SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. ૨૫૩ - ~~~- - શ્રાવક વ્રતને દેશવિરતિ ( અમુક અંશે ત્યાગ ) જણાવ્યું અને સર્વ વિરતિ સાધુના વ્રત તરીકે જણુવ્યું, અને મેક્ષ પામવા માટે સાધુવ્રત સામાન્ય અપેક્ષાએ આવશ્યક ગણ્યું, પરંતુ તેથી એમ ઠરતું નથી કે સાધુવ્રત લીધાધના–સાધુને વેષ ધર્યાવિના મોક્ષે જઈ જ ન શકાય. આ ત્યાગમાં આત્મજ્ઞાન તે હોવું જ જોઈએ, નહિતો ક્રિયા જડતા આવે છે. તેજ માટે સમ્યકત્વની શરૂઆત થા ગુણસ્થાનથી–દેશવિરતિ ગુણસ્થાનથી કહી છે. સમ્યકત્વ એટલે બોધિબીજ એટલે આત્મજ્ઞાન. બાકી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી માતપિતા આદિ સ્વજનો પ્રેમ-સાંસારિક પ્રેમથી બંધાયેલા છે અને તે નિર્વહ અને નિભાવ જોઈએ. જે કેદડી-- પિતા પુત્ર માત પત્ની ને સંસાર, દિસે પ્રેમ વડે દીપ ઝગાર, તુટયો પ્રેમ ફીટી જાય છે સંસાર, પરબ્રહ્મ તણું યોજના અપાર. ' મણિલાલ નભુભાઇ, આ પ્રેમ સત્યમાં રહીને નિભાવી શકે તે સારૂં, નહિતો સત્યમાં જ રત થઈ તેને નિભાવવું વધારે બહેતર છે ત્યાં આત્માને શક્તિ–પરમાત્માની ઝાંખી સ્થાયી છે. દેખી બૂરાઇને ના ડરું હું શી ફિકર છે પાપની ? ધોવા બૂરાઇને બધે, ગંગા વહે છે આપની જ્યાં જ્યાં નઝર મારી ઠરે. કલાપી. બુરાઈની દરકાર નથી કારણ કે તે પણ કરી શકતી નથી; પાપ થતું નથી કારણ કે બુરાઈ વગર તે નિપજી શકતું નથી. બાકી લોકે ભલેને નિદે. છે મારા બેંધે ગુન્હાઓ, નિંદને દફતરી, પણ મસ્ત તુજ દરબારમાં આવ્યા વિના ગમતું નથી. આ દરબાર એજ સત્ય છે સત્યને નાક્ષાત્કારની ભૂમિ છે. બુરાઈ છોડી દેવી–તેને સવવ ત્યાગ કરવો એજ અભ્યર્થના છે. કારણકે તેજ આસક્તિ છે-તેજ સર્વ કર્મબંધનનું કારણ છે, તે અસત છે. સર્વ માલીઆઓ એજ બંદગી કરે છે કે – મહેબત ગએર મેરી, છુડાદો યા રસુલું લીલ્લાહ, . મુઝે અપના યે દીવાના, બનાદ યા રસુલ લીલ્લાહ. લગા તાકીયે ગુનાહુ કે, પડા દિનરાત સેતા , મૂઝે ઇસ ખ્વાબ ગફલતભેં, જગાદો યા રસુલું લીલ્લાહયહી હૈ આરજુ દિલફેં, તુમ નામકી તસબીર; કરૂં કુછ કામ દુનિયામેં, કે જારી યા રસુલ લીલ્લાહ. આ બાબતમાં જરા ભેદ છે તે જણાવી દઉં છું. માતપિતા આદિ સ્વજનમાં ડૂબેલા માણસે તેઓમાં રહેલ આસક્તિ છોડવી એ એક જૂદી બાબત છે, અને માતપિતા આદિ સત્યની આડે આવતા હોય તે એક જૂદી બાબત છે. હવે માતપિતા આદિ સ્વજનને ત્યાગ અને શરીરના અવયવોને ત્યાગ એ બન્નેને ભેદ છે. એક આપણે દેહથી અલગની વસ્તુઓ છે ત્યારે બીજા આપણા દેહની સાથેજ રહેલા છે કે જેને ત્યાગ કરે તે દેહને દુભવવા, કાપવા બરાબર છે, દેહના અવયવો
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy