________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૪૦૧
છેલ્લે જૈન સાહિત્ય હજુ અપ્રકટ છે તે બહાર લાવવા વિશેષ પ્રયત્ન થશે તે સમાજ સ્થિતિ, રાજ્યના ઇતિહાસ, દર્શનની તર્ક જાળ, ધર્મની ભાવના, અને તત્વજ્ઞાન જન્ય આનંદના ચિત્રો પ્રાપ્ત થઈ શકશે એવું જણાવી નીચેની અંગ્રેજી કડીઓમાં કે જેમાં જૈન * અને જૈનેતર એ શબ્દો પૂર્વ અને પશ્ચિમને બદલે મૂકેલા છે તે કહી વિરમું છું –
"Time has drawn near When Jains and Non-Jains, without a breath, Will mix their dim lights like life and death
To broaden into boundless day!” પ્રિન્સેસ સ્ટ્રીટ
–મેહનલાલ દલીચંદ દેશાઈ મુંબઈ, તા. ૧૦-૫-૧૫. ?
બી. એ. એલ. એલ. બી.
પરિણપાટણનું વર્ણન,
બાર ગાન રિતે વિસ્તાર, ગઢ મઢ મંદિર પિલ પગાર, ચઉરાસી ચેહુટાં ચઉશાલ, સોના રૂપાની ટંકશાલ. દંતારા દોસીનાં હાટ, વેચાઈ સાર પટોલાં પાટ, વેચઈ શાત્ સષરાં ચીર, જેણઈ લખ્યાં છઈ બાવન વીર. માણિક ચઉક મેતી તોલાય, નાણાવટ નાણાં પરષાય, ગાંધીને હાટે ગંધીણ, વઈદ જિહાં બહુ બઈસઈ જાંણ. માલી તંબોલી મણહાર, વેચઈ તેલ સુગંધાં સાર, વસઈ ફેફલીઆ સોનાર, ઘીઆ તણે નવિ લાધઇ પાર. વિવહારી બહુ વાસઈ વસઈ, ફાંદિ લઈ બઈઠા હસઈ, વાહણુ તણી વલી' કરતા વાત, પણિ કેણ કરઈ પરણી તાતિ. ફડીઆ સાથરીઆ પસ્તાગ, રસીઓ બહુ આલાપ રાગ, ચેટ ભણતા ચારણ ભાટ, ત્રિફેલીઈ નાચઈ નટ નાટ. વર્ણ અઢાર તણે તિહાં વાસ, કે કહેઈની તિહાં ન કરઈ આસ, વિવહાર શુદ્ધિ સહુ પાલઈ ખરી, ન લીઈ કે કહઈનું ધન હરી.. રાજભુવન નીપાયાં તિહાં, બહુ રચના કીધી છછ જિહાં, હયવર ગજની શાલા કરઈ, જોતાં નરનારી ચિત્ત ઠરઈ. આયુધશાલા રથના ઠામ, લેખકશાલા તિહાં અભિરામ. કરે માંડવી રાય સુજાણ, વિવિધ વિસ્ત તિહાં લાગઇ દાણ.
અત્ર મારા સ્નેહી શ્રેષ્ઠી જીવણચંદ સાકરચંદ ઝવેરીએ કુમારપાળરાસ અને હીરવિજયસૂરિની પ્રત મેળવી આપી અને શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે હીરવિજયસૂરિના ૧૫ બોલના રાસની પ્રત ઉતારી મોકલાવી આપી તે માટે તે બંનેને હું ઉપકાર માનું છું.