SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv એક “આગના તણખા'ના “ભયંકર અને. ૩૩૯ શું હમે પ્રચલિત નીતિના ભેગે વ્યવહાર” ધર્મનું રક્ષણ ઈચ્છતા નથી? અને શું હમે “નિશ્રયને લક્ષબિંદુ માનીને વ્યવહાર સેવ” એવા શાસ્ત્રવચનને દુરૂગ કરતા નથી ? શું હમે ધર્મી પણાને દેખાવ કરવામાં જ ધમપણાની ગેરહાજરી સાબીત કરતા નથી? શું હમે બળવાનપણું બતાવવા ખાતર કરાતા યુદ્ધ દ્વારા જ ધાર્મિક નિર્બળતા હાર પાડતા નથી ? શું હમે– પણ અહીં હું ભીશ; કારણ કે આ બધા પ્રશ્રને હું હમને કેવી રીતે લાગુ પાડું ! તે હમે મને પૂછયા વગર નહિ જ રહે એ હું જાણું છું. હું ખુલાસો કરીશ. કૃપા કરી આ દુઃખી કમનશીબ આર્યાવર્ત તરફ દષ્ટિ કરો. હમારાં શાસે જે આર્યદેશને અધ્યાત્મ જ્ઞાનના ભંડાર છે કે, લક્ષ્મીદેવીના નિવાસ તરીકે, ક્ષત્રિય જુસ્સાની જન્મભૂમિ તરીકે, જમીન, પાણી અને આસમાન પર વિજય મેળવનાર વિદ્યાઓના પાયતઃખ તરીકે, સ્વતંત્રતાની દેવી તરીકે બાઈ બતાવ્યું છે તે દેશની–તે આર્યાવર્તન આજની સ્થિતિનું, દાદાભાઈ નવરોજી , એનીબી સાંટના મુખથી કે કલમથી થતું વર્ણન છે હમે સાંભળ્યું કે વાંચ્યું નથી? કમકમાટી ઉપજે એટલી એની ગરીબાઈ, નબળાઈ, બીમારી, બુદ્ધિમંદતા, જડતા, નિર્માલ્યતા, ઉત્પાદક શક્તિઓ અને ઉત્પાદક સાધનો ક્ષય, ઇત્યાદિ ઈ શક્તા નથી ? આ સઘળું કરે છે માણસમાં રહેટી ગયેલું ભૂત દૂર કરવા માટે કેટલાક દિ'એ ભગીરથ પ્રયાસ આદર્યો છે એ હમે શું જાણવાની દરકાર કરતા નથી ? એ દેવે હિંદમાતાને પુનઃ જાહેરજલાલ વાળી ભૂમિ બનાવવા માટે જે જીવલેણુ મહેનત કરી ૬ હ્યા છે હેમાં શામેલ થવા હમને– ને અને સર્વને તેઓ પિકારી રહ્યા છે, છતાં એ કાર તરફ શું હમે હમેશ બહેરા કાન જ કર્યા કરશે ? તેઓ ગર્જના કરીને કહી રહ્યા છે કે, અમારા દેશને આબાદ કરવા માટે પ્રથમ ઐક્ય જોઈએ છે અને અકબળથી પછી અમારે નિરૂધમતા અને અજ્ઞાનનાને આ દેશમાંથી હાંકી કહાડવી છે. હમે એ 'ની અપીલ સાંભળવા હજી સુધી હાં તૈયાર થયા છે? જરાસરખા પૂજનવિધિના (ફાવત માટે હમે તે લડવા-ઝગડવા તૈયાર થાઓ છે. મિથ્યાત્વની વિચિત્ર વ્યાખ્યા ને પકડી લઈ હમારા સિવાયના આખા દેશને મિથ્યાત્વી માની તેઓથી દૂર રહેવાને ઉપદેશ થવા દે છે, દેશની વાતને વેગળી રાખી અહેરાત્રિ માત્ર એક ફીરકાની જ-રે એક ફિરકાના પણ એક પેટાવર્ગની જ વાતમાં મશગુલ રહે છે. કહે હવે હિંદમાતાને ઉદ્ધાર કરવા મથતા દે' હમારે માટે શું ધારશે? પૂજન એ વ્યવહારધર્મ છે, નિશ્ચયધર્મ નથી, એમ તે હમે કબુલ કરે છે; અને છે છતાં અમુક પ્રકારના પૂજન ખાતર જૂદી રીતે પૂજન કરનાર સાથે લડવામાં હમારા કિમતી સમયને અને દેશને વિદ્યા- માં આગળ વધારવામાં જે લક્ષ્મીની જરૂર છે તે જમીને વ્યય કરી નાખે છે. પૂજન કરે, ખુશીથી અને ઉત્સાહથી હમારી પિતાની જે રીતે પૂજન કરો અને તે પૂજનમાંથી પૂજ્ય તાવનું બલ અને જ્ઞાન અને ચારિત્ર સંપાદન કરી બલવાન બને, પણ જનવિધિને પરસ્પરના બલનું બલીદાન કરાવનાર
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy