________________
3८४
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
પરંતુ સ્પષ્ટ રીતે જણાવે છે કે ખરો કવિ અને કહેવાતા કવિમાં આસમાન જમીનને ફેર છે. જુઓ - આનંદ ભયો કવી નામથીએ,
તુમ કહી મેટા હોય;
કવિપદ પૂજિયે એ. હું મૂરખ તુમ આગળ એ, તમ બુદ્ધિસાગર જોય– કવિપદ, ૧
ક્યાં હસ્તિ ક્યાં વાંછેડો એ, ક્યાં ખાસર ને ચીર કયાં બંટીની રાબડી, કયાં ધૃત સાકર ખીર– કવિપદ. ૨ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મળે ખજુઓ સુર. . ક્યાં કલ્પદ્રુમ ખીજડો એ, વાહું ગંગા પૂર,
કવિપદ. ૩ નામે સરીખા બેહ જણાએ. બેહનાં વયે નામ, નામે અર્થ ન નીપજે એ, જગમાં ઝઝા રામ. કવિપદ. ૪ ગજકંઠે ઘેટા ભલીએ, વૃષભ ગળે ઘંટાય, તિણ કારણે વૃષભો વળી એ, ગજની તોલે ન થાય- કવિપદ ૫ ચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહિ, ગરૂડ ચીડી બેઉ પંખીઆ એ, પ્રાક્રમ સરખું ક્યાંહિ ?– કવિપદ. ૬ મહાનગર ને ગામડું એ, બેહને કહિયે ગામ, હેમ પીતળ પીળાં સહીએ, જુજુઆ છે ગુણગ્રામ- કવિપદ ૭ તાર્યકર નર અવરને એ, માનવ સહી કહેવાય, તત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય
કવિપદ ૮ લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિયે કેટ, એહમાં અંતર અતિ ઘણોએ, જિમ ઘઉં બાજર લેટ- કવિપદ. ૯ હેમાચાર્ય પ્રમુખ કવીએ, મહકિવી તસનામ, સિદ્ધસેન દિવાકરૂ એ, જિણે કીધાં બહુ કામ
કવિપદ ૧૦ વિક્રમરાય પ્રતિધિય એ, બહુ વરતે દાન, ઇસા કવિપદરેણુકા એ, હું નહીં તેહ સમાન
કવિપદ. ૧૧ ઇસા કવિના વચનથી એ, સુણત હુએ કાંઈ જાણું, બોલ વિચાર હરખે કહ્યું , કરી કવિજન પ્રણામ કવિપદ. ૧૨
' –ભરતેશ્વર બાહુબળી રાસ પૃ. ૯૭-૯૮ આ ઉપરથી જણાય છે કે કવિને ઉચ્ચ ખ્યાલ ઋષભદાસને પળ પળે હતો “વિબુધ કરીના નામથી, હુઓ મુજ અતિ આનંદ” એમ જણાવી કવિના નામથી પિતે “ કવિ ” તરીકે ઓળખાઈ આનંદ લેવામાં આવતો. આમાં કુમારપાળ રાજાના પ્રતિબોધક હેમચં.
* હેમચંદ્રાચાર્ય_“અપભ્રંશ કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિ પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિનિ. એ સમર્થ ગુર્જર ગ્રંથકારને સમય ઈ.સ. ૧૦૮૮-૧૧૭ર છે.” તેઓ ગુજરાતના રાજન બિદ્ધરાજના સમયમાં હતા, પછીના કુમારપાળ રાજનના ગુરૂ હતા (સંક્ષિપ્ત ચરિત્ર માટે જુઓ યોગશાસ્ત્ર-મુંબઈ માંગરોળ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલ ગ્રંથ.).