SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૯ ૨૪ વિક્રમસરિ શ્રીગુરૂને શારદા પ્રસન્ન થઈ. શ્રી ર્જર દેશમાં સરસ્વતિ નદીને તટે ખરસડી ગ્રામે બે માસી ચોવિહાર તપ કર્યો. તે તપના મહિનાથી શારદાએ ગુરૂને નમી પિપલીન વૃક્ષ સુકો હતો તે નવપલ્લવ કર્યો. શ્રી ગુરૂની કીર્તિ થઈ. પુનઃ શ્રી ગુરૂએ. , ધાન્યધાર દેશમાં ગોલા નગરમાં ઘણું પરમાર ક્ષત્રી પ્રતિબધી ઉપકેશ કીધા. ૨૫ નરસિંહરિ શ્રી સૂરિએ ઉમરગઢમાં પુહારના તળાવને કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રીએ અષ્ટમીને દિને મહિષ વધનો વ્યંતરયક્ષ ભોગ લેતો તેને ધર્મોપદેશ દઈ મહિષને વધ મૂકાજો. - ૨૬ સમુદ્રસૂરિ મેવાડ દેશમાં કુભલમેરે માણ ક્ષત્રી જાતિ સંસાર અસાર જાણ ગુરૂશ્રી નરસિંહ પાસે દીક્ષા લીધી તથા અણહિલપત્તને શ્રી સૂરિ બાહડમેર કેટલા પ્રમુખ નગરમાં ચામુંડા પ્રતિબોધક થયા. પુનઃ દિગંબર જીતી વિરાટ નગરમાં તથા અણહિલપત્તનમાં : જય વેર્યો. ઉક્ત. खोमाणराजकुलजोऽपि समुद्रसूरि, गच्छं शशास किलद प्रवण प्रमाण जियातदाक्षपणकान् स्वयशं वितेने, नागेंद्र दे भुजगनाथ नमस्य तीर्थे । - એવામાં સં પર ૫ માં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણ ધ્યાનશતકના કર્તા થયા એવામાં છ યુગ પ્રધાન થયા. તેનાં નામ ૧ નાગ હસ્તિ સૂરિ ૨ રૈવતિ મિત્ર સૂરિ, ૩ બ્રહ્મ દ્વિપ સૂરિ ૪ નાગાર્જુન સૂરિ ૫ ભૂત દિન્ન સૂરિ. ૬ ભાવબહાર શ્રી કાલિકસૂરિ. આમાં કાલિકાચાય વીરાત ૯૯૯ વર્ષે-કેટલાક આચાર્ય કહે છે તે પ્રમાણે ૯૮૦ વર્ષ એટલે વિ. સં. પર૩ વર્ષ થયા. ૦૪ કાલનું વિવરણ કહ્યું. આ ત્રીજા કાલિકાચાર્ય સુપ્રભાવિક જાણ. વરાત ૧૦૨૧ વર્ષ–સંવત ૧૮૫ વર્ષે યાકિની મહત્તા સુત શ્રી હરિભદ્રસૂરિ પ્રગટ થયા. . હરિભદ્ર સૂરિની ઉત્પત્તિ મગધદેશમાં કુમારીયા ગામમાં હારિદ્રાયણ ગોત્રમાં હરિભદ્રનામે બ્રાહ્મણ વ્યાકરણ પ્રમુખ વટ શાસ્ત્રના વેત્તા રહેતા હતા. ઘણું બ્રહ્મક્રિયાએ કરી કુશલ હતા. પણ પ્રતિજ્ઞા હતી કે “જે કોઈ મને પ્રશ્ન પુછે તેને અર્થ ન ઉપજે-નકરી શકું તો હું તેને શિષ્ય થાઉં. આમચિંતવી તીર્થયાત્રા નિકળ્યા. ભગુક્ષેત્ર આવ્યા ત્યાં એકદા સંધ્યાએ નગરમાં બજારે જતાં ધર્મ શાલાએ સાધવી પ્રતિક્રમણ સંપૂર્ણ થતાં આવશ્યક સૂત્રની ગાથા ગણે છે તે ગાથા આ હતી કે:-- चक्की दुगं हरिपणगं पणगं चक्कीण केसयो चकी केचव चकी केसव दुचकी केसव सकीदं ॥ १ ઉભા રહી આ ગાથા હરિભદ્ર સાંભળી. શાળાએ આવી કહ્યું “ભ! સાધવજી તમે કેવો આ ચિચિગાયમાન શબ્દ કહ્યા ?” આ સાંભળી સાધ્વીએ કહ્યું “ નવું શાસ્ત્ર લખી એ ત્યારે ચિગ ચિગ શબ્દ થાય આવું સાધ્વી કથન સાંભળી હરિભદ્ર ચિંતવ્યું “ મારી વિદ્યાને પ્રયાસ નિષ્ફળ થયા.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy