SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૧ ] મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનીચેાળ. [૭૩ અરણ્ય, દિવસ યા રાત્રિ, સર્વ સમાનજ છે; તેથી તેમના શીતલ સ્વભાવમાં કંઇ ખલેલ પહોંચતી નથી. ૬ સ્થિરતા રૂપી રત્ન દીપક જે મન મ ંદિરમાં પ્રકટયે તે પછી વિકલ્પ ધમ્રને પેદા કરનારા સંકલ્પ દીપકનુ` તેમજ મહામલિન આશ્રવેાનુ પ્રયાજન શું ? ક ંઇજ નહિ. ૭ જો તું અતઃકરણથી અસ્થિરતારૂપી પવનની ઉદીરણા કરીશ, એટલે ચિત્તને જોતું ચંચળ કરીશ તે તારી સમાધિ રૂપી ધર્મ મેધની છટા જોતા શ્વેતામાં વિખરાઇ જશે. અર્થાત્ તેથી સંયમ સમાધિથી ચુકી જઇશ. પાછી તેવી સંયમ સમાધિ સાધવી તને મુશ્કેલ પડશે. ૮ સ્થિરતા રૂપી ચારિત્રને તાં શ્રી સિદ્ધભગવાને પણ ભજે છે. એમ સમજી સયમસમાધિના અર્થ સર્વે યતિ જતેાએ સ્થિરતા ગુણને વિશેષે ભજવા જોઇએ. માહત્યાક [૪] ૧ ‘હું અને મારૂં” એ મેહુ રાજાના ગુપ્તમત્રે જગત માત્રને આંધળું કરી નાખ્યુ છે. તે મંત્રની પહેલાં જો એક ‘નકાર’ ભળતા · નહિ હું અને નહિ મારૂ ’ એવા પ્રતિમંત્ર થઇને ઉલટા માહના જય કરે છે. ૨ અસંખ્યપ્રદેશી શુદ્ધ આત્મદ્રવ્ય તે હુ” અને શુદ્ધજ્ઞાન એ મારા ગુણ' છે. તે વિના બીજી કઇ હુ કે મારૂં' નથી એવી બુદ્ધિ મેાહના છેદ કરવા તીક્ષ્ણ અસ્ત્ર [ શસ્ત્ર ] જેવી છે. ૩ શુભાશુભના ઉદયાદિક વખતે જેની મતિ મુંઝાતી નથી--અવસ્થિત રહે છે, તે મહાસ્ય આકાશની પેરે પાપપકથી લેવાતેાજ નથી--નિર્લેપ રહે છે. ૪ તત્ત્વ દૃષ્ટિ પુરૂષ આ સંસાર ચક્રમાં રહયા છતા સ્થળે સ્થળે પરદ્રવ્ય સંબંધી નાટક [પ્રપંચ]ને પેખતા છતા લગાર માત્ર પણ મુઝાતા નથી. તટસ્થ પણે સર્વત્ર સર્વ વસ્તુને સમ્યગ્ રીતે અવલોકે છે. તેથી તે તેમા લેપાઇ જતે નથી. તેમાં માત્ર સાક્ષીપણાથી પ્રવર્તે છે. ૫ વિકલ્પ-પ્યાલાવડે માહ મદીરા પીને મદોન્મત્ત થયેલા પ્રાણી સંસાર ચક્રમાં વિવિધ વિડંબના ભાગી થાય છે. છતાં માન્યપણાથી તે દુ:ખાથી કટાંળતા નથી. ૬ આત્માનું મૂળરૂપતા સ્ફટિકવત્ નિર્મળ છે, છતાં સાથે લાગેલા ઉપાધિ સંબધી. ચી મૂઢ તેમાં મુંઝાઇ જાયછે. તત્વથી શ્વેતાં પુણ્યપાપ, સુખદુ;ખ, લક્ષ્મી, દેહ, કલત્રાદિક સર્વે ઉપાધિરૂપ હોવાથી તે વર્જ્ય છે. શુદ્ધજ્ઞાન, શ્રદ્ઘા અને વિવેકયુક્ત આત્માજ આદરવા યોગ્ય છે. છ મેાહતા ક્ષયથી સ્વભાવિક-શાંતસુખને અનુભવ થયા છતાં, ખાટા સુખમાં મગ્ન
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy