________________
૩૫૦
શ્રી જૈન વે. કે. હેરલ્ડ,
આ ગાથા સાધ્વીએ કહી અને તેનો અર્થ મારાથી ન થઈ શકયો તેથી સાધ્વીને તેને અર્થ પૂછ્યો. સાધ્વીએ કહ્યું “આ નગર બહાર પાડીના સ્થાનકે અમારા ગુરૂ રહે છે તે અર્થ કહેશે. ત્યારે હરિભદ્ર વાડીમાં જઈ ગુરૂને વાંદી ગાથાને અર્થ પૂછયો. તેને અર્થ સાંભળી પ્રતિજ્ઞા સપૂર્ણ કરવા શિષ્ય થયું. યોગ્ય ગીતાર્થ જાણી શ્રી ગુરૂએ આચાર્યપદ દઈ શ્રી હરિભદ્ર નામ આપ્યું. શ્રી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. શ્રી હરિભદ્ર ભૂક્ષક્ષેત્રે માસકશે રહ્યા. ત્યાં રહેતાં શ્રી હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ એ નામે બે શિષ્ય શિરોમણિ શાસ્ત્રના પાઠી છે તેણે ગુરૂને વિનવ્યા કે અમે બૌદ્ધ મતની વિદ્યા શિખવા બૌદ્ધ દેશમાં જશું, ગુરૂએ ના કહી. તે પણ ૫ટથી બંને બૌદ્ધ મતની વિધાનું રહસ્ય લેવા બૌદ્ધ દેશે ગયા. બૌદ્ધાચાર્ય પાસે બંને શિષ્ય વિધા ભણતા હતા. એકદા પુસ્તકમાં શાસ્ત્રના અક્ષર વિષે બૌદ્ધાચાર્યે ખટીકા દીધી દીઠી. તેણે ચિતમાં વિચાર્યું કે કોઈક જૈન છે તે બંનેની પરીક્ષા કરવા નિસરણીના પાવડીએ-પગથીએ જિન પતિમાનું સ્વરૂપ ખડીના ખંડથી આલેખી ગુરૂ છાત્રને ભણાવવા મેડીએ બેઠા એટલે બૌદ્ધના વિદ્યાર્થી સ્વરૂપ ઉપર પગ મૂકીને ભણવા લાગ્યા. તેની પછી હંસ પરમહંસ આવ્યા. જિનબિંબ દેખી ખડીના ખંડ થકી પ્રતિમા હૃદયે જનોઈને આકાર કરી તે ઉપર પગ થાપી આપી આચાર્ય પાસે ભણવા બેઠા. આચાર્ય જાણ્યું કે આ જન છે અને બંને શિષ્ય પણ જાણ્યું કે આ ચાર્યે આપણને જૈન જાણ્યા છે. ભરણ ભયથી પુસ્તિકા લઈ નભ ભાગે વિદ્યાબલથી પિતાના દેશ જવા નિકળ્યા. આચાર્યો જાણ્યું અને બૌદ્ધ રાજાને કહ્યું “એ જૈન માલુમ થયા છે. આપણું મતની વિદ્યાના રહસ્યની પુસ્તિકા લઈ જાય છે.” આ સાંભળી રાજાએ સૈન્ય ચઢાવ્યું. વિદ્યા યુદ્ધ કરતાં પ્રથમ હંસને હણ્યું. બીજા પરમહંસ સાથે વિદ્યા યુદ્ધ કરતાં પરમહંસ લડથડ અને આવતો આવ શ્રી ભગુકચ્છ શકુનિકા વિહારમાં તેણે બૌદ્ધ પુસ્તિકા નાંખી. પછી તે બીજા પરમહંસને પણ હણને બૌદ્ધ સૈન્ય પ્રાતઃકાળ થયો જાણે પિતાના દેશ પાછું વળ્યું.
હવે પ્રભાતે ગૃહસ્થ શ્રી મુનિસુવ્રતના દર્શને આવ્યા. દેવ પ્રદક્ષિણા કરતાં ગૃહસ્થને રહરણ અને ચેપડી એમ બે લાધ્યાં–મળ્યાં તે શ્રી હરિભદ્રને આપ્યા. ગુરૂએ રજહરણ ઓળખું બદ્ધ પુતિકાનાંથી ઘંટાકર્ણને મંત્ર વાંચ્યો. શ્રી હરિભદ્ર ચિંતવ્યું કે “મારા બંને શિષ્ય બદ્ધ દેશમાં વિદ્યા ભણવા ગયા હતા તેને બૌદ્ધ કઈ રીતે વિધાનું રહસ્ય લઈ જાતા જાણી હસ્યા દીસે છે. ગુરૂને ક્રોધ થયો. શાલાને યકપાટત્ત કરી તેલ પૂરીને લોહની કડાઈ અગ્નિપર ચઢાવી ગુરૂદત્ત પૂર્વામ્બાય સ્મરી જે વખતે કડાઈમાં કાંકરી નાંખે તે વખતે બે તપસ્વી ચૌદસે ગુમાલીસ ૧૪૪૪ મંત્રકાર્ષિત શકુનિકારૂપે કડાઈને પ્રદક્ષિણા દેવા લાગ્યા. તેવામાં યાકિની નામે સાધ્વી કે જેના મુખમાંથી ગાથા પૂર્વ સાંભળી હતી અને તેને અર્થ તેના ગુરૂ પાસેથી જાણું વ્રત લીધું હતું અને જેનાથી તેને ઉપકાર થયું હતું અને તે માટે યાકિનીસુનુ શ્રી હરિભદ્ર સૂરિ એ બિરૂદ કહેવાયું તેણીએ ઉચું જોયું કે શનિકા રૂપે બદ્ધ આકર્ષા દીઠા. સાધ્વીએ જાણ્યું કે ધનાં ફળ કડવાં છે. ઘણા જીવને અસંતોષ ઉપજે છે–આમ જાણી આચાર્યના ક્રોધની શાંતિ કરવાના હેતુથી સિઝાતરી શ્રાવિકા સાથે લઈ શાલા દ્વારે આવી ઉભા રહી ગુરૂ પ્રતિ એક પંચૅય જીવની વાત અજાણપણે થાય તેની આલોયણ શું? એમ પૂછ્યું ત્યારે શાલાએ રહ્યા થકા ગુરૂએ