SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેર. (જુલાઈ તેનો વિચાર આપ સર્વે એ કરવાનું છે. અત્યાર સુધી ગુજરાતી ભાષા જાણનારાઓ એમ માનતા હતા કે ગુજરાતી ભાષામાં પ્રથમ કવિતા લખનાર નરસિંહ મહેતા એક જ હતા. પરંતુ બંને પશ્વિના માનવંત પ્રમુખ સાહેબના ભાષણે ઉપરથી સર્વેના જાણવામાં આવ્યું હશે કે નરસિંહ મહેતા પહેલાં પણ અમુક શતક સુધીની ભાષાને jજરાતી ભાષા કહી શકાય છે અને તે શતકમાં બીજા કવિઓ તથા લેખકે થઈ યા છે. “પારકી ઋદ્ધિ દેખી રાજી થનારા આપ સર્વ સાક્ષરોને મારે આજે જૈન વિઓએ રચેલા રાસે વિષે કંઈક કહેવાને વિચાર છે. પૂરતાં સાધને હું મેળવી ક્યા નથી તેમજ સાક્ષરવર્ગને સંતોષ આપી શકું તેવી મતિ નથી. તેથી મારા થનમાં ઘણું અપૂર્ણ અને અસંબદ્ધ આપને લાગશે પણ તે બાબતમાં હું પ્રથમ વિજ આપ સર્વેની ક્ષમા માગી લઉં છું. ડી મહેનતે સમજી શકાય એવી જૈન સાધુનો જૂનામાં જૂની જે કવિતા મારા પ્રાથમાં આવી છે તે મુનિશ્રી વિજયભદ્રની છે. કદાચ વિજયભદ્ર એ સંતિ અથવા પર્યાયચિક નામ પણ હોય. વિજયભદ્ર પહેલાંની કેટલાક શતકની ગુજરાતી કવિતાનાં શેડાં દાહરણો ગઈ સાહિત્ય પરિષદૂના પ્રવીણ પ્રમુખ તરફથી આપવામાં આવ્યાં હતાં. . ૧૩ર૭ માં રચાયેલા સપ્તક્ષેત્રી રાત કે સં. ૧૯૪૭ માં રચાયેલા પ્રબંધ વેંતામણિ ગ્રંથ કે તેજ અરસામાં રચાયેલા રત્નસિંહસૂરિના ઉપદેશમાળા નામે થિમાંથી કંઈ ઉદાહરણો આપી આપને વખત રોકવા હાલ હું ઈછતો નથી. હું તો નહીં વિજ્યભદ્ર મુનિથી જૈન રાસની શરૂઆત ગણું વિશેષ ભાગે રાસ વિષે કંઈક હવા ઈચ્છું છું. વિજયભદ્ર કે ઉદયવંત મુનિ નરસિંહ મહેતા પહેલાં આશરે એક ષ ઉપર થયા હતા. નરસિંહ મહેતો જ્યારે સં. ૧૫૦૦ માં હતા એમ કવિ નર્મદાકર કહે છે ત્યારે વિજયભદ્ર મુનિ સં. ૧૪૧ર માં હતા એમ ગોતમ રાસ કહે છે. - કવિતાઓના જે જે ગ્રંથે છેલ્લાં પાંચ સાત શતકમાં જૈન કવિઓએ લખ્યા છે માંના ઘણુંખરાને તેમણે “રાસ” નામ આપ્યું છે. રાસ શબ્દ પ્રથમ શ્રીમદ્ ગવતમાં જોઈ શકાય છે. રાસમાં જૂદી જૂદી નીતિની અને ધર્મની વાત સમજાવવા ટે મહા પુરૂષનાં ચરિત્ર કથા રૂપે આપ્યાં છે; પરંતુ પિતાની કવિતાના ગ્રંથોને રાસ હવાનું શું ખાસ કારણ હશે તે વિચારવા જેવું છે. હાલના પુષ્ટિમાર્ગ વણવ ધમ માં સ શબ્દ પરિચિત છે. રાસ શબ્દના પરિચય વાળે એ પુષ્ટિમાર્ગ તે ગુજરાતમાં ત્તર હિંદમાંથી ૧૯ મા સૈકાની આખરે આવેલું જણાય છે. નરસિંહ મહેતા જે bષ્ણવ ધર્મ પાળતા હતા તે તો વિષ્ણુસ્વામિવાળો વેણવ પંથ હતો એમ કવિ. મદાશંકર કહે છે. ત્યારે જૈન કવિઓએ કવિતામાં કરેલાં મહા પુરૂનાં વનોને શસ મિ શા વાતે આપ્યું હશે તે વિચારવા જેવું છે. | જૈન કવિઓના રાસોમાં જુદે જુદે સ્થળે નજર કરતાં નવરસયુક્ત વર્ણનો જોવામાં પાવે છે. કોઈ કોઈ સ્થળનાં વર્ણને રસ અને અલંકારથી, છલકાઈ જાય છે. રસનાં
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy