SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રી જૈન . કે. હેરલ્ડ. કેટલેક દિને ગુરૂસંગ થકી મૃતધર થયા. અતિ વિદ્યા ગર્વિત થકી એકદા શ્રી ગુરૂને કહે “ગણ ધર ગુથીત જે પ્રાતન સિદ્ધાંત છે તે સઘળાં સંસ્કૃત કરૂં” એમ કહી મહા વિધાએ ઉદ્દામપણે નમો અરિહંતાણું, એ સકલ પંચપદ પ્રાપ્ત છે તે તે સંસ્કૃત નિપજાવી ગુરૂને સંભલાવ્યું. “નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય ! આ સાંભળી સકલ ગુણસા શ્રી દેવાધિદેવ ગુરૂ કહે “સર્વાક્ષર સંનિપાત લબ્ધિના ધણી ગણધરદ થયા, પુનઃ તેહના શાસન ધર્મ માંહિ કેટલાએક ચૌદ પૂર્વી થયા, એને શ્રુતકેવલી પણ આગે થયે પણ જે શ્રી વીરમુખે ગણધરે ત્રિપદી પામીને મુગ્ધ પ્રાણીને ઉપકારના હેતુએ પ્રાર્તન ભાષાએ રચના કરી તેહનું વચન અન્યથા કરે તે અનંત સંસારી થાય, તે માટે “નમેહંત સિદ્ધા” એ વચનથી તમને મોટી આલોયણું આવી. તે વૃદ્ધવાદી ગુરૂનું વચન સાંભળી કુમુદચંદ્ર ચેલે ગુરૂ પાસે વૃદ્ધિનું વચન અન્યથા ક્યની આલોયણું માગી, ત્યારે ગુરૂ કહે “ગાઢા મિથ્યાત્વીને પ્રતિબધી સમકીત પમાડી જૈનપણું આદરાવી ગતતીર્થ પાછો વાળે તે શ્રી સંઘે ગચ્છમાં ડલ ઇવ આઈ. એવું ગુરૂ સંઘનું વચન પ્રમાણ કરી એકાકી નિહાર કરતા અવધ વેશે બારમે વર્ષે માલવદેશે ઉજજૈણિ નગરે પરમાર શ્રી વિકમાર્ક રાજ્ય સિખાતટે શ્રી મહાકાલેશ્વરને પ્રાસાદે શિવલિંગ ઉપર મસ્તક દેઈ સૂતા-બીજે દિને પ્રાતસમયે અર્થક શિવ પૂજવા આવ્યો એટલે પ્રૌઢ શરીર લંબ ભૂજા વિશાળ અવયવ, નિઃસ્પૃહ અબીહ દેખી અર્ચક કહે “ તું ઉઠ ઉઠ, એ શિવ ભોલો ભસ્મ ભોગી–તેહને દૂવી કિસ્યું મરણ માગે છે? એમ ગાઢ રવરે અર્થક બર કહે તેટલે મનુષ્ય એકઠા થયા-કહે ઉઠો ઉઠ, પણ કેમે ન ઉઠે, ત્યારે ભરકે વિક્રમ પિકાર્યો. વિક્રમ કહે “ તાણી ઘસરડી પ્રાસાદ બાહિર કાઢી નાંખો. તે ભરડક રાજાના અનુચર લેઈ મનુષ્યના સમુદાય મિલ્યો ઉઠાડવા લાગ્યા, પણ વસુલા શિવની આશાતના જાણી પુનઃઅર્થક વિક્રમને પિકારે કે વિક્રમે શિવમર્યાદા પી જાણું ત્રાજદીધી તે ત્રાણા રાણિને પ્રહાર હેય-રાણી આક્રદે. તે સાભળી વિક્રમ ચિત્તમાં ચિંતવે જે એ મહા કઈક સિદ્ધ પુરૂષ છે. એહસ્યું પરાક્રમ નહિ. વિક્રમ આવી હાથ જોડી નમી કહે “હે તપેનિધિ! મુજ અપરાધ ખમી તુહે પ્રસન્ન પ્રત્યક્ષ જાઓ” તે સાંભળી કુમુદચંદ્ર તત્કાળ ઉઠી કહ્યું, અહો વિમ, આ નગરે તુહ રાજ્ય કયા ન્યાયે કરો છે. તે પરમેશ્વર શ્રી પાસ અવંતિની તુહે કીર્તિક-વિવારે કુમુદચંદ્ર શ્રી પાર્શ્વનાથ ૨૩મા તીર્થંકરની સ્તુતિરૂપે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કહ્યો-૧૧ મા કાવ્ય શ્રી પાર્શ્વ પરમેશ્વરે પહેલાંથી કામરાગ જ છે તે સ્તવે છે–પરિબન vs કે શિવલિંગમાંથી ધુમ્રવાલા પ્રગટી પુનઃ કુમુદચંદ્ર ૧૨ મા કાવ્યમાં અદ્ભુત રસ કરી શ્રી પાર્શ્વદેવનો મહિમા વર્ણન છે. સ્વામીનલ્પ જાહ-કહેતાં શિવલિંગનું તેજ હીણ થયું. પુન: ૧૩મા માં વીરસે કરી પાશ્વદેવનું ધર્મવીરપણું વર્ણવે છે. કેન્સયા–એ કહેતાં શિવલિંગ સ્ફોટ થયો. પિડીઈ વિહા હુઓ(!) તેમાં તત્કાલ શ્રી ધરણેન્દ્ર અને શ્રી પદ્માવતિ સેવિત પુન: પાર્થ જક્ષ વેરાયા દેવીએ યુક્ત શ્રી અવંતિ પાસને બિંબ પ્રગટ થયો. તે દેખી વિક્રમ વિય પામી સકળ મનુષ્યયુક્ત શ્રી પાસ પ્રણમી બેઠો. કુમુદચંદ્ર કહે “હે વિક્રમ! કિંહા એ હરલિંગ અને ક્યાં રાગદેષ વિવજિત એ પરમેશ્વર
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy