SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જા કેન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી બધું જે પિતાના અંગે પુષ્ટ હોય અને એક દીલ હોય તે જ થઈ શકે એટલા સારૂ આપણા સંઘની ભિન્ન ભિન્ન જ્ઞાતિઓએ, તડાએ અને જુદા જુદા ભાગના શ્રાવકેએ પિતાનું જે સમાન કેન્દ્રસ્થળ જૈનકેન્ફરન્સ છે તેની તરફ એકત્ર ભક્તિભાવથી જોવાની આવશ્યકતા છે, આજે આપણે સંઘની પૂર્વના કાળ જેવી જાહેરજલાલી રહી નથી. આજે આપણા હાથમાં એક પણ સજ્ય નથી. આજે આપણી પાસે રાજકારભાર નથી. આજે આપણે જમીનદારી કે ખેતીના ધંધા કરતા નથી. માત્ર આપણું હાથમાં વેપાર રહ્યા છે. એ વેપાર સત્તામાં પણ ઘણું તરેહની હંરિ ફાઈ છે. એ સત્તા ટકાવી શકીએ અને દ્રવ્ય સામગ્રી જાળવી શકીએ તો આપણાં તીર્થસ્થળે, મંદિરે, ઉપાશ્રય, જૈનશાળાઓ, જ્ઞાનભંડારે આદિનાં કાર્યોને વધારે તેજોમય રાખી શકીએ. આ કાર્યોની સરળતા સારૂ સાધુ સાધ્વીઓને અંકુશ આપણી જાહેર સંસ્થાઓની ઉપર રાખવાની જરૂર પૂરી પડે તે તેની સ્વચ્છતા વધે અને શ્રાવિકાઓની મદદ મળે તે એ વ્યવસ્થાને બજો આપણા ઉપરથી ઘટે એટલે આપણે દ્રવ્ય પેદા કરવામાં વધારે સરળતા મેળવી શકીએ. આપણા શ્રાવક સમુદાયે નિદક વાતને દૂર ખસેડી વિશ્વાસ અને લાંબી આશાથી જોતાં શીખવા ભલામણ કરવાની હું ફરજ વિચારું છું, શ્રી સંઘની એકત્ર સત્તા શું છે? આ આપણે જેનસમુદાય સ્યાદવાદ શૈલીને માન્ય કરનાર છે. તેના કોઈ એકાંતી, વિચારો નથી. એના વિચારો સમ્યગ દ્રષ્ટિ રાખીને ભદ્રપ્રકૃતિથી સર્વે બાજુને વિચાર કરવાનો છે. નિશ્ચય ધર્મને બાધ ન કરે એવી રીતે વ્યવહાર ધર્મની શુદ્ધિ જાળવવાને છે, વ્યવહાર માર્ગને દેશ, કાળ આદિને વિચાર કરીને દેરવાની વાત શાસ્ત્ર માન્ય કરે છે. એટલે આપણે આપણું કાર્યોને બે માર્ગમાં વેહેચીશું. મૂળ નિયમ અને ઉત્તર નિયમ. મૂળ નિયમમાં કાંઈ પણ ફેરફાર ન કરે એવી ધર્મ શાસ્ત્રાની આજ્ઞાઓ દેખાય છે અને તે એગ્ય પણ છે. જેવી કે ધાર્મિક લેફી અને જીરુ, કર્મ, મેક્ષ આદિનાં સ્વરૂપ-શાસ્ત્રથી મૂકરર થયેલ આવશ્યક સૂત્રો અને ઉત્તર નિયમ કે જેમાં દેશ કાળ તથા સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે. જેમ સ્વામિવાત્સલ્યમાં એક સમયે જમણ જમાડવાને કેમ સારે હોય, બીજા સમયમાં વસ્ત્ર આપવાની જરૂર હોય અને ત્રીજી જગાએ વિદ્યા આપવાનાં સાધનો પૂરાં પાડવાની જરૂર હોય તે એ ઉત્તર નિ. યમને અનુસરીને જ્યાં જે ઘટે તે મુજબ કરવું જોઈએ. અથવા તે એક જગ્યાએ જાત્રાને વરઘોડામાં વાઈ વિગેરે ઘણાં હોય અને બીજી જગાએ : " - - - -
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy