SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૧] મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી કૃતજ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૭ ૨ ક્રિયા વિનાનું (પાંગળું) જ્ઞાન (માત્ર) કંઈપણ કાર્ય સાધક-ઉપયોગી થઈ શકતું નથી. કેમકે માર્ગને જાણ છતાં કોઇપણ મન ક્રિયાવિના ઈષ્ટ સ્થાને પહોંચી શકતો નથી. ૩ પૂર્ણ જ્ઞાની પણ પોતે અનુકૂળ ક્રિયા ઉચિત કાળે કર્યા કરે છે કેમકે સ્વયંપ્રકાશી એવા દીપકને પણ દીવેટ અને તેલ પૂરવાદિકની અપેક્ષા રહે છે. ૪ ક્રિયાને બાધ ભાવ ઠરાવીને જે નિષેધે છે તે મુખમાં કવળક્ષેપ કર્યા વિનાજ તૃપ્તિ વધે છે. જેમ સુધાતુરને કવળક્ષેપ વિનાતૃપ્તિ વળતી નથી. તેમ ક્રીયારૂચિજ્ઞાનીને ક્રિયા સેવ્યા વિના સરતું જ નથી. આક્રિયા વાદિત કેવળ કાયર, સ્વછંદી કે કદાગ્રહીજ છે ૫ ગુણવંતનું બહુમાન કરવાનું અમૂક યાદ કરવાથી. તથા નિષ્કપટ પણે સતક્રિયા સેવાથી ઉત્પન્ન થયેલે ભાવ પડતું નથી. અને નવો ભાવ પણ ઉત્પન્ન થાય છે. ૬ અભ્યાસ પે સેવામાં આવતી શુભ ક્રિયાથી થતિ તને પણ પુનઃભાવ વૃદ્ધિ થાય છે. - ૭ માટે ગુણની વૃધ્ધિ માટે અથવા ગુણમાં ખલના નહિં પામવા માટે શુભ ક્રિયા કરવી જ યોગ્ય છે. એક સરખી ગુણની ધારા તો કેવળ વીતરાગને જ હોય છે, છઘસ્થને હેતી નથી. માટે તેણે તેવી શુધ્ધ દશા પામતાં સુધી સતક્રિયાને અનાદર કરવો યોગ્ય નથી. ( ૮ શ્રી વીતરાગ પ્રભુનાં વચન અનુસાર સતક્રિયા સેવતાં અંતે અસંગ-ક્રિયાની પ્રાપ્તિ થાય છે. આ અસંગ ક્રિયા, આનંદમય એવી જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે. તૃપ્તિ-અષ્ટક (૧૦) ૧ જ્ઞાના મૃતનું પાન કરીને, ક્રિયા કલ્પવેલી કૂળનું ભજન કરીને અને સમતા તાંબૂલને સ્વાદ લહીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. ૨ સ્વગુણો વડેજ જે અખંડ અને અક્ષય તૃપ્તિ થતી હોય તો જેનાથી ક્ષણિક અને કેવળ કલ્પિત તૃપ્તિ થાય એવા વિષય–સુખનું જ્ઞાન લોકોને શું પ્રયોજન છે ? ' ૩ કેવળ શાંત રસના આ સ્વાદથી જે અતીંદ્રય સુખની પ્રાપ્તિ થાય છે તે રસ નેંદ્રિયદ્વારા પડ રસના આ સ્વાદનથી પણ થતી નથી. કેમકે એ કૃત્રીમ હોવાથી કલ્પિત છે-સહજ નથી. ૪ સંસારમાં સ્વમની પેરે માની લીધેલી–કલ્પિત તૃપ્તિ મિથ્યા છે. અને તત્વ જ્ઞાનીના (આત્મ) વિશે ઉલ્લાસને કરનારી તે તૃપ્તિ સાચી છે. ૫ પુદગલો વડે તૃપ્ત થાય છે અને આત્મા જ્ઞાનાદિક વફે તપ્ત થાય છે. માટે માટે જ્ઞાનીને પર પુદ્ગલથી તૃપ્ત થયાનું કોઈ રીતે યુકિત યુક્ત ગણાતું નથી.
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy