________________
૪૦૦
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
નાક સાહીને વેગે' તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છાંટે નવતએાળ, કહે જીવ હશે એમ રેાળ કંઠે ન ધરી એ વરમાળ, ગળે દોર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તેા દુર્ગતિ સાટું થાત લેાક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટે'; ગાંઠે પડતાં સહી બધાણા, દાહિલુ' છુટવુ' છે અહીં જાણેા. અગ્નિ મુજ આણે વશ જ્યારે, નર ચિંતા રે સભારી ત્યારે,
ફેરા દેતા જેણી વાર, ચિંતે કરવું સહી ગતિ ચાર. ચેારી ચારે મન જાણુ, એ દેખાડે ચડું ખાણું, એમ આતમભાવના ભાવે, શુભ ધ્યાને કેવળી થાવે.
4
ભરતની, સ્ત્રીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છેઃ— દંત જિસા દાઢમકળી, અધર પ્રવાળી રગ, એર ઘણી કટી પાતળી, સબળ સુકોમળ અંગ. નકદભ દેવે ઘડયાં, તાસ પયાધર હોય, કમળ નાળ સરખી કહી; નારી બાહુડી હાય. પગ પ'કજનુ જોડલું, જંધા કદળી સ્તંભ, હુ‘સગતિ ચાલે સહી, રૂપે જાણું રંભ. દેવકુમારી પદ્મિની, અંગ વિભૂષણ સાળ, પહેરણુ ચંપા-ચૂંદડી, કાયા કુંકુમ લેાળ. ચરણે નેવર વાજતાં, કટીમેખળ ખલકત, રયણ ઝાલ કાઢે સહી, વાણી મધુર અત્યંત. સાર વસ્તુ જગમાં ઘણી, લીધું તેનું સાર, નારી રત્ન નિપાયું, તિસેા ભરત ભરતાર.
1
८
૯
૧૧
૧૨
—ભરતેશ્વર રાસ,
[ આમાં હમણાંની લગ્નવિધિ સાથેનું સામ્ય ઘણું પરખાય છે. ]
—પૃ. ૩૯-૪૦
આમ અનેક જાતનાં વર્ણન મૂકી શકાશે. હાલ વિસ્તારના ભયથી સાધન સમયના અભાવે જૈનેતર કવિઓનાં કાવ્ય સાથે ઋષભદાસનાં કાવ્યેાની સરખામણી મુલતવી રાખવી યોગ્ય છે. અત્ર કવિ સબ થી ઉપયુકત માહિતીએજ મુખ્યત્વે કરી એકઠી કરી મૂકવામાં આવી છે.
ભાષા સબંધમાં આ કવિ તળપદ ખંભાતનાજ રહીશ શ્રાવક હોવાથી જૈનમુનિમાં રહેતા તેમના ભ્રમણકાળથી જન્મેલ ભાષાભેદ અને ભાષાસાંકયના દોષ-આક્ષેપ તેના પર મૂકી શકાશે કારણકે તેણે પાતાની સવ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાના અભ્યાસ, ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગુજરાતમાં ઇ. સ. સસ્તરમા શતકના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેના ઘણા સારા અને સત્ય ખ્યાલ, આપી શકે તેમ છે.