SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રી જૈન ક. કે. હેડ. - કવિ સંધ-કવિસંધના તે કવિઓના નામની તાલિકા (ટીપ) હજુપણુ વર્તમાન છે. ઈનિમનાર પતકાવ્યના કર્તા પૂયાન ચેથનાર તિરક પુકમ્ નીતિકાર, નલાથનાર, કાલિથ કેના સંગ્રહ કર્તા નલૂંથવા, શૃંગાર-પંગલકાર ઈરેયનાર, મહાકાવ્ય મણિમેખલાના રચયિતા બૌદ્ધ કવિ ચીલેચ્ચા થનાર, એ ત્રણ અને એવા કવિઓ કે જેની કૃતિ હજુ સુધી ભળે છે તથા જોતિષ વૈદક આદિના આચાર્ય કે જેના ગ્રંથ લુપ્ત થયા છે તે સંઘમાં બેઠા હતા. આવી સભાના ભોજ પાંડયરાજ ઉગ્ર-પરૂવલુથ હતા. રાજા અને સંધમની સામે કવિ વલ્લુવરે આવી પિતાની રચના દાખલ કરી. ' કાવ્ય મુપ્પાલ અર્થાત્ ત્રયી કાવ્યના ત્રણ વિભાગ છે—ધર્મ, અર્થ અને કામ ચુંટેલ દેહરામાં સારી ઉક્તિઓ છે. કવિ ધર્મમાં જૈન હતા, પણ તેની ઉક્તિઓ જણાવી આપે છે કે તે ધર્મમાં ઉદારબુદ્ધિ હતા. તેની ઉક્તિને પરિચય લઈએ. • દાન લેવું બુરું છે, પછી ભલે તેનાથી ગમે તેટલી દીનતા દૂર થાય. ” દાન દેવું સારું છે, પછી ભલે તેનાથી સ્વર્ગ ન મળે.” બંસરી મીઠી છે, વિણું બધુર છે એ કહેવું એ કોનું છે કે જેઓએ પિતાના બચ્ચાંઓની તળી બોલી સાંભળી નથી. ” છે જે નારીને પતિ સિવાય બીજો દેવતા નથી તે નારીનાં વચનપર મેધ વરસે છે.” “ જે બેઠાં બેઠાં મહેનત કરે છે તે અદષ્ટને પણ જીતી લે છે.” મૂખ જીવે છે પણ તે એવી ઉજડ ભૂમિ છે કે જ્યાં કંઈ નીપજતું નથી.” એક જીવની હત્યા બચાવવી તે હજારવાર ઘી બાળવાથી (યજ્ઞથી) ઉત્તમ છે.” “ સવારમાં બુરાઈ કરે, સાંજે તેનું ફલ લખો.” જ ખટપટ નહિ કરે.” જે વિદ્વાન થઇને સર્વત્તની પૂજા ન કરે તે વિદ્યા શું કામની? સંધની સભામાં વિલુવર-સંસ્કૃત, પ્રાકૃત અને તામિલમાં કોઈ ગ્રંથ તે સમય સધી નહતા. સધે તે ગ્રંથ સાંભળે. સાંભળીને તેની તારીફ એક મોઢે કરી. કુરલના ગણમાન સંઘના પ્રત્યેક કવિએ કાવ્યપર પિતાને અભિપ્રાય દાખવવા રૂપે એક એક પધદ્વારા પાંધ્યરાજ સામે પ્રકાશિત કર્યા. ઇરયનારે કહ્યું કે “વલ્વરની કૃતિ અમર થશે અને અનેક પેઢીઓ સુધી માન પ્રાપ્ત કરશે. ' કુલ્લદાએ કહ્યું “ મતાન્તર છે છે, પણ તે છ વલ્લુવરના મુપાલ નામની કૃતિમાં એક રૂપ છે.” બીજાએ કહ્યું “બ્રાહ્મણ વેદ કંઠાગ્ર રાખે છે કારણ કે લખવાની તેની કીંમત ઓછી થઇ જાય. કિંતુ મુખાલ તાલપત્ર પર લખાયા પછી અને બધા તે ભણશે તે પણ તેનું માન ઓછું નહિ થાય.” સંઘમાં ચથન નામને એક કવિ હતા. તે પિતાની લોઢાની લેખણ માથા તરફ રાખી બેઠે રહેતા હતા. જ્યારે કઈ કંઈ નઠારૂં કે અશુદ્ધ પધ બેલાય ત્યારે તે કલમથી પિતાનું માથું ઠેકતે હતે. પણ જ્યારે કુરલકાવ્ય બોલાતું હતું ત્યારે એકવાર પણ તેણે પિતાની લોઢાની લેખણ માથા પર લગાવી નહિ ! આ જોઈ એક વૈદ્ય સભ્ય કહ્યું મુપાલે આપણું મિત્ર ચથનની શિરપીડા સાજી કરી આપી.”
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy