________________
શ્રાવક-કવિ રાષભદાસ.
૩૮૩
तदुःखाई प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्यं पादं सुपदरचितान्मेघदूताद् गृहीत्वा । श्रीमन्नेमेश्चरितविशदं सांगणस्यांगजन्मा
चक्रे काव्यं बुधजनमनःप्रीतयेविक्रमाख्यः॥ –કવિવર કાલિદાસના નિર્માણ કરેલા અને સુંદર પદોથી રચેલા મેઘદૂત કાવ્યના ચોથા ચોથા ચરણોને લઈને સાંગણના પુત્ર વિક્રમ કવિએ બુદ્ધિમાનના ચિત્ત પ્રસન્ન કરવા અર્થે આ શ્રી નેમિનાથનું નિર્મલ ચરિત્ર રચ્યું કે જે વાજીમતિના દુખથી આર્દ છે. +
–નેમિચરિત પૃ. ૫૮-પાટ [ આમાં સંવત વર્ષ નથી આપેલ તેથી ચોક્કસ કહી શકાતું નથી, છતાં સાંગણ સુત વિક્રમ એવી ઓળખાણુપરથી તે શ્રાવક હોવાનું માલુમ પડે છે. તદુપરાંત ઋષભદાસ કવિ પિતે સંસ્કૃત ભાષાના નિપુણ જાણકાર હતા એ તેમણે પોતાની ગુજરાતી કૃતિઓ માટે વસ્તુઓ સંસ્કૃત કાવ્યો પરથી તેમજ સંસ્કૃત ગધપરથી લીધેલ છે તેથી પ્રતિત થાય છે, તેમજ તેને બંધ હતે એ પણ ઉપર કહેવાઈ ગયું તેમજ બંને પિતાનું નામ સાંગણ છે તેથી તેમજ ઋષભદાસે પણ નેમિનાથ સંબંધે ગુજરાતીમાં “નવરસે’ બનાવેલ છે તે પરથી સબલ અનુમાન થઈ શકે કે ઋષભદાસ અને વિક્રમ બંને સગાભાઈઓ હતા. વિક્રમ એ નામપર બે કૃતિઓ નામે નેમિનાથ ચરિત્ર તથા નેમિદૂત જૈન ગ્રંથાવલિના પૃ. ૨૪૩ અને ૩૩૧ પૃષ્ઠ પર માલુમ પડે છે તો તે બંને કૃતિઓ કદાચ એક હોઈ શકે, કારણકે ઉપરોક્ત પુસ્તક નેમિદૂતને બદલે નેમિચરિત્ર એ નામથી પ્રગટ થયું છે, વળી (મંત્રી) વિક્રમકૃત મેઘદૂત નામની કૃતિ પણ તેજ પુસ્તકના પૃ. ૩૩ર પર માલુમ પડે છે તો તે (મંત્રી) વિક્રમ જૂદા હેવાને સંભવ છે. ]
વળી ઋષભદાસ પિતાને “સંધવી એ તરીકે કવચિત કવચિત ઓળખાવે છે–ઉદા. હરણ તરીકે, સંધવી ઋષભદાસ એમ ભાખે, ભારતનું નામ પવિત્ર રે.
–ભરતબાહુબલિરાસ પૃ. ૧૦૫. * તે પિતાના પિતામહ અને પિતા સંઘ કાઢવાથી સંધવી કહેવાયા તેથી તેના પુત્ર તરીકે પોતે સંધવી એ આડનામ રાખ્યું હોય અગર તે પિતે પણ સંધ કાઢયો હોય તે કારણે પિતાના નામની આગળ “સંઘવી મૂક્યું હોય એમ બે પ્રકારે અનુમાન થાય છે, છતાં પહેલું અનુમાન” વિશેષ સંભવિત છે. કારણકે પિતાના મનોરથોમાં એક અનેરથ જણાવ્યો છે કે “મારી પાસે દ્રવ્ય હોય તો “સંઘપતિ તિલક ભલુ જ કરાવું–તેથી પોતે સંઘ કાઢો નહિ હોય. કવિ તરીકે
“કવિનું ઉપનામ પિતાના નામ આગળ ઋષભદાસ કઈ વખતજ આપે છે (“પુ. મ્યવિભાગ હુઈ તવ મહારઈ, અસ્ય ઋષભ કવિ આપ વિચારઈ –હીરવિજ્યસૂરિ રાસ),
+ પ્રકાશક–શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય-હીરાબાગ મુંબઈ મૂલ્ય છે આના.