SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૧] ગ્રહસ્થ ધર્મ અને નીતિ પૂર્વક જીવન [૧૫૧ ૨૩ પિતાની શકિત કે નિબળતાને જાણનાર થવું;-દ્રવ્ય, ક્ષેત્ર, બળ અને ભાવથી પોતાની શકિત જાણીને કોઈ પણ કાર્યને પ્રારંભ યા ત્યાગ કરે તેમ કરતાં તેનો પ્રારંભ સફળ થાય છે નહિતર તેનું પરીણામ દુઃખદ આવે છે. ૨૪ વ્રતમાં રહેલાં જ્ઞાનથી કે દમરથી વૃદ્ધ માણસનું ગ્યતાનુસાર પૂજન કરનાર થવું-જ્ઞાનાચારના પરિવાર અને સમ્યગ્ર આચારમાં રહેલા વૃતધારી મનુબે તથા હેય, ઉપાદેય વસ્તુના નિશ્ચયમાં જ્ઞાનવૃદ્ધ તેમનું પૂજન કરવું, બોલાવવા, આસન આપવું તથા અભ્યથાન કરવું. આવા જ્ઞાની પુરુષો કલ્પવૃક્ષની માફક સદુપદેશ આપવા રૂપ તત્કાળ ફળ આપનાર થાય છે. ૨૫ પિષણ કરવા કરવા પોતાના પરિવારનું પાષણ કરવું –અવશ્ય પિષવા લાયક માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનું વિણ કરવું. ૨૬ દીર્ધ દ્રષ્ટિવાન થવું:-- કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પૂર્વાપર અથ અનર્થ સંબંધી વિચાર કરવો. દીર્ધદશી વિચાર કર્યા સિવાય કાર્ય કરનાર કોઈ વખત મોટી આફતમાં આવી પડે છે. ર૭ ગુણ અવગુણને ભેદ જાણ:--વસ્તુ-અવતુ, કૃત્ય-અકૃત્ય, સ્વ-પર, ઇત્યાદિના , અંતરને જાણનાર વિશેષા કહેવાય છે, અવિશેષજ્ઞ પુરૂષમાં પશુ થી કાંઈ. અધિકતા નથી. ૨૮ કરેલા ગુણના જાણકાર થવું;-અન્યના કરેલા ઉપકારને જાણવો જોઈએ. ગરજ સરી ને વૈદ્ય વેરી એમ કરનાર માણસ ઉત્તમ લાભ મેળવી શકતા નથી ર૮ લોકમાં વલ્લભ થવું–વિનયાદિ ગુણોએ કરી લોકોને વલ્લભ થવાય છે. જે લોક-વલ્લભ નથી તે પોતાના ધર્માનુષ્ઠાનને પણ દુષિત કરે છે એટલું જ નહિ પણ બીજાના બોધી બીજનો પણ નાશ કરે છે. ૩૦ લજજાવાન થવું–લજજાવાન માણસ પ્રાણ ત્યાગ કરે પણ પિતાની પ્રતિજ્ઞા ખંડન ન કરે. ૩૧ દયાવાન થવું –દુઃખી જંતુઓનું દુઃખથી રક્ષણ કરનાર માણસ દયાવાન કહેવાયા છે, દયા ધર્મનું મુળ છે. કુર સમ્ય (1) પ્રકૃતિવાળા થવું–સય-અકુર આકાર રાખવો ક્રર સ્વભાવવાળા જેવો લેકને ઉદ્વેગનું કારણ થાય છે. પરોપકાર કરવામાં તત્પર થવું;-પારકાને ઉપકાર થાય તેની કાળજી રાખવી પારકાનું ભલું કરવું તેજ અંદગીનું ખરૂં સાર્થક છે. ૩૪ અંતરંગ છે શત્રુઓને પરિહાર કરવામાં પ્રયત્નવાન થવું–કામ. ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ અંતરંગ શત્રુઓને દુર કરવામાં તત્પર થવું .:- . .
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy