________________
છે
તંત્રીનું નિવેદન.
~
~~~
~~
i
Let us glance into the past. Only the past will teach us the laws which determine the development of nations. The history of the past will make us acquainted with the parti. cular gifts possessed by the various nations. By the study of the past of the nations we may form an opinion as to their future, is to their vital force, and as to their cultural value. The past is the key to the future. Fortified with a kuowledge of the history of nations, we shall be able to appreciate the policy of individual states.
B. ઉપરનું કથન એક યુરોપીય ગ્રંથકાર પિતાના દેશ સંબંધે લખતાં પ્રજાના વિષયને ઉલ્લેખી લખે છે. તેજ કથન જૈન સમાજને લાગુ પાડી મૂકીએ તે –
ચાલો આપણે ભૂતકાલપર દષ્ટિપાત કરીએ. કેવલ ભૂતકાળ જન સમાજના વિકાસનો નિર્ણય કયા નિયમો કરે છે તેને પાઠ આપણને આપશે. ભૂતકાળને ઇતિહાસ જૂદી જૂદી સમાજ કઈ વિશિષ્ટ બક્ષીસો ધરાવે છે તેથી આપણને પરિચિત કરશે. સમાજોના ભૂતકાળના અધ્યયનથી તેમનું ભવિષ્ય કેવું થશે, તેઓનું આત્મબલ કેટલું છે અને તેઓની સંસ્કૃતિનું મૂલ્ય કયાં સુધી આંકવું એ સંબધેને અભિપ્રાય આપણે બધી શકીએ.
આજ કારણથી ઇતિહાસનું માહાસ્ય છે, ઇતિહાસની ઉપયોગિતા છે. અનંતકાલના ગર્ભમાં અનંતકણિકારૂપ મનુષ્ય ઉતરી શકે તેમ નથી, કારણકે મનુષ્યનું માનસિક બલ મર્યાદિત છે; છતાં જ્યાં સુધી આંતરદષ્ટિ મનુષ્ય ફેંકી શકે ત્યારથી તે અત્યારસુધીના કાલમાં મનુષ્ય પોતે જે સમાજનું અંગ છે, જે પ્રજા અને જાતિમાં પિતાનું સ્થાન છે, તે સમાજ અને પ્રજાના શા મા રંગ ફર્યા છે, કઈ કઈ સ્થિતિ પરિસ્થિતિઓને લઈને તે રગો બદલાયા છે, શું શું વિશિષ્ટ જીવન તે સમાજ અને પ્રજાએ સમગ્ર મનુષ્યગણને અપ્યું છે, અને કાલાંતરે તે નવજીવનમાં સડો પેસી વિચિત્રતા, અનુપયોગિતા અને ભયંકરતા તેમને પ્રાપ્ત થઇ છે તે સર્વમાં ઉતરવું ઘટે છે, અને તેમાં ઉતરી વર્તમાન યુગની તુલના કરી શું શું ફેરફારો કરવા ગ્ય છે, પ્રગતિનાં સાધને કયાં કયાં છે એને નિર્ણય કરવો ઘટે છે.
ઘણી વખત એમ બન્યું હોય છે કે જે નવજીવન એક કાલે પ્રજાના લોહીમાં રેડાય છે તે તેમાં આમેજ થઈ પિતાનું કાર્ય કરી પછી નિયમિત આવર્ભાવ ન થવાને લીધે નિસત્વ બની જાય છે; નવજીવનને અર્પનાર મૂલ મહાત્માન પોતાની આયુષ્ય-મર્યાદા સુધી