________________
મનુષ્યનું શરીર જ્યારે વધવા માંડે છે ત્યારે તેના બધા જ અવયવ ખીલવા માંડે છે. ઝાડની કુંપળ કુટવા માંડે ત્યારે એક ડાળી કુલેશલે અને બીજી સૂકાતી જાય એવું નથી બનતું. તેમજ પ્રજાની અંદર જ્યારે જાગૃતિ આવે ત્યારે તે બધાં ક્ષેત્રોમાં વ્યાપે છે. આજને જમાને મુખ્યતઃ રાજ્યકારી જાગતિને છે એ વાત નાકબુલ કરી શકાય નહિ, પણ જીવનની ગૂંથણું એવી ચૂક્યું છે કે એક હીલચાલની અસર જીવનનાં બીજાં અંગે વહેલી મોડી પહોંચ્યા વિના રહેતી જ નથી રાજકીય હક મેળવવાની ઝંખના શિક્ષિત વર્ગમાં ઉત્પન્ન થતાંની સાથે જ પછાત કેમમાં તેની અસરથી પિતાના હક મેળવવાની ઈચ્છા પણ જાગી. જમાનાઓથી જેમની મહત્તા કબુલ કરવામાં આવેલી છે, અથવા તો ચલાવી લેવામાં આવી છે તે સિવાયની એકેએક કોમ આજે પિતાના હક માગવા તત્પર થયેલી આપણે જોઈએ છીએ. રાજ્યક્રાન્તિ કરવાને માટે આપણને જેટલી ધગશ ઉત્પન્ન થઈ છે તેવી જ રીતે એમનામાં સામાજિક પ્રગતિના પ્રયત્નો જેસબંધ શરૂ થયા છે. કાળીપરજ, ધારાળા, કેળી વગેરે મેમાં સુધારાના પ્રયત્નો આજે ચાલી રહ્યા છે. તેને લીધે કેટલીક અગવડે આજે બધાને ભેગવવી પડતી હશે, કેટલોક ત્રાસ સહન કરવો પડતો હશે, પણ એ બધું પિતાના સામાજિક હકેના ભાનની જાગૃતિ સૂચવે છે. સમાગે ગુજરાતની ઉંચી કેમોએ આ જાગ્રતિને બીજા પ્રાંતના જેટલી હરકત નથી કરી પણ થોડી ઘણી મદદ કરી છે એ સંતોષની વાત છે. એમ કરવામાં અગમચેતી છે, અને તેથી જ આજે આપણે ઉંચી ગણાતી કેમોના લોકે અંત્ય વિશે વિચાર કરવા ભેગા મળ્યા છીએ.
* હિંદુસ્તાનના બીજા ભાગમાં અંત્યજોને સવાલ કેટલો ગંભીર રૂપ પકડો જાય છે, એની ખરી કલ્પના સામાન્ય માણસને ગુજરાતમાં ભાગ્યે જ હોય છે. રાષ્ટ્રસેવા કરવાને માટે હિંદુસ્તાનના દરેક માણસને–પુસવ, સ્ત્રી તેમજ બાળકને દરેક શક્તિ કેળવવાની આજે જરૂર છે. સ્ત્રીઓને દેશ વિષે થોડા જ માહિતી હોવાથી હિંદુસ્તાનને લકવો થયાનું આગેવાને કહે છે. આંકડાની ભાંજગડમાં ઉંડા ન ઉતરતાં અંત્યજોની સંખ્યા એમાંથી બાદ કરીએ, જંગલી નાતાને પણ એવી જ રીતે એ લોકસંખ્યામાંથી કાઢી નાંખીએ, તેમજ સુશિક્ષિત સ્વાર્થીઓની મેટી સંખ્યા પણ ધ્યાનમાં રાખીએ, તો હિંદુસ્તાનને માટે કામ કરનારાં માણસો કેટલાં રહે છે એ સવાલ ખુબ વિચારવા જેવું છે. જે આ બધાંને કામમાં લેવાં હોય, એ બધાં પણ દેશનાં જ છે એમ આપણને સાચે લાગતું હોય, તો આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે