________________
લેખકને નમ્ર વિનંતિ.
પૂજય મુનિ મહારાજાઓ, જેને ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સનો વિજય વાવટો ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વ માન્ય વાત્ર ગણતા આ માસિક પત્રમાં કોન્ફરન્સ હાથ ધરેલા વિષયો સબંધી તથા સમસ્ત જૈન કામની સામાજીક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લે ને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂશ્વનાર એતિહાસિકને પણ ખાસ સ્થાન અપાય છે. અને આશા રાખીએ છીએ કે પદવીધારી જન ગ્રેજ્યુએટની માફક અન્ય વિદ્વાન જૈન લેખકો તથા પુજ્યમુનિમહારાજાએ, વધારે નહીં તો માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પુષ્ટ જેટલો લેખ આ પત્રમાં લખી મોકલી આર ન બંધુઓને પોતાની વિદ્વત્તાને લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ ) આ પત્ર માટેનું લખાણ કાગળની એક બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પનસીલથી લખેલું લખાણ ટાઈપોમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલ થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂયના તરફ લય આપવા ખાસ વિનંતિ છે. (૨) લખાણ મોડામાં મોડું દરેક મહીનાની તા. ૧૫ મી પહેલાં અમોને મળવું જોઈએ. (૩) લેખકને લેખ જે અંકમાં પ્રસિધ્ધ થશે તે અંક અને નીયમીત લેખકને નીયમીત પણે સર્વ અંક મસ્ત મોકલવામાં આવશે. (૪) પસંદ નહિ પડેલા લેખો પાછા મેકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મેકલી મંગાવી લેવા. ( ૫ ) અપ્રકટ રચીત જન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપીઠે, પટ્ટાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રક્ષસ્તિઓ, પ્રાચીન જૈન પભાવકોનાં ચરિત્રો વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે. (૬) રાજકીય, ધાર્મિક વિવાદવાળું, નિદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. (૭) લેખકે પિતાનું પુરૂ નામ તથા ઠેકાણું લખવા કૃપા કરી. તે પ્રગટ કરવા ઇઓ હેય તે તે, અમર તેમ ન હોય તે કંઈ સંજ્ઞાતખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
મોહનલાલ દલીચંદેશાઈ બી. એ. એલ એલ બી. પ્રિન્સેસ સ્ટ્રીટ. મુબઈ. તંત્રી. જૈન છે. કોન્ફરન્સ હેર૯૭.