________________
૧૧૧]
સુકૃતભડાર ફેડ.
[૩૫૧
૧ - -૦ વળા
શેઠ હરખચંદ ભુરાભાઈ તરફથી. ૧-૦-૦ ઝરીઆ (બંગાળ) , ચત્રભજ મોતીચંદ માર્કત. ૩૭- ૮-૦ રંગુન
, મનસુખલાલ સુરજમલ માર્કત. ૫- ૪-૦ વાલીઅર શેઠ નથમલજી ગુલેચ્છા તરફથી. ૧૦૦- ૪-૦ માંડળ , માયાચંદ અંબાવીદાસ ભાત. ૧૩૦-૦-૦ ઉદેપુર ,, રોશનલાલજી ચતુર
૨૮૫-૮-૦ ઉપર મુજબ ૭૨૭–૧૫-૦ વસુલ આવતાં આ ફંડમાં કુલ રુ. ૨૮૬૨-૧૫-૯ સંવત ૧૯૬૭ની સાલમાં આવેલા છે. તે ખાતે સર્વે આગેવાન ગૃહનો તથા ફંડ વસુલ આપ નારાઓને અને પિતાની ખુશીથી મોકલનારા ગૃહસ્થનો આભાર માનવામાં આવે છે.
ઉપદેશના ભાષણોથી થએલા ઠરા. પ્રાંતીજ-શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મીવાડીલાલ સાંકળચંદે અહીં આવી મે. મામલતદાર સાહેબના પ્રમુખપણ નીચે સંપ વિષે ભાષણ આપ્યું હતું. તેની અસર ઘણી સારી થઈ હતી. ગુજરાતી નિશાળના હેડ માસ્તર સાહેબે તથા અંગ્રેજી નિશાળના હેડ માસ્તર સાહેબે તેમાં પુષ્ટી આપી હતી. તેમજ મામલતદાર સાહેબે સારું વિવેચન કરી જણાવ્યું જે મી- વાડીલાલના કહેવામાં કાંઈ કહેવાપણું રહ્યું નથી. બીજે દિવસે જૈન બેનોને મેળાવડો કરવામાં આવ્યો હતો. તે વખતે શિયળવૃત સંબંધી કહેવામાં આવતાં ફટાણું નહી ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનકવાસી જૈન બેનેએ કન્યા વિક્રય નહિં કરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી. ત્યાર બાદ બે દિવસ ગેસ્વામીના મંદિરમાં ભાષણ આપતાં અન્યદર્શનીઓમાં પણ ઉપરના ઠરાવ સાથે કન્યા વિક્રય નહી કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. એકંદર આ ઉપદેશથી ગામના ઘણે ભાગમાં સુધારો થયો છે. આમ ઉપદેશ ચાલુ રહેવાથી લોકોના મન ઉપર ધર્મની સારી લાગણું રહે એમ અમો ઈચ્છા રાખીએ છીએ.
અહમદનગર (મહીકાંઠા)–ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી ઉપાશ્રયમાં તમામ જૈન ભાઈઓ સમક્ષ દયા, ભક્તિ વગેરે વિશે ઉપર ભાષણ આપ્યાં હતાં. હાનિ કારક રીવાજ વિષે તથા શિયળ વિષે બોલતાં ઘણું બેનેએ ફટાણું ન ગાવાં તથા બંગડીઓ નહીં પહેરવા નકી કર્યું છે. ભ્રષ્ટ ખાંડ તથા ટીનના વાસણ ન વાપરવાં પ્રતિજ્ઞાઓ લેવાણી હતીઆ વખતે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પણ સારી રીતે વિવેચન કરતા હતા. સદરહુ ભાષણ વખતે મુત્સદી વર્ગ હાજર હતા અને ડાકટર સાહેબ ઉમૈયાશંકરભાઈએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું.