SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ - તયાર છે! તયાર છે!! તૈયાર છે. !! " કેનફરન્સ એફસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ. | શ્રી જૈન ગ્રંથાવળિ. જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોફી, ઔપદેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કત્તઓનાં નામ, કલાક સંખ્યા, રસ્યાનો સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનોટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પુષ્ટ, રયાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં આ સ્પ રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦. જૈન બંધુઓ વચ અને અમુલ્ય લાભ લો. 1 . શ્રી જૈન શ્વેતામ્બ૨ ડીરેકટરી. હાલ બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કેમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચારે થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લો બહાર પડવામાં આવ્યો હતો. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળરૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જી (દક્ષિણ ગુજરાતી –-એવી દીતે બે ભાગ આ સમયે જન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકત - દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ - સ્થળ, દેરાસર, તથા રેલવેની સરળ માહિતી આપનારાં ચિન્હાવાળો સુંદર નકશે પણ આપે છે. ટૂંકમાં જૈનોની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયેગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ તજરે તરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨-૦ અને બીજા ભાગના રૂ. ૧-૪-૦ અને બને ભાગ સાથેના. રૂ. ૧-૧૪-૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૮ ૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત કાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો લાભ આપવાનું છે. માટે સર્વે જૈન બંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી - સંપૂર્ણ ખાત્રી છે. ( નકશાની છુટી નકલ અહી આનાની પિરસે ટીકીટ મેકલનારને મેકલવામાં આવશે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy