાયો નથી. જે કાંઈ લખાયું છે તે બિંદુ રૂપે છે. પંડિત હીરાલાલ હંસરાજ મૃત જેન ઇતિહાસ ભાગે બે, અને જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી ટુંક જૈન ઇતિહાસ સિવાય બીજો એક પણ પ્રયત્ન થયો નથી. તેને તૈયાર કરવા માટેનાં સાધનો વિધ વિધ ગ્રંથ રૂપે અનેક પ્રકટ થયાં છે અને પ્રકટ થતાં જશે. આ સર્વ સાધનોને એકત્રિત કરી બીજા ધર્મો, પ્રજા, અને આર્યાવર્તન ઈ. હાસ વગેરે તપાસી એક અખંડિત પ્રવાહમાં ચાલ્યો આવે એ મહાન અને પ્રમાણરૂપ જૈન ઇતિહાસ લખવા લખાવવાની ઘણી જ જરૂર છે. આ માટે જેને શ્રીમંતોએ ઈનામ કાઢી વિધાનને આકર્ષવા ઘટે છે. | તીર્થકરોના વૃત્તાંતો સૂત્રોમાંથી મળી શકે છે, પરંતુ હજુ આગ જે ના જોઈએ તેવા સુંદર અને સ્પષ્ટ આકારમાં પ્રકટ થયાં નથી તેથી છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના જીવન, તે સમયની જનસ્થિતિ, આર્યાવર્તની સ્થિતિ વગેરે પર જોઈએ તેવો પ્રકાશ મેળવી રાકતા નથી, તો તે બહાર પડયે આપણે શ્રીમન મહાવીરથી તે અત્યાર સુધીને સમગ્ર જૈન ઇતિહાસ બીજાં ઐતિહાસિક જૈન ગ્રંથ ઉપલબ્ધ કરી એક શંખલામાં ગોઠવી શકીશું. વીરનિર્વાણુને આજ ૨૪૪૧ વર્ષ થયાં છે ત્યારથી ઇતિહાસના ત્રણ મુખ્ય ભાગો પાડી શકીએ તેમ છીએ; (૧) શ્રીમન મહાવીરના સમયથી તે વીરાત ૧૦૦૦ (સૂત્ર લેખારૂઢ થયા ત્યાં સુધી (૨) વીરાત ૧૦૦૦ થી વીત ૨૦૦૦ સુધીને તપ–ખરતર ગચ્છની ઉત્પત્તિ આસપાસ સુધીનો (૩) વીરાત ૨૦૦૦ થી અત્યાર સુધાને કે જેમાં ગૂજરાતી જૈન કવિઓ, લેખ વગેરેનો સમાવેશ થાય છે. આમાંને પ્રથમ વિભાગ અતિ ઉપયોગી પણ અતિશય શ્રમ માધ્ય છે; બીજે તેથી ઓ છે અને ત્રીજો સૌથી ઓછો શ્રેમ સાધ્ય છે કારણ કે તે માટેનાં ઉપલબ્ધ સાધનની વિરલતા-અવિરલતા પર તેનો આધાર છે. સાધન પર આવતાં આવશ્યક નિયુક્તિ, દાય કાવ્ય સૂ) વસંત વિલાસ, ધર્માભ્યદય કવ્ય, વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ, કુમારપાલ વિ. હાર પ્રશસ્તિ, તીર્થકલ્પ, વીરાવલિ. મચ્છપ્રબંધ, મહામહ પરાજય નાટક, જયસિંહસૂરિ અને સૌમતિલક સૂરિકૃત કુમારપાલ ચરિત્ર, તીર્થમાલા પ્રકરણ, પંચાતિ પ્રબોધ સંબંધ, વસ્તપાલ ચરિત્ર, ભાનચંદ્ર ચરિત્ર, પ્રવચન પરીક્ષા, વિજયદેવ મહાપે, દિગવિજય મહે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy