________________
૩૨૮
શ્રી જૈન
. ક. હેરલ્ડ. '
તપગચ્છની પટ્ટાવલિ.
૨ સુધર્મની ઉત્પત્તિ
જંબુદ્વિપમાં દક્ષિણા ભરતમાં કુલ્લાગ સંનિવેશ નામે નગરે કે જે ૨૧ કેસ લાંબુ, ૨૧ કેસ પહોળું, અને જેમાં ૪ વર્ણ ૬ દર્શન ૩૬ પાખંડ વસી રહ્યા છે, જ્યાં વેદવ્યાસ થિલ્લવિપ્ર તેની સ્ત્રી ભદિલા (હારિદ્રાયણ ગોત્રથી ઉપજેલી) તેનો પુત્ર ઉત્તરાફાલ્યુન નક્ષત્રે જન્મ પામ્યો. નામ સુધર્મા રાખ્યું. અનુક્રમે યૌવનાવસ્થામાં વક્ષસગોત્રની એક કન્યા પરણાવી તેથી સાંસારિક સુખ ભવવતાં એક પુત્રી થઈ. હવે સુધીમાં ૪ વેદ સાંગેપાંગનો પાઠી છે. તેની પાસે ૫૦૦ વિદ્યાર્થી વાડવસુત વિદ્યાભ્યાસ કરે છે પણ તે સુમંના ચિત્તમાં એક મહાસદેહ છે અને તે સંદેહ શ્રી વીર વચનથી નિઃસંદેહ છે ત્યારે ૫૦૦ છાત્ર યુક્ત ૫૦ વર્ષ ગૃહસ્થપણું ભોગવી સંશયછેદક શ્રી વીર હસ્તે દીક્ષા લીધી, ૪૨ વર્ષ શિષ્યપણે શ્રી વીર વિનય કીધો.
૩. જબુસ્વામિ,
ઉત્પત્તિ. પૂર્વ દિશામાં મગધદેશ વત્સ ભૂમિ રાજગૃહિ નગરી કાશ્યપ ચેત્રે શ્રેષ્ઠી રાષભદત્ત અને તેની સ્ત્રી ધારણથી ૫ મા બ્રહ્મ દેવલકથી ચ્યવીને પુત્રપણે ધારણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. ધારણીને સ્વપ્ન લાધ્યું કે જંબુવક્ષ ફો કુલ્ય છે. આ એંધાણથી જંબુકમાર નામ આપ્યું. અનુક્રમે ૧૬ વર્ષ થયા ત્યારે સુધર્મા સ્વામી કેવલી વિચરતા આવ્યા તેના મુખે ધર્મોપદેશ સાંભળી લઘુકમ જીવ જંબુકમારે ચોથું વ્રત આદર્યું સુધર્મા કેવલીએ વિહાર કર્યો. પુત્રને ભોગ સમર્થ જાણ વારંવાર સંસારમાં પડવા માતપિતા કહે પણ જંબુ પાણિગ્રહણ વાંછે નહિ. માતપિતાને હર્ષ પૂર્ણ કરવા ઘણા આગ્રહથી ઉત્તમ વ્યવહારિયાની પુત્રી સાથે પરણાવ્યું પણ તે સાથે સ્નેહદૃષ્ટિ માંડે નહિ. સંસારિક મૃદુવચન બોલે નહિ.
हावो मुखविकारः स्यात् भावो चित्तसमुद्भवः ।
विलासो नेत्रजो ज्ञेयो विभ्रमो भ्रूसमुद्भवः ॥ ન આવી આવી કામ ચેષ્ટાથી અંગ દેખાડે પણ જખું દ્રષ્ટિ જોડે નહિ. એવામાં ઘણા મનુષ્યના મુખથી જંબુ ઘેર ઇટ કોડ સુવણંદ્રવ્ય આવ્યા સાંભળી પ્રભવ નામને ચોર પાણિવી ૪૯ ચોર લઈ રાત્રે જંબુ ઘેર દ્રવ્ય લેવા પેઠે. ઘરના છુટક ચોકમાં દ્રવ્યને ઢગ કરેલો જોઈ અવસ્થાપિની વિદ્યાથી સકલ ઘરના મનુષ્યને નિદ્રામાં નાખ્યા. પછી તાલઘાટિની વિધાથી તાળું ઉધાડી ગુહાધીશની પેઠે અબીહ થકા દ્રવ્યની ગાંઠડી બાંધી સાથે મુકી ૪૮. ચાર સહર્ષ ચિત્તથી સ્વસ્થાને જવા ઉધુક્ત થયા એટલામાં જબુના શીલ ધર્મના મહિમાથી શાસન દેવીએ સ્તંભની પેઠે તેમને નિશ્ચલ કરી દીધા અને જંબું તદ્ભવ મોક્ષપામી છે તેથી અવસ્થાપિની નિદ્રા ન આવી એટલે પ્રભવ મેડીએ ચડયો અને જોયું તો રંગશાલામાં જંબુ નવોઢા સ્ત્રીઓને ઉપદેશ રૂપ દષ્ટાંત કહી સમજાવે છે, અને પ્રતિબંધ છે. આ જંબુ વચન સાંભળી સ્ત્રી પણ પ્રત્યુત્તર રૂપે દ્રષ્ટાંત કહે છે. પણ સંસાર વિરક્ત થકા દ્રવ્યના ઢગ ચોર લે છે તે સામું જોતા નથી. આ મોટું અચરજ જોઈ લઘુકર્મી