SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. આ લેખના લેખક મુવિને આ મહાકવિના ધનપાલના સમયપરત્વે કંઇ લખવાની વિનતિ કરતાં તે જે લખે છે તે ઉપયેાગી હાવાથી અમે અત્ર નોંધીએ છીએઃ— ધનપાલનું ઐતિહાસિક દૃષ્ટિએ ઈતિવૃત્ત લખવા પ્રથમ વિચાર હતા પરંતુ પ્રસ્તુત લેખના લંબાણના લીધે તેમજ સમયના અભાવના લીધે તુરતમાં તેમ કરવા અશક્ત છું. ધનપાલના જીવનની સાથે બીજી પણ કેટલીક ઉપયોગી વસ્તુ વિચારવા જેવી હાવાથી અવસરે તે સ ંબધમાં પૃથકજ લખવા વિચાર છે. શું મ્હેં આ વિષયના પ્રસ્તુત લેખમાં કોઇ કાણે નેટ લખી નથી ? કદાચ ભૂલમાં રહી ગઇ લાગે છે. નહી તેા એ વિચાર મ્હારા મનમાં પ્રથમ જ આવેલો છે. ધનપાલના જીવન સાથે તેના સમકાલીન ભારતીય વિદ્યાનેાના પરિચય, જૈનસમાજની સામાજિક અને સાહિત્ય વિષયક પરિસ્થિતિ, કવિના કરેલાં ખીજા ગ્રન્થેા, તેમની અંદર કવિતી અકાએલી વિચારાકૃતિએ ઇત્યાદિ વષયા પણ ચર્ચવા જેવા છે. પર૦ કવીશ્વરે અપભ્રંશ ભાષામાં શ્રુત પંચમીની કથા બનાવેલી છે સાહિત્યની દૃષ્ટિએ તે પુસ્તક પણ તિલકમજરી સમાનજ વિવેચનીય છે. કાલના ગાલમાં ગઈ થતા અપાર એવા અપભ્રંશ ભાષાસાહિત્યમાં આ એક જ સ્તંભ જીર્ણ અવસ્થામાં પણ આપણી દૃષ્ટિને આકર્ષે છે. એની ડગમગતી અવસ્થાને ટેકા આપી, સ્મારક કરી, પૃથ્વીના પેટમાં જતાં અટકાવવું જોઇએ. આ સિવાય રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M. A. એ તિલકમ'જરીમાંના ૩વિએ એ મથાળાથી, જૈન અડવેકેટ જાન્યુઆરી ૧૯૧૪ ના તથા તે પછીના અંકમાં પ્રગટ કરાવેલા લેખ જોઇ જવા વાંચકાને ભલામણ કરીએ. -તત્રી. હરિભદ્ર સૂરીના સમય. સુરતથી આનદ્ન સાગર શ્રી ભાવનગર મુશ્રાવક મેાતીચંદ્ર ગીરધરયેાગ્ય ધલાભ, ૧ સૂત્રેા પુસ્તકારૂઢ થયાં પહેલાં જો આગમા ન હેાય તેા તમારી ઔદ્યોગિકતાની વધારાપણાની કલ્પના સત્ય ઠરે અને તે તેથી ઘણા પછીના વખતના થાય. જોકે શ્રી હરિભદ્ર સુરિજી પુસ્તકારૂટના કાલ પછી ૬૦-૬૨ વર્ષે કાલ કરેલા હાવાથી તેટલી પેાતાની જીંદગીમાં તે મૂત્રા ઉપર વિવેચન કરવાની તેટલી ઔદ્યોગિકતા કરે તેમાં નવાઇ નથી કારણકે કરેલા વિવેચનને માટેના ૬૦-૬૨ વર્ષને વખત કાંઇ એ કહેવાય નહિ. અને તેટલા વખતમાં તેટલા વિવેચનના અસંભવ કહી શકાયજ નહિ. તમે! યાદ રાખજો કે સાધુઓની જીંદગીનેા મુખ્ય આધાર સૂત્રેા ઉપ જ રહેલા છે. ર અનુકરણ કરનાર સમકાલીનજ હોય એવા નિર્ણય નથી અને જો એમ મનીયે તે હરિભદ્ર સૂરિ સિદ્ધ,િદેવેદ્રસૂરિ અને યશોવિજયજી અનુક્રમે સમરા ત્ય કથા, ઉપમિતિ પ્રપંચ કથા, લઘુપમિતિ અને વૈગ્ય કલ્પલતામાં સરખા ઉપનય કરનાર
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy