SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અN શ્રાવક-કવિ અષભદાસ. ૭૩ તેમની પછી જ વિજયાણુંદ સુરિ થયા, અને તેને કવિએ ગુરૂ તરીકે અંગીકાર કર્યો. તેહને પાર્ગે વળી પ્રગટીઓરે, કલ્પતરૂને કંદ, વિજયાનંદ સુરીશ્વરરે, દીઠે અતિરે આનંદ. જેહની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણ સત્તાવાશ સાધુનારે, સત્તર ભેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હુઆ તપગચ્છના રે નાથ, ઋષભ તણો ગુરૂ તે સહરે, તેને મસ્તકે હાથ. -ભરતેશ્વર રાસ સં. ૧૬૭૮ શ્રી હીરવિજય સૂરિનારામાં પણ કવિ કહે છે કે – વંદ વિજયાદ સૂરિસઈ, નામ જપતાં સુખ સબલું થાઈ. તપ ગચ્છનાયક ગુણ નહિ પારો, પ્રાગવશે હૂઓ પુરૂષ અપારો. સાહ શ્રીવંત કુલે હંસ ગમંદ, ઉઘાતકારી જિન દિનકર ચંદે, લાલબાઈ સુત સીંહ સરીખો, ભવિક લોક મુખ ગુરૂતણે નિરખ, ગુરૂ નામેં મુઝ પહોતી આસે, હીરવિજયસૂરિને કર્યો રાસો. – સં. ૧૬૮૫. . દરેક જૈન રાસકાર પિતાની કૃતિમાં થોડો ઘણો પણ પરિચય આપવા ઉપરાંત પિતાની રચનાની મિતિ આપે છે, તે જ પ્રમાણે ઋષભદાસે પોતાની કૃતિઓમાં પિતાના સંબંધે પરિચય કટકે કટકે પણ અન્યની અપેક્ષાએ વિશેષ આપે છે અને તે પરથી જ આ લેખ ઘડી શકાય છે. હજુ તેમની સર્વ કૃતિઓ પ્રાપ્ત થઈ શકતી નથી, નહિતે આ કરતાં પણ વિશેષ હકીકત મળવા સંભવ છે. ઉપરની હકીકત સંબધે શમસ્યાને આધાર લઈ હીરવજય સૂરિના રાસમાં જણાવે છે કે કવણુ દેસિં થયો કવણ ગામિં કહ્ય, કવણ રાજ્યઈ લો એહ રાસો, કવણુ પૂત્ર કર્યો કવણું કવિતા ભયે, કવણુ સંવછર કવણ માસો. કવણું દિન નીપને કવણ વારિ ગુરિ, કરીએ શમસ્યા સહુ બાલ અણુઈ, મૂઢ આંણ અક્ષરા સેય મ્યું સમઝસ્થઈ, નિપુણ પંડિત નર તેહ જણઈ. + વિજ્યાણંદ સૂરિ–મરૂ દેશના વિરોહ ગામમાં પ્રાગવંશી પિતા શ્રીવંત, અને માતા શૃંગારદેથી સં. ૧૬૪ર માં જન્મ, મૂલનામ કલો, હીરવિજયસૂરિ પાસે દીક્ષા સં. ૧૬પ૧, દીક્ષાનામ કમલવિજય, વિજયતિલક સૂરિએ શિરોહીમાં સૂરિ પદ આપ્યું. સ્વર્ગવાસ. સં. ૧૭૧૧ આષાઢ શુદિ પૂર્ણિમા. ખંભાતમાં. વિજાણંદસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકા ગુરૂ થતા હતા. તે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે વિજયદેવસૂર મળવા માટે અમદાવાદ આવ્યા. અરસ્પર પ્રીતિથી બંનેની સંમતિ પૂર્વક ગચ્છાધિપત્ય ત્રણ વર્ષ ચાલ્યું. ભાવી યોગે ચોથા વર્ષથી વિજયદેવ સૂરિએ પોતાના નામનો પટ્ટો મુનિઓ માટે લખ્યો; આ સાંભળી આણંદ સૂરિએ પણ પિતાના નામનો પટ્ટો લખ્યો. આ કારણથી એકજ કુળમાં બે આચાર્યોના નામથી બે ગછ થયા એકનું નામ દેવસૂરિ; અને બીજાનું નામ આણંદસૂરિ. સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થઈ. ( આ માટે જુઓ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ લું.)
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy