SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કોન્ફરન્સ મિશન. ૯૫ તેમજ સ્ત્રીઓએ ટાણું ન ગાવાની બાધાઓ લીધી. બોલેરા–આ ગામના મુખી પટેલ વગેરે રૂબરૂ ભાષણ આપતાં સ્ત્રીઓએ ત્રણ દિવસ બરા બર પાળવા ઘણું માણસોએ નક્કી કર્યું. તેમ તમાકુ ન પીવા પ્રતિજ્ઞાઓ થઈ. ફટાણાં ન ગાવાની કેટલીક બાધાઓ થઈ. ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ, પિસીના–સંપ, ટાણું ન ગાવાં, મૂત્યુ પાછળ ન રડવા કુટવા બાબત તેમજ કેટલીક અગત્યની બાબત વિષે ભાષણો આપતાં નીચે મુજબ ઠરાવ કર્યા. તે ૧. મૃત્યુમાં કાણે જતાં કે આવતાં છાજી કરવાં નહીં. (છાતી મુવી નહી.) ૨. પાંત્રીસ વર્ષની અંદરના મૃત્યુ પાછળ છ માસે સોગ કાઢી નાંખે, ને બૈરાને નવમે માસે ખૂણે છોડ. તેથી મોટી ઉમરનાને ત્રીજે માસે સોગ કાઢી નાખવે. ૩. મરણ પ્રસંગે શબ પછવાડે કુટતાં, પડતાં આખડતાં જવાનો રીવાજબંધ કરવામાં આવ્યો. ૪. લગ્ન પ્રસંગે કે હોળીના તહેવારોમાં ફટાણાં બીલકુલ ગાવાં નહીં. ૫. ચોમાસામાં ચાર લાવવા જંગલમાં જવું નહીં ઉપર પ્રમાણે ઠરાવ પાળવા બરાબર બંદોબસ્ત કરવા નક્કી કરવામાં આવ્યું. લાંબડીઆ-આ ગામે પણ ભાષણોની અસરથી પસીનાના ઠરાવો મુજબ ઠરાવો કરી પાળવા નક્કી કર્યું. - ખેરેજ-કારશ્રીને પત્ર નીચે મુજબ – મારી રૂબરૂ કેટલાક વિષય ચરચાવતાં મી. પુંજાલાલે જીવ હિંસા તેમજ માંસ ભક્ષણની બાબતમાં સારૂં અસરકારક વિવેચન કરવાથી મને ઘણો જ સંતોષ થયો છે જેથી ખુશી થઈ જણાવું છું કે મજકુર ગામે આજ દિનથી નવરાત્રીમાં ૮-૧૦ તથા શ્રાવણ માસે પૂરો અને ભાદરવામાં શુક્લ પક્ષમાં જૈન (વેદી)નાં પર્યુષણ પર્વ હોવાથી તે દિવસમાં તેમ જ દરેક માસમાં અગીઆરસના દિવસે જીવ હિંસા તથા માંસ ભક્ષણ કરવા પ્રતિજ્ઞા લઈ આપને જાહેર કરૂં છું. આપના તરફથી આવાં ઉત્તમ કાર્ય કરવા મારી ભલામણ છે. તા. ૨૩-૧૨-૧૩.ગામ લોકોને એકત્ર કરી જુદા જુદા વિષયો ઉપર ભાષણો આપતાં નીચે મુજબ ઠરાવો આપણા જૈન બંધુઓએ કર્યા છે. તે ૧'' એક માસમાં દસ તિથિ-( બીજ, પાંચમ, આઠમ, અગીઆર, દશ ) કોઈએ ઘાસ કાપવા જવું નહીં. ૨ પાડાઓને ઉછેરી મોટા કરી વેચવા નહીં. હળ હાંકવા આપવા તેના કાંડાના પૈસા જીવ દયામાં વાપરવા. ૩ મરણ પછવાડેના ઠરાવમાં પસીનાના ઠરાવ મુજબ ઠરાવ કર્યો છે. ૪ લગ્ન પ્રસંગે કે હળીમાં ફટાણાં ગાવાં નહીં. ઉપરના ઠરાવો બરાબર પાળવા નક્કી કર્યું. वीकरणी-मेवाड-कन्या विक्रय, कजोडां नुकसान कारक रीवाज, लग्न प्रसंगे के होलीमां बूरां गीतो, जीवदया बगेरे बाबतो उपर घणी सारी रीते भाषणो आपवामां आवतां नीजे मुजब ठरावो थया.
SR No.536611
Book TitleJain Shwetambar Conference Herald 1914 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1914
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy