________________
wwww
૩૮૬
શ્રી જૈન શ્વે. કે. હેડ. (મુનિ ?), હેમ, સુસાધુ, હંસ, સમયસુંદર (0) સુરચંદ વગેરે. આ સર્વને બુદ્ધિ વિશાલ જણાવી તેમની પાસે પિતે મૂર્ખ બાલક છે એવું કહી વિનય સાચવે છે એટલું જ નહિ, પરંતુ સરસ્વતી દેવીને સ્તુતિ કે જે પિતાના દરેક ગ્રંથમાં કરે છે તે કરતાં તેમની સહાયતા માંગવા પિતાની અતિશય દીનતા, લઘુતા, અને અજ્ઞાનતા દર્શાવે છે –
સમરૂં સરસતિ ભગવતી, સમર્યા કરજે સાર, હું મૂરિખ મતિ કેલવું, તે તારો આધાર પિંગલ ભેદ ન ઓળખું વ્યક્તિ નહી વ્યાકર્ણ, મરીખમંડણ માનવી, હું એવું તુજ ચર્ણ.
–કુમારપાલ રાસ. કવિની કૃતિઓ
કવિઓની કૃતિઓ ઘણી હોવી જોઈએ એવું તેની ઉપલબ્ધ કૃતિઓ તથા જૂદા જૂદા ભંડારીની ટીપે પરથી માલૂમ પડતું હતું, પરંતુ તેનું સંપૂર્ણ લિસ્ટ નહિ મળતું હતુ. તેની સંખ્યા કેટલી છે તે હીરવિજ્યસૂરિ રાપરથી સુભાગે મળી આવે છે
તવન અદાવન ચોત્રીસ રાસો, પુણ્ય પર્યો દીઈ બહુ સુખવાસો,
ગીત થઈ નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિ લખી સાધુનિ દીધા.
આ પરથી જણાય છે કે તેણે ૫૮ સ્તવન, ૩૪ રાસાઓ રચ્યાં હતાં અને તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે અનેક બનાવ્યાં હતાં. આ સર્વ પુણ્યાથે લખી સાધુએને આપી દીધાં હતાં.
આ પર વિશેષ શેધ કરત રા. મણિલાલ બોરભાઈ વ્યાસ પાસેથી હીરવિજય સૂરિના બારબેલના રાસની તેમણે ઉતારેલી પ્રત મળી કે જેની અંતે તેની કૃતિની ગાથાવાર ટીપ નીચે પ્રમાણે આપેલ છે -(આમાં સાલસંવત મૂલ જોઈને તથા બીજા આધારથી મેં પૂર્યા છે.)
૨ “સંઘવી રીષભત રાસની ટીપ લખી છ–
૧ સમયસુંદર–ખરતર જિનચંદ્ર સૂરિના શિયશ્રી સકલચંદ મુનિના શિષ્ય. તેઓ ઋષભદાસના સમકાલીન હતા. તે જૂનામાં જૂની કૃતિ સં. ૧૬૫૦ની નામે શાંબ પ્રદ્યુમ્નરાસ મળી આવે છે, બીજી કૃતિઓ નામે પ્રિયમેલકરાસ સં. ૧૬૭૨, નલદમયંતી રાસ સં. ૧૬૭૩, વલ્કલચીરી ચોપઇ (રાસ) સ. ૧૬૮૧, દાનશીલ તપભાવના રાસ સં, ૧૬૮૨, શેત્રુંજય રાસ સં. ૧૬૮૨, વગેરે માલૂમ પડે છે. તેમને મુખ્યત્વે વિહાર મરૂદેશમાં થયે છે.
૨ શ્રેણિક રાસની એક પ્રતમાંપણ ટીપ આપી છે તેમાં જે રાસનાં નામનો ઉલ્લેખ નથી અને આ ટીપમાં છે તેનાં નામ: મલ્લિનાથ રાસ, હીરવિજયસૂરિને રાસ, પુણ્યપ્રશંસા રાસ ગીત, હરિયાલી. અને શ્રેણિકરાસની ટીપમાં છે અને આ ટીપમાં નથી તે રહિણીઓને રાસ ગાથા ૨૫૦૦, તીર્થંકર ૨૪ના કવિત છે.