________________
શ્રાવક-કવિ કષભદાસ.
૩૮૩
तद्दुःखाई प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्यं पादं सुपदरचितान्मेघदुताद् गृहीत्वा। श्रीमन्नेमेश्वरितविशदं सांगणस्यांगजन्मा
चक्रे काव्यं बुधजनमनःप्रीतयेविक्रमाख्यः ॥ –કવિવર કાલિદાસના નિર્માણ કરેલા અને સુંદર પદેથી રચેલા મેઘદૂત કાવ્યના ચોથા ચોથા ચરણોને લઈને સાંગણના પુત્ર વિક્રમ કવિએ બુદ્ધિમાનના ચિત્ત પ્રસન્ન કરવા અર્થે આ શ્રી નેમિનાથનું નિર્મલ ચરિત્ર રચ્યું કે જે રાજીમતિના દુખથી આર્દ છે. +
–નેમિચરિત પૃ. ૫૮-૫૮ [ આમાં સંવત વર્ષ નથી આપેલ તેથી કહી શકાતું નથી, છતાં સાંગણું સુત વિક્રમ એવી ઓળખાણુપરથી તે બાવક હોવાનું માલૂમ પડે છે તદુપરાંત ઋષભદાસ કવિ પોતે સંસ્કૃત ભાષાના નિપુણ જાણકાર હતા એ તેમણે પિતાની ગુજરાતી કૃતિઓ માટે વસ્તુઓ સંસ્કૃત કાવ્યો પરથી તેમજ સંસ્કૃત ગધપરથી લીધેલ છે. તેથી પ્રતિત થાય છે, તેમજ તેને બંધવ હતો એ પણ ઉપર કહેવાઈ ગયું તેમજ બંને પિતાનું નામ સાંગણ છે તેથી તેમજ ઋષભદાસે પણ નેમિનાથ સંબંધે ગુજરાતીમાં “નવર” બનાવેલ છે તે પરથી સબલ અનુમાન થઈ શકે કે ઋષભદાસ અને વિક્રમ બંને સગાભાઈઓ હતા. વિક્રમ એ નામપર બે કૃતિઓ નામે નેમિનાથ ચરિત્ર તથા નેમિદૂત જૈન ગ્રંથાવલિના પુ. ૨૪૩ અને ૩૩૧ પૃષ્ઠપર માલુમ પડે છે તો તે બંને કૃતિઓ કદાચ એક હોઈ શકે, કારણકે ઉપરોક્ત પુસ્તક મિદૂતને બદલે નેમિચરિત્ર એ નામથી પ્રગટ થયું છે, વળી (મંત્રી) વિક્રમકૃત મેઘદૂત નામની કૃતિ પણ તેજ પુસ્તકના પૃ. ૩૩૨ પર માલુમ પડે છે તે તે (મંત્રી) વિક્રમ જૂદા હોવાનો સંભવ છે. ]
વળી ઋષભદાસ પિતાને “સંધવી” એ તરીકે કવચિત કવચિત ઓળખાવે છે—ઉદા હરણ તરીકે. સંધવી ઋષભદાસ એમ ભાખે, ભારતનું નામ પવિત્ર રે.
' –ભરતબાહુબલિરાસ પૃ. ૧૦૫. તે પિતાના પિતામહ અને પિતા સંઘ કાઢવાથી સંધવી કહેવાયા તેથી તેના પુત્ર તરીકે પિતે સંધવી એ આડનામ રાખ્યું હોય અગર તે પોતે પણ સંધ કાઢયો હોય તે કારણે પિતાના નામની આગળ “સંઘવી મૂક્યું હોય એમ બે પ્રકારે અનુમાન થાય છે, છતાં પહેલું અનુમાન વિશેષ સંભવિત છે. કારણકે પિતાના મનમાં એક મનોરથ જણાવ્યો છે કે “મારી પાસે દ્રવ્ય હોય તો “સંઘપતિ તિલક ભલુ જ કરાવું–તેથી પોતે સંધ કાઢયે નહિ હોય.
“કવિનું ઉપનામ પિતાના નામ આગળ ઋષભદાસ કોઈ વખતજ આપે છે (‘પુણ્યવિભાગ હુઈ તવ હાર, અસ્ય ઋષભ કવિ આપ વિચારઈ –હીરવિજ્યસૂરિ રાસ),
+ પ્રકાશક–શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય-હીરાબાગ મુંબઈ મૂલ્ય જો આન