________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૫
-
-
w
ખાસ નિયમ કરેલા છે. આવી સ્થિતિ હોવાથી બ્રાહ્મણે અપભ્રંશ ગુજરાતી ભાષાથી અજ્ઞાત રહ્યા હતા પણ જૈન તીર્થકર ભગવાને તો દેશ ભાષામાં જ ઉપદેશ દેતા હતા. જૈનોની માતૃભાષા-ગુજરાતીનું પ્રથમ વ્યાકરણ પણ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજીએ રચેલું છે. જૈન સૂત્રોમાં પણ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે જે આ લેખને અંતે આપેલું છે. જૈનેએ દેશભાષાને ઘણી જ મહત્વની ગણેલી છે.
આ પુરાવા ઉપરથી ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો જૈનો જ છે પણ બીજા કોઈ નથી એ સિદ્ધ થાય છે. પ્રાચીન કાળમાં ગુજરાત --કાઠિવાડમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ધનાઢય જૈન, વેપારી જેન, કાર્યભારીઓ જેન, સાહિત્યકાર જૈન, અક્કલબાજ જૈન, સર્વ ત્યાગી પણ જેન-સાધુ-એમ જૈનોનો સર્વત્ર દિગ્વિજય હતે. બ્રાહ્મણનું પ્રાબલ્ય ન હતું, અપભ્રંશ બોલે તે મ્લેચ્છ થઈ જાય એવી રૂઢિ હતી, બ્રાહ્મણે ફક્ત સંસ્કૃતને જ ઉત્તેજન આપતા હતા, બ્રાહ્મણો આ દેશમાં હતા પણ મૂઠીભર.
અનેક આફતમાં પણ જેને પિતાનું ભાષા સાહિત્ય અભંગપણે ખેડતાજ રહ્યા છે જેથી આજે ચોવીસ વર્ષથી તે આજ સુધીનું અવિચ્છિન્ન ગુજરાતી ભાષાનું સાહિત્ય મહાન જથામાં જગત સન્મુખ રજુ કરી શકે છે.
ગુજરાત શાળા પત્રના સને ૧૮૧૩ ની સાલના જુનથી અગષ્ટ માસ સુધીના અંકમાં ભાષાની વાનગી આપીને પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જૈન પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદકો જૈનાજ છે એમ સિદ્ધ કીધુ હતું એવા જ પ્રકારની પણ બીજી વાનગી ભાષા શોખીનેના વિનોદને અર્થે અત્ર આપીએ છીએ. એથી કાલક્રમે ભાષા કેવા કેવા વિકાર પામી હતી તે સહજ રીતે નિર્પક્ષપાતીઓ સમજી શકશે.
જેન સુત્રોમાં સૌથી જૂનું આચારાંગ સૂત્ર છે કારણ કે પીસતાલીસ સૂત્રોમાં તેની ભાષા સૌથી જૂની અને કંઈક જુદી છે. આચારાંગ સૂત્ર:
'जहा अंतो तहा बाहिं जहा बाहिं तहा अंतो' 'जे अणण्णदंसी से अणण्णारामे, जे अणण्णरामे से अणण्णदंसी' સુર પુખ વહે ળ મુદ્દે 'सुता अमुणि सया मुणिणो सयाजागरंति' ' अकम्मस्स ववहारो ण विज्जति कम्मणा उवाहिजायति'.
સંપત્તી જ રાતિ પા” 'पुरिसा तुममेव तुमं मित्तं किं बहिया मित्त मिच्छसि' 'जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एगं जाणई । 'सव्वतो पमत्तस्स भयं सव्वतो अपमत्तस्स णत्थि भयं' 'जे एगं णामे से बह णामे जे बहू गामे से एगं णामे'
.