________________
૩૯૬
જૈન વે. કાન્સ હેરલ્ડ.
હંસવાહની તું સહી, વાણી ભાષા નામ, તું આવી મુજ મુખ વસે, જિમ હાય વાંછિત કામ. કરો માતા વાંછ્યું કામ, પ્રથમ જપું હું તાહારૂં નામ, તું મુજ માતા રાખે નામ, ખેાલુ' ભરત તા ગુણગ્રામ.
—ભરતેશ્વર રાસ.
દરેક ગ્રંથની અંતે પણ પ્રાયઃ સરસ્વતીને ઉપકાર તેની સ્વીકારે છેઃ—
સમાપ્તિ થઇ તે માટે
કવિજન કરી પહેાતી આસ, હીર તણા મિં જોડયેા રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂંઠી શારદા બ્રહ્મસુતાય.
X
X
X
X
સરસતી શ્રી ગુરૂ નામથી નીપને, એ રહેા જિહાં રવિચંદ ધરતી.
—હીરવિજયસૂરિ રાસ.
*
X
જહાંગીર માદશાહના રાજ્યની શાંતિ.
દિલ્લીપતિ જહાંગીર બાદશાહ (રાજ્યકાળ ઇ. સ. ૧૬૦૫ થી ઇ. સ. ૧૬૨૭) ના રાજ્યની સીમા આગ્રહથી પંજાબ અને કાશ્મીર સુધી અને માળવાથી ગુજરાત સુધીની હતી. અકબર અને જહાંગીરની રાજકીય નીતિ ધણાક વિયામાં મળતી આવે છે. હિંદુ અને મુસલમાન બંનેને સરખા હક આપવામાં બંને ઉપર્ એકજ સરખી રાજનીતિ ચલાવવા અને એક સરખા મત ધરાવતા હતા; પરંતુ અકબરનું એવું ધારવું હતું કે, હિંદુ, મુસલમાન તેને એકજ પંક્તિ પર મુકવા માટે, તેમના ધર્મને ઉત્તેજન આપવા અર્થે, માણસે પોતાના ધાર્મિક જુસ્સા અને ધાર્મિક લાગણીઓને સમાવી દેવી જોઇએ અને ધાર્મિક ભાવનાથી ખીલતા આત્મિક ર'ગને એછે કરી નાંખવા જોઇએ. અકબરને દરેક ધર્મ ઉપર આસ્થા હતી; જ્યારે જહાંગીર એમ સમજતા હતા કે કોઈ પણ માણસ પાતાના ધર્માંમાં રહીને, તેમાં પૂર્ણ માન્યતા રાખીને પેાતાના ધમની ક્રિયાઓ પાળીને પણ પારકા ધર્મવાળા તરક્ માનની લાગણીથી જોઈ શકે છે.
“અકબરના અમલ ઘણાજ સુલેહભરેલા હતા તેનું મુખ્ય કારણ એ હતું કે તેણે ખળ અને કળથી પોતાની હિંદુ પ્રજાનાં મન મેળવી લીધાં હતાં. દેશી સંસ્થાને સાથે લગ્નનેા સબધ વધારી તેમની વિદ્યા અને તેમના ધર્મ પ્રત્યે પ્રેમભાવના બતાવી, તેમના પર પૂર્ણ ભસે રાખી, તેમને મેટા માટા એહાએ આપી તેમને અતિ ઉપયોગી પ્રેમ સપાદન કરી, તેમને રાજ્યમાં મદદગાર કરી લીધા હતા. જહાંગીરે રાજ્યાભિષેક થયા પછી પોતાના પિતાના પગલેજ ચાલવાના નિશ્ચય કર્યાં હતા. મરણપયંત તે નિશ્ચય તેણે પાળ્યા પણ ખરા.
“જહાંગીરને નાનપણથી વિદ્યા તરફ ઘણા પ્રેમ હતા. જહાંગીરના સમયમાં જાદરૂપ નામે એક વિદ્વાન જતી ઉજ્જન પાસે આવેલી એક ઉજ્જડ પહાડની ગુફામાં રહેતા હતા. અહિં’આ ત્રણ માઇલ સુધી સ્વારી જઇ શકે તેવું સ્થાન નહોતું, છતાં પણ જહાંગીર વાર્ વાર પગે ચાલી તેની પાસે જતેા અને તેની સાથે વાદવિવાદ કરવામાં પોતાને અમૂલ્ય વખત ગુન્તરતા. તે જ્યારે જાદરૂપનું વર્ણન કરે છે ત્યારે તેના શબ્દો બતાવી આપે છે કે