________________
શ્રી યશોભદ્ર સૂરિ.
૪૧૧ મૂકીને બે સર્ષ બનાવ્યા. સર્પને દેખીને બેઠેલા લોકો ઘણું ડરી ગયા. હારે આચાર્યો પિતાની મુહપત્તિના બે ટુકડા કરી બે નળીઆ બનાવ્યા. નોળીયાને દેખી સર્ષ નાસી ગયા. તે યેગી વિષાદ કરવા લાગ્યો
એક દિવસ એક સાધ્વી ગુરૂને વંદણું કરવા આવતી હતી. હેને તે યોગીએ ગાંડી બનાવી. સાધ્વી ભિક્ષાને માટે ઘેર ઘેર હસતી-નાચતી-ફરતી ચૌટામાં થઈને વનમાં ગઈ. શ્રાવકોએ આ હકીકત જાણ, હારે મેગીને વિનયપૂર્વક કહ્યું – આપ દક્ષ છે, આપને આમ કરવું ઉચિત ન ગણાય.” યોગીએ સકેપ કહ્યું –“શું હે સાધ્વીને કેડે બેસાડી છે?” તદનન્તર શ્રાવકોએ આ હકીકત આચાર્યાને જણાવી. આચાર્યો દર્ભનું એક પૂતળું બનાવી શ્રાવકોને આપ્યું અને કહ્યું – પહેલાં શાન્ત વાક્યથી હેને સમજાવ. છતાં જે ન માને તો આ પુતળાની આંગળીને છેદ કરે.” શ્રાવકે પુતળું લઈ યોગી પાસે ગયા. આચાર્યના કહેવા પ્રમાણે મધુર વચનથી સમજાવ્યો, છતાં હેણે ન માન્યું. હારે શ્રાવકોએ તે પુતળાની આંગળીને છેદ કર્યો. પુતળાંની આંગળીને છેદ થતાંજ તે યોગીની આંગળી છેદાઈ ગઈ. શ્રાવએ કહ્યું- યદિ સાધ્વીને નહિ છોડે તો
આ પ્રમાણે હારા મસ્તકને છેદ કરીશું.” યોગી ડરી ગયો, અને એકસો આઠ જલકુંભથી - સાધ્વીને સ્નાન કરાવીને સ્વસ્થ કરી.
એક વખત તે યોગીએ જિન પ્રતિમાના મસ્તકે ચૂર્ણ નાખીને બિબોને વિમુખ કરી દીધાં અને પોતે એક સ્થાને ઉભો રહ્યો. શ્રાવકેએ મૂર્તિઓની આવી સ્થિતિ જોઈ આ. ચાર્યાને જણાવ્યું. આચાર્યો તે ગીને બોલાવ્યો, અને બહુમાન પૂર્વક એક પાટ ઉપર બેસાડ્યો. ગોચરીને વખત થયો, એટલે સાધુઓ નેચરી નિકળ્યા. સાધુઓને ગોચરી જતા જોઈ ગીએ આચાર્યશ્રીને કહ્યું- “હું પણ ભિક્ષા માટે જાઉ છું.' ગુરૂએ કહ્યું – ભલે જાઓ.” યોગી ઉઠવા લાગે પણ પાટ સાથે ચીપકાઈ ગયેલું હોવાથી ઉઠી શક્યો નહિં. થોડીવાર પછી પાછું ફરી ગિએ કહ્યું – હું જાઉં છું. આચાર્ય કહ્યું–ખુશીથી જાઓ.’ આ વખતે પણ પહેલાંની માફક જ ચીપકાઈ ગયે. છેવટે યોગીએ કહ્યું – હું ઉઠી શકતા નથી. આચાર્યે કહ્યું – ઠીક છે. બીજે પણ એમજ હોય છે. યોગીને ગર્વ ગળી ગયો. યોગી શર્મીદ થઈ ગયે–પછી ૧૦૮ ઘડાથી સ્નાન કરાવીને યોગીએ જિન બિંબ જહેવાં હતાં હેવાં બનાવ્યાં હારે આચાર્યો યોગીને છૂટો કર્યો
ક્ષુદ્રમંત્રાદિથી સૂરિને અજેય જાણીને રાજા સમક્ષ યોગીએ આચાર્ય સાથે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ગુરૂએ તક શાસ્ત્રથી હેને જીતી લીધે. યોગી લજિત થઈ ચાલ્યો ગયે પણ પાછો “ગમે તેમ હૈને હરાવું એવા અભિમાનથી આવી આચાર્યની સાથે ચેરાસી વાદ કર્યા હેમાં પણ હેની હાર અને આચાર્યને વિજય જ થયો.
કેઇપણ રીતે આચાર્યને ન હરાવી શક્યું, ત્યહારે વેગીએ છલ કરવાનો વિચાર કર્યો. એક વખત મંદિરમાં શ્રાવકો બેલી (બાકળા ઉછાળવા) ની સામગ્રી એકઠી કરતા હતા. બલી ઉછાળવાની વાર હોવાથી આચાર્ય પિતાના સ્થાનકે સૂઈ રહ્યા હતા. હેવામાં પેલો જટી મંદિરમાં આવ્યો અને શ્રાવ પાસે ભિક્ષા માગી. જ્યારે શ્રાવકે આ આપવા લાગ્યા હારે હેણે કહ્યું “સારૂંખાધ આપો” શ્રાવકે એ સારૂં ખાદ્ય આપ્યું હાર બાદ ગુરૂ ગ્યા. શ્રાવોએ આ બધી હકીકત આચાર્યશ્રીને જણાવી.