________________
જૈન બંધુઓ વાંચો અને અમુલ્ય લાભ લ્યા.
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી. વહાલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતી જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ, ભાગ ૧ લો બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળ રૂપે શ્રી જેન વેતાંબર ડીરેકટરીના–ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત) એવી રીતે બે ભાગ જેને પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવા લાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેવેની સરળ માહિતી આપનારાં ચિન્હો વાળ સુંદર નકશો પણ આપેલ છે. ટૂંકમાં જૈનોની વસ્તી વાળા છલા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભા મંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપુર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જન બંધને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે. વિશેષમાં છલાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખર્ચવામાં આવી છે; તે છતાં જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકને લાભ આપવાનું છે. માટે સર્વ જૈનબંધુઓ આ મોટો લાભ અવસ્ય લેશે જ એવી અમારી સંપુર્ણ ખાત્રી છે.
કિંમત માત્ર પહેલા ભાગના રૂ, ૦ ૧૨-૦ બીજા ભાગના
રૂ. ૧-૪-૦૦ બને ભાગ સાથેના રૂ. ૧-૧૪૦ નકશાની છૂટી નકલ અઢી આનાની પિષ્ટ કીકીટ મોકલનારને મોકલવામાં આવશે. પામધુની મુંબઈ- નં .
- આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જન “વેતાંબર કોન્ફરન્સ.