SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ યશોવિજ્યજી અને કવિવર બનારસીદાસ શ્રીમદ્દ યશોવિજયજી મહાપાધ્યાય શ્વેતાંબર સંપ્રદાયમાં એક સમર્થ સૈદ્ધાંતિક, નૈયા યિક અને મહા વિદ્વાન સાધુ થઈ ગયા છે. તેમનું સ્વર્ગગમન સં. ૧૭૪૫માં ડભોઈ (દર્ભોવતિ)માં થયું હતું, એ નિર્વિવાદ છે, જ્યારે તેમને જન્મ સમય નિશ્ચિત ન હોવાથી બીજી કેટલીક હકીકતના અનુમાનથી સં. ૧૬૮૦ માં હે જેઉએ એવું મેં મારા તે સંબંધેના Shrimad Yashovijayas નામના અંગ્રેજી લેખ (કે જે પુસ્તકાદારે પ્રસિદ્ધ થયેલ છે તે) માં પ્રતિપાદિત કરેલું છે. બનારસીદાસને જન્મ સં. ૧૬૪૩ માં થયેલ તેમજ તે સં. ૧૬૮૮ સુધી હયાત હતા તે નિર્ણત છે. પરંતુ તેમને પરલોકવાસ કયારે થયો તે નિર્ણત નથી. આથી બંને સમકાલીન હતા, એટલું જ નહિ પરંતુ બનારસીદાસનું સમયસાર નાટક શ્રી યશોવિજયજીના વાંચવામાં આવેલું અને તે પર તેમની પ્રીતિ પણ થયેલી એ વાત, નીચેની હકીકત પરથી જણાય છે. બનારસીદાસના સમયસારમાંથી સુંદર અને અર્થગંભીર દુવાઓમાંના કેટલાક લઈ શ્રી યશોવિજયજીએ એકપદ રચ્યું છે (જુઓ જશ વિલાસ પદ ૬૭ મું) કે જેનું પહેલું ચરણ નવું એ મૂકયું છે – ચેતન! મેહકે સંગ નિવાર, જ્ઞાન સુધારસ ધારે–ચે. ૧ હવે તેનાં દરેક ચરણ લઈ તે કયા દેહા છે અને સમયસારના જૈન પ્રકરણ રત્નાકરના પહેલા ભાગમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકના કયા પૃષ્ઠ પર તે દેહા છપાયેલા છે તે બતાવીએ – જ્ઞાતાનું અબંધકપણું. મેહ મહાતમ મેલ દૂરે, ઘરે સુમતિ પરકાસ મુક્તિ પંથ પરગટ કરેરે, દીપક જ્ઞાનવિલાસ. ચેતન : ૨ જ્ઞાની જ્ઞાન મગન રહેશે, રાગાદિક ભલ ખાય, ચિત્ત ઊદાસ કરની કરેરે, કર્મબંધ નહિ હોય. ચેતન! ૩ જુઓ સમયસાર પૃ.૬૫૬ નં. ૨૧૪ અને ૨૧૩ મૂહ વ્યવસ્થા લીન ભય વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કેય, દીન ભયે પ્રભુપદ જપેરે, મુગતિ કહાં સો હોય. એ જ પ્રભુ સમર પૂજે પહે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સ્વરૂપી આતમારે, જ્ઞાન ગમન નિરધાર. પૃ. ૬૫૧-૨ દોહા નં. ૧૯ અને ૨૦૦ [ સમયસારમાં “જ્ઞાનગમનને બદલે “જ્ઞાન ગમ્ય' છે તેજ ગ્ય લાગે છે. લહિયાની કે પ્રેસની ભૂલને લીધે જ્ઞાન ગમન લખાયેલ છે.] મોક્ષની સમગ્ર પ્રાપ્તિ જ્ઞાન કલા ઘટ ઘટ વસેરે, જગ જુગતિકે પાર, નિજ નિજ કલા ઉદ્યોત કરેરે, મુગતિ હેય સંસાર.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy