SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. હાલમાં બીજી કેમોના અગ્રેસરે, પિતાની જેમ દિવસે દિવસે નબળી પડતી જાય છે તે જાણી લઈ પિતાની શક્તિ પ્રમાણે પિતાના તન, મન અને ધનની મદદ કરી કામમાં એકતા તેમજ રીતી રીવાજોમાં સુધારા કરાવવા તથા ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવમાં આગળ વધારી કેમને સારી સ્થિતિમાં લાવવા અનેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણી જેન કેમ ઘેર નિંદ્રામાં પડી છે તેમાંથી જાગૃત થતી નથી, તેથી દિવસે દિવસે નબળી પડતી જાય છે. જો કે આપણી જેન કોમ અનેક પ્રકારને ધંધામાં પડેલી હેવાથી તેની નબળાઈ જાહેરમાં દેખાઈ આવતી નથી તોપણ ઉંડા ઉતરીને જે તે ખેદ થયા વગર રહેશે નહિ. પૂર્વે જૈન અગ્રેસર રાજ્યમાં બે લાગવગ ધરાવી મોટાં મોટાં તીર્થો સ્થાપી તેનું પુરેપુરું રક્ષણ કરી જૈન ધર્મની ધ્વજ ફરકાવતા હતા ત્યારે હાલના જૈન અગ્રેસરે પિતાના તીર્થોનું પુરેપુરું રક્ષણ કરી શકતા નથી તે એટલે સુધી કે જ્યારે અન્ય દેશનીઓનાં મંદિરમાં કે મસછેદમાં કે દેવલોમાં તેમના લાગતા વળગતાની પરવાનગી લીધા સિવાય બીજી કેમવાલા તેમાં દાખલ થઈ શકતા નથી, તેમજ તેને રીતી રીવાજેથી ઉલટી રીતે વતી શકતા નથી, ત્યારે કેટલાક આપણા પવિત્ર જૈન મંદિરમાં તેને લાગતા વળગતાની મરજી વિરૂદ્ધ અન્ય દર્શનીઓ તેમાં દાખલ થાય છે તે એટલે સુધી કે જૈનેના રીતી રીવાજોની પણ દરકાર કરતા નથી અને ચામડાના બુટ તથા પટા વિગેરે પહેરી હાથમાં લાકડી લઈ જવા પણ ચુકતા નથી, વળી પૂર્વે જૈન અગ્રેસર પિતાના સ્વામી ભાઈઓને હરેક રીતે મદદ કરી તેઓને સારી સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરતા હતા. અને લાવતા હતા ત્યારે હાલના જૈન અગ્રેસરેએ તે વાત મોટા ભાગે વિસારે નાખી દીધી છે. દિવસે દિવસે આપણે મોટા ભાગના જેનેના ધર્મ સંબંધી રીતી રીવાજો પણ બને દલાતા જાય છે. બહારથી જોશે તે સેવા પુજા વિગેરે બડા ઠાઠથી કરે છે, પરંતુ ઉંડા ઉતરીને જોશે તે મોટા ભાગે પુરેપુરી નિરાશાજ ઉપજશે. આ બધું થવાનું કારણ શોધતાં આપણા જેમાં ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણીની બહુજ ઓછાસ, ઐક્યતા (સં૫) ની ખોટાઇ, ધર્મ સંબંધી મોટા ભાગે અપાતું અધુરું અને પિપીઉં શિક્ષણ અને તેથી તેઓનું અજ્ઞાનપણું. આ ખાતાને (શ્રી જેન ત્રિવે. કેન્ફરન્સ ધાર્મિક હિસાબ તપાસણ ખાતું) લઈને મને જે જાતિ અનુભવ થયો છે તે ઉપરથી હું ખાત્રીથી કહું છું કે આ ખાતા તરફથી આજ સુધી જેટલી ધાર્મિક સંસ્થાઓ તપાસી છે તેમાં મોટા ભાગની સંસ્થામાં મને કુસંપ સિવાય બીજું કાંઈ જોવામાં આવ્યું નથી તે એટલે સુધી કેટલાક ગામોના ગ્રંથમાં મતભેદ પડી ગયા છે તેમજ તડાં પણ પડી ગયાં છે. આ સંસ્થાને વાર્ષિક રીપેર્ટ જોતાં સદર સંસ્થામાં શું શું ખામીઓ છે અને કેવી રીતના સુધારા વધારા કરવા વિગેરે બાબતો ઉપર વિચાર કરવા તેની વાર્ષિક જનરલ મીટીંગ સીવાય વ્યવસ્થાપક કમીટી વખતે વખત ભેગી મળી હોય તેવું દેખાતું નથી તેમજ તેનું બંધારણ જોતાં પણ નિયમિત અથવા જરૂર પડતાં વ્યવસ્થાપક કમીટી ભેગી કરવાનું ઠરાવવામાં આવ્યું હોય તેવું પણ દેખાતું નથી. આ સંસ્થાને પહેલો ઉદ્દેશ જ્ઞાનવૃદ્ધિ છે. તેને હેતુ જ્યાં જ્યાં જૈન સંસ્કૃત પાઠશાળાઓ તથા વિદ્યાશાળાઓ, કન્યાશાળાઓ, તેમજ પુસ્તકાલય હોય તેને સંગીન પાયા પર લાવવી અને જ્યાં ન હોય ત્યાં જરૂરીયાત હોય તે સ્થાપવા બનતા પ્રયત્ન કરે; પરંતુ હાલ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy