________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૫. પ્રશંસનીય સેવા બજાવી છે, પણ તેથી કાંઈ “પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તો જેની. ઓ પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો જેનો જ છે ” એ અચલ સિદ્ધાંતને હાનિ નથી પણ પુષ્ટિ મળે છે.
આઠમી સદી પછી ગુજરાતનું રાજ્ય મંડાયું અને ઇતર સ્થળેથી લોકે આવીને વસ્યા, દેશભાષાનું વ્યાકરણ જૈન પંડિત હેમચંદ્ર પ્રથમ લખ્યું. એના સંબંધમાં સ્વર્ગીય કવિ નર્મદાશંકર લાલશંકર લખે છે કે “સંવત ૮૦૨ માં ગુજરાતનું રાજ્ય મંડાયું તેવામાં તે પ્રદેશની લોકભાષા તે પ્રાકૃત વિશેષ પ્રાપ્ત સંજ્ઞાની હતી. પછી ઉત્તર હિંદુસ્તાન તથા કચ્છ ભણીથી ધણુક લોક આવી વસ્યા; અને રાજ્યની સરહદ વધવાથી મેવાડ, માળવા, લાટ એ દેશના લોક ૫ણું સંબંધી થયા. એ કારણથી ગુજરાતમાં બોલાતી પ્રાકૃતમાં કેટલુક મિશ્રણ થતું ચાલ્યું અને પછી પંડિત હેમચંદ્ર સંશોધન કરી પિતાના સમયની ગુજરાતીમાં બોલાતી લોકભાષાને શ્રદ્ધા એ નામ આપ્યું,-જેમ માગધી, શૌરસેની, પિશાચી તેમ અપભ્રંશ—અને તેનું વ્યાકરણ રચ્યું.” આથી પણ સિદ્ધ થાય છે કે જેન પંડિત હેમચંદ્રની પહેલાં બ્રાહ્મણ ધર્મમાં કોઈ પણ ગુજરાતી ભાષાની સેવા બજાવનાર થયે નથી અર્થાત સૌથી પહેલી ગુજરાતી ભાષાની સેવા બજાવનાર પણ જેને જ છે.
જેનોની સંખ્યા પ્રાચીન કાળમાં ઘણી હતી અને તે લોકો જે ભાષા બોલતા હતા તેજ ભાષા ગુજરાતી ભાષા તરીકે સંવત ૧૩૫૬ પછી પ્રસિદ્ધ થઈ છે. આને માટે કવિ નર્મદાશંકર લખે છે કે “સંવત ૧૩૫૬ પછી મુસલમાની હાકીમાં ગુજરાતની તે ગુજરાતી એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી.” આવી વસ્તુ સ્થિતિ છતાં પાછળથી વલભાચાર્ય વગેરેના આવવાથી જેની વસતી ઘટી ગઈ, પણ ભાષા તો જેનેની મૂળનીજ રહી ગઈ; ધર્મ બદલાયો પણ ભાષા ન બદલાઈ. આમ છતાં પણ રા. બ. હરગોવિંદદાસભાઈ લખે છે કે-“ અન્ય ધર્મીઓ, જેમની સંખ્યા જેનો કરતાં ઘણી મોટી છે, તેઓ તેમને ગુજરાતી ગ્રંથ તરીકે માન્ય ન કરે.” આ લખાણ ઉપરથી તે એ સિદ્ધાંત નીકળે છે કે ભલે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય જેની પાસે જ હોય, ભલે ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો જેનેજ હોય, ભલે ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ જૈન સમર્થ વિદ્વાન હેમચંદ્રાચાર્યજીએ કરેલું હોય, ભલે ગુજરાતી ભાષાને આદિ કવિ ઉદયવંત હોય, ભલે મૂળ ગુજરાતીના આદિ કવિ દેવદ્ધિગણિ ક્ષમા શ્રમણ નામક જૈન મહાત્મા હાય, ભલે પ્રાચીન કાળમાં જેનેનું સામ્રાજ્ય હાય, પણ હાલમાં તે જેની વસતી બીજા ધર્મવાળા કરતાં થોડી હેવાથી, જૈનેની સત્ય વાતને ઘણી વસતીવાળા ધર્મો ગુજરાતી ગ્રંથો તરીકે માન્ય કરતા નથી. આવાં વચન એ વિચાર રહિત વચને જેવાંજ ગણી શકાય. ભલે અન્ય ધર્મવાળા ઘણું રહ્યા પણ તે નવીનજ. જુઓ સ્વામીનારાયણના સંપ્રદાયને ચાલ્યા આજે સો વર્ષ થયાં છે કારણકે તે સંપ્રદાય સ્થાપક શ્રી અક્ષરાતીત પ્રકટ પુરષોત્તમ સહજાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૮૮૬ માં અક્ષરધામમાં પધાર્યા; શ્રી વલ્લભાચાયજીને જન્મ સંવત ૧૫૩૫ માં થયું હતું એટલે કે એ મહાત્માના પ્રાકટયને આજે ૪૩૫ વર્ષ થયાં છે અર્થાત વલ્લભી સંપ્રદાય ૪૦૦ વર્ષ થયાં ચાલ્યો છે; પ્રણામી પંથ ૨૦૦ વર્ષ થયાં ચાલ્યો છે; કબીર પંથ, નાનક પંથ, દાદુ પાથ, ઉદાસી પંથ, ચૈતન્ય પંથ, એ મુસલમાની બાદશાહીના સમયમાં પ્રચલિત થએલા છે; રામાનુજ મત ૧૦૦૦ વર્ષ પહેલાં