SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શ્રી જન કવે. કે. હેરલ્ડ. આહાર નહિ છે, તે સાંભળી શ્રી વજસેન કહે એ આહાર ભુમિકાનાં શરણ કરો. ગૃહસ્થ કહે વિષમ સમય મર્યાદવંત ગૃહસ્થ મર્યાદા કિમ રહે? શ્રી વજી કહે પ્રભાતને સમયે વામીએ જહાજ યુગંધરી ધાન્ય ભર્યા અવશ્ય આવશે. તે સાંભળી વિવહારી ભૂશરણે કરી અને વ્યવહારીઓ જિનદત્ત સ્ત્રી ઈશ્વરી, પુત્ર ૪ યુત હાથ જોડી શીવસેનને કહે તમે મહા મુની નિસ્પૃહ છે. જો તમારું વચન સત્ય થશે તે અમે તુમ પાસે વ્રત લઈશું. એ પ્રતિજ્ઞા લઈ મહા શ્રદ્ધાવંત થયા. શ્રી સૂરિ શાળાએ આવ્યા. એટલે બહાર પહોરે સંપૂર્ણ થયા કે સમુદ્ર જહાજ યુગધરીએ ભર્યા આવ્યા. સમુદ્ર સમાચાર થયા, ઘણો સુમિક્ષ થયો. દેખી શ્રીગુરૂ અભયદાનના દાતાર જાણું જિનદત સ્ત્રો ઈશ્વરી નાગૅદ્ર, ચંદ્ર નિવૃત્તિ વિધાધર એ ચાર બેટાયુક્ત શ્રી વજસેન સૂરિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ચાર કેટલેકે ઉણું દશ પૂર્વધર થયા, ત્યારે ગુરુ શ્રી વસેને તે આચાર્ય પદવી આપી ત્યાંથી નાગૅદ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને ૪ વિધાધર એ જ શાખા પ્રગટ થઈ, તે ચારે એપણ ૨૧ ૨૧ આચાર્ય કર્યા એટલે ૨૧૮૪=૪૮ આચાર્ય કીધા. તેથી તેના નામે ૮૪ ગચ્છ કહેવાણા. એટલે શ્રી વીરાત ૫૮૫ વર્ષ ગયે હુને એ શાખા પ્રગટ થઈ ઈતિ ૪શાખાની ઉત્પતિ–ત્યાંથી ૧૪ વસેનસૂરિ-કેટલાક દિવસે વિચારતાં શ્રી શેરઠ દેશમાં મધુમતિ નગરે કપર્દીિ નામે વણકર વસને હતિ તેને આદિ અને કુહાડી નામે બે સ્ત્રી હતી. પણ તે પદિ અભક્ષ્ય અપેય કરી ઘણો અશક્ત હતો. એકદા બંને સ્ત્રી કપર્દીને અભક્સ પેય એ બનેથી અનાચારી જાણી પ્રહારથી શિક્ષા દેતી હતી એવામાં શ્રી વજસેનસૂરિએ તે વણકરને દુખીઓ દેખી બદિલ્મ જાતા થકા શ્રી ગુરૂએ કોમલ વચનોથી કહ્યું કે “હે કપર્દી તું અને મારી પાસે આવે તે કપર્દી પણ આવી હાથ જોડી ઉભો રહ્યો. એવામાં શ્રી ગુએ આગમજ્ઞાને દૃષ્ટિ દીધી તે તે સુલભધિ જણાયો. વળી તેનું આયુ બે ઘડીનું જાણું ગુરૂશ્રી વજએને કહ્યું “અહી કલિક ! તને મહાકષ્ટ દેખી તું ધર્મ કરી પચખાણને પ્રમાણ કરી કષ્ટ જેમ મટે. ગુરૂનું વચન સાંભળી વિનયવંત કપર્દીએ કહ્યું “શ્રી ગુરુ ! પચ્ચખાણની મારા પર કૃપા કરો” ત્યારે ગુરૂએ નાના રાતા ઇત્યાદિક નમસ્કાર મુખ થકી ઉચર્યા પછી કટે-કેડે દોરાની ગાંઠ છોડી એક ઠેકાણે બેસી ભોજન અને જલ લીધાં. પછી તેમજ કેડે દોરાની ગાંઠ બાંધી. તે ગુરૂનું વચન અંગિકાર કરી તે વ્રત ઉચ્ચર્યું. એવામાં તેજ દિને સર્પગરવ્યાપ્ત આમિષખંડન તેનું ભોજન થયો તેથી તે પદ મરણ પામે. પચખાણ અંગિકાર કર્યાથી તે મહિમાએ અણુપત્ની પણ પત્ની મધ્યે ઉપપો ! અવધિજ્ઞાને પોતાનો પાછલો ભવ જા. નમસ્કાર સહિત પચ્ચખાણનું મહાભ્ય મેટું દિસે છે. હવે ગુરૂએ પથખાણ શિખવ્યું પહેલે ભોજને તુરત મરણ પામ્યો– એ વાત જાણ બને સ્ત્રી મળી અને રાજા આગે પુકારતી ગઈ કે આ મહાત્માએ કાંઈ શીખવી મારી નાંખ્યો. રાજાએ શ્રી વજસેન ગુરૂને રાવલે (ચેકીમાં) બેસાડ્યા અને કહ્યું કે “તમે સાધુ થઈ કેમ સ્ત્રીને સ્વામી માર્યો? એવામાં કપદ પિતાના જ્ઞાનથી જોયું કે પિતાના ઉપકારીને કષ્ટ થયું છે તેથી તેણે ગામપ્રમાણે દેવશક્તિથી શિલા વિફર્વી આકાશે રહ્યા થકા સકલ લોકોને કહેવા લાગ્યો. કે “એ મારા ગુરૂના પ્રતિ ખમા પ્રણો નહિતે આ શિલા ગામ ઉપર પાડું છું. આ ગુરૂ મારા મહા ઉપકારી છે ! આથી રાજાએ મરણના ભયથી શ્રી વજસેનને પ્રણની લાલાએ પધરાવ્યા એટલે પર્દીએ શિલા સંહરી પ્રસન્ન થઈ રાજાલિક સમક્ષ ગાથા કી–
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy