________________
૨૮૮
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
વખતે જેવી ભાષા ખેલાતી હતી તે વખતની તેવી ભાષા પ્રત્યક્ષ જણાઇ આવે છે, અને મીરાંબાઈ વગેરેની ભાષામાં તેમના અનુયાયીઓએ પાછળથી ફેરફાર કરેલે છે એ પણ સાક્ષરાના અભિપ્રાયથી સિદ્ધ થાય છે.
tr
આગળ જતાં રા. અ. હરગોવિંદદાસ ભાઇ લખે છે કે ગુજરાત શાળામાં સંવત્ પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત્ ૧૧૦૦ સુધીમાં જે દૃષ્ટાંતા આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી પરંતુ જૈનાની પ્રાકૃત છે” આમાં તા સ્પષ્ટજ છે કે પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ અને તેનું રૂપાંતર તે ગુજરાતી ભાષા છે. સૂત્રેામાં દેશભાષા એટલે અપભ્રંશ ભાષા જ છે અને અંદર ભાગધી, સ’સ્કૃત, સારસની વગેરે ભાષાનું ભરણું છે. જીએ આચારાંગ સૂત્રની ભાષા ને હળ જ્ઞાળ, તે सव्वं जाणइ ” જે એક આત્મતત્ત્વને જાણે છે તે સર્વને જાણે છે. આ વાક્ય તે વખ તની દેશભાષાનુંજ છે.
સંવત્ ૧૩૧૫ની સાલના રાસને માટે ટીકા કરતાં રા. . હરગોવિંદદાસ ભાઇ જણાવે છે કે સને ૧૩૧૫ ના રાસે તે વખતે ચાલતી ગુજરાતીમાં છે.” આ જોતાં પણ્ નરસિ’હ મહેતા કે જેને સંવત્ ૧૫૧૫ ની સાલમાં હાર મળ્યા હતા અને ત્યારથીજ મુખ્યત્વે એમની ખ્યાતિ થઈ હતી તે કરતાં ૨૦૦ વર્ષે પ્રાચીન છે. અર્થાત્ નરસિ ંહ મહેતા કરતાં ૧૩૧૫ ની સાલના જૈન રાસેા ખસે વર્ષે જૂના છે એટલે કે નરસિંહ મહેતા કરતાં પણ જાએ ગુજરાતી કાવ્યા ધણા પ્રાચીન કાળથી બનાવી રાખેલાં છે.
જૈનાની કવિતા લણીજ રસપૂર્ણ છે તેને માટે રાવબહાદુર હરગોવિંદદાસ ભાઇ પણ ખૂલત આપે છે કે “ જેઓ એમ કહે છે કે જૈન કવિતા રસ ભરી છે એમ તેા કહે. વાયજ નહિ તેઓએ જૈન ગ્રંથાના સારા અભ્યાસ કર્યા નહિ હશે એમ લાગે છે. શીલવતો રાસાના વિવેચનમાં જણાવેલું છે કે આ કથાએ ઘણી રસભરી અને મનેાર જક હાય છે. કવિની વન શૈલી તથા સુબ્રટિત અલંકાર રસ જમાવવાની છટા પણ સારી છે.”
જૈન સાધુઓએ ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા બજાવેલી છે તેની તારી કરતાં મુંબઇ સ્મોલકોઝ કોર્ટના જડજ સાહેબ સાક્ષરશ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી એમ. એ. એલ. એલ. બી. કહે છે કે “ જુના વખતમાં જૈન સાહિત્યકારાની કલમે જે કામ કર્યું છે તેને અંગે થએલા લાભ અત્યાર પહેલાં પ્રતિષ્ઠિત જૈનેતર સાક્ષરોએ એક અવાજે કબૂલ રાખ્યા છે. કેટલાએક જૈન સાધુએટની કૃતિને લીધેજ મુસલમાની દ્રોહના નિસ્તેજ સમયમાં ગુજ રાતી સાહિત્ય રૂપી દીપ પ્રકાશિત રહેલા. ઇતિહાસ, ફિલસુફ્રી, નીતિ, ધર્મ વગેરે ઘણા વિષયાતે જૈન લેખકાએ ખેડેલા છે.”
જૈનાએ શબ્દ સાહિત્યને માટે જે અગત્યના ભાગ ભજવેલા છે. તેને માટે રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ લખે છે કે “ પૂ કાળમાં પ્રચલિત ભાષાનું શબ્દ સાહિત્ય વધારવામાં જૈનમે અને જૈનધર્મીઓએ અગત્યના ભાગ લીધા હતા અને તેના સસ્કારી અત્યારે ગુજરાતી ભાષામાં રહ્યા હોવાનુ સ્પષ્ટ જણાઇ આવે છે.”
જૈનધર્મ અને જૈનસાહિત્યના સંબંધમાં પ્રેફેસર નરભેશકર પ્રાણજીવન વે એમ. એ. લખે છે કે “ બ્રાહ્મણુ વ બહુ જ આગળ આવ્યા, કારણુ કે એ વર્ગ વિના યજ્ઞ