________________
૩૮૦
શ્રી જૈને
. કે. હેર૯.
પિતામહ અને પિતા સંઘવી થયા છે તે પરથી જણાય છે કે તેમની આથિક સંપત્તિ ઘણું સારી હોવી જોઈએ. (૧) મહિરાજને સુત સંઘવી સાંગણ, પ્રાવંશીય પ્રસિધ્ધારે–
દાન શીળ તપ ભાવના ભાવે, શ્રી જિનના ગુણ ગાવે; સાધુ પુરૂષને શીષ નમાવે, જિન વચને ચિત્ત લાવેરે– દ્વાદશ વ્રત તણા તે ધારી, જિન પૂજે ત્રણ કાળ, પિષધ પડિકમણું પુન્ય કરતા, જીવદયાપ્રતિપાળરે– સંધવી સાંગણને સુત કવિ છે, નામ તસ ઋષભજદાસ, જનની સરૂપાદેને શિર નામી, જેડ ભરતને રાસ
– ભરત બાહુબલિ રાસ. સં. ૧૯૭૮ (૨) મહિરાજ તણો સુત અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ, સમક્તિ સાર ને વ્રત જસબાર, પાસ પૂછ કરે સફલ અવતાર.
–હિત શિક્ષા રાસ. આમાંથી જનની–માતુશ્રીનું નામ સરૂપાદે હતું એ નિશ્ચિત થાય છે. કવિ પિતે..
કવિ પિતે જે જણાવે છે તે પરથી તે પરમ શ્રાવક હતો એ સ્પષ્ટ થાય છે. શ્રાવકના જે આચાર જૈન શાસ્ત્રમાં જણાવેલા છે તે ધણી દઢતાથી પાળતા, મુનિઓની શુશ્રુષા કરી તેમની પાસેથી બોધ લેતા, અને જિનની પૂજા મંદિરમાં જઈ હમેશ કરતા. આ સર્વ જર્ણવવામાં આત્મસ્તુતિને દોષ ન વહોરતાં લઘુતા દર્શાવે છે અને તેમાં એ હેતુ જણાવે છે કે આવા મારા આચાર અને મનના પરિણામ જાણે કોઈ આચરશે– આત્મકાર્ય સારશે તો મને પુણ્ય થશે– પોપકારને હું ભાગી થઈશ અને તે પરેપકારાર્થે આ સ્વવૃત્તાંત (આત્મ પ્રશંસાને દેષ હોય તો તે વહોરી લઈને) જણાવું છું.”
સંઘવી સાંગણનો સુત વારૂ, ધર્મ આરાધતે શક્તિ જ સારૂ, ઋષભ “કવિ તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. સમ શાસ્ત્ર તણુજ વિચારે, સમતિ શું વ્રત પાલત બારો, પ્રહ ઉઠી પડીક્કમણું કરતે, બેઆસણું વ્રત તે અંગે ધરતે. ચઉદે નિયમ સંભારી સંક્ષેપું, વીરવચન રસે અંગ મુઝ લેપું, નિત્ય દશ દેરાં જિન તણું જુહારું, અક્ષત મૂકી નિજ આતમ તારું.
આઠમ પાખી પિષધમાંહિ, દિવસે રાતિ સાય કરું ત્યાંહિ. વીર વચન સુણી મનમાં “ભેટું, પ્રાયે વનસ્પતિ નવિ ચૂટું. ૧૮ મૃષા અદત્ત પ્રાય નહિ પાપ, શીલ પાલું મનવચ કાય આ૫, ૨૦ પાપ પરિગ્રહ ન મિલું માંહિ, દિશિતણું માન ધરું મનમાંહિ. ૨૧
અભક્ષ્ય બાવીસ ને કર્માદાન, પ્રાયે ન જાય ત્યાં મુજ ધ્યાન. ૨૨ ૧ પાઠાંતર-ભેદું, ૨ છે (હીર રાસ)