SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ શ્રાવક-કવિ રાષભદાસ. દ્રાચાર્ય અને વિક્રમ રાજાના પ્રતિબંધક સિદ્ધસેન દિવાકર નામના સંસ્કૃતમાં જૈન મહા કવિઓ તરીકે પ્રસિદ્ધ થયેલાને વખાણ્યા છે, એટલું જ નહિ પરંતુ પિતાના પૂર્વકાલીન જૈન ગુજરાતી કવિઓ પૈકી કેટલાકનાં નામ આપી તેની પાસે પિતાની લઘુતા દર્શાવી છે. આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય લીબો ખીમો ખરે, સકલ કવિની કરતિ કરે. ૫૩ હંસરાજ વાળો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ સમર(?) સુરચંદ શીતલ વચન જિમ શારદચંદ. એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ, સાયર આગલિ સરેવર નીર, કસી તેડિ આવણુ મિ ખીર. પીર પાંડ વૃત સરિષા તેહ, હું સેવક મુઝ ઠાકુર તેહ, તેહનાં નામ તણુઈ જ પસાય, સ્તવીઓ કુમારપાલ નરરાય –કુમારપાલ રાસ. આમાં પૂર્વ સમયનાં જૈન ગુજરાતી કવિઓનાં નામ મળી આવે છે –'લાવણ્યસમય, લીબે, અ. ખીમે, સકલચંદ, હંસરાજ, વાછો (વચ્છ), અદેપાલ, માલ - ૧ સિદ્ધસેન દિવાકર, ઉજ્જયિનીના રાજા વિક્રમદિત્યના પ્રતિબંધક આચાર્ય. તેમણે જૈન ન્યાયને પ્રથમ પદ્ધતિપુરાસર મૂક્યું; કેઇના માનવા પ્રમાણે નવરત્નમાંના ક્ષપણક તે એ હતા. તેમણે ન્યાયાવતાર, સંમતિ તર્ક આદિ ન્યાયના ગ્રંથો અને કલ્યાણમંદિર સ્તોત્ર રમ્યા છે.. ૨ લાવણ્યસમય–તેને વિમલપ્રબંધ રા. શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસે હમણાં મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કર્યો છે. જન્મ સં. ૧૫૨૧, દીક્ષા ૧૫૨૯, પંડિતપદ સં. ૧૫૫૫; તેમણે સં. ૧૫૮૭ માં શત્રુંજ્યના સપ્રમોદ્ધારની પ્રશસ્તિ લખી છે તેની કૃતિઓ વચ્છરાજદેવરાજ રાસ (આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૩ામાં મુદ્રિત)વગેરે અનેક છે. વિસ્તાર માટે જુઓ વિમલપ્રબંધ, તથા આનંદ મ. ૩જાની પ્રસ્તાવના. ૩ અ. ખી–એ શ્રાવક કવિ લાગે છે. તેનું બનાવેલ એક ચૅયવંદન હસ્ત લેખમાં હાથ લાગ્યું છે. સકલચંદ-(વિજયસિંહ સરિના શિષ્ય મુનિ કે જેમણે ઘણી સઝા, સ્તવનાદિ, દાનાદિ રાસ રચ્યા છે. ૪ વાછ–આ વચ૭ ભંડારી હોય તે ના નહિ તેણે નવપલ્લવ પાર્શ્વનાથ કલશ સત્તરભેદી પૂજામાં રચ્યો છે તેની પ્રશસ્તિમાં એવું છે કે ઈએ ભણે વચ્છ ભંડારી નિશદિન, અમ મન એ અરિહંત. . એહવા નીલવરણ નવરંગ જિનેસર જયો જયો જયવંત. ૮ ૫ પાલ–'આદ્રકુમારનું સૂડી આ કવિએ રચ્યું છે તે જોતાં તેની ભાષા ઘણી પ્રાચીન લાગે છે. છેવટે જણાવે છે કે દેપાલ ભણું સૌઝ ગઈલ મુગતિ આપુલી ધાનથી, સકતિ સયલ સંધ પ્રસન. ૬ માલ-માલમુનિ કદાચ હોય. તેની કેટલીક સઝાયો માલુમ પડી છે.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy