SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૦ ] પ્રાસંગિક ધ. . ૧૧૭ ગૃહસ્થોએ પ્રતિનિધિ તરીકે આવવાની ઘણીજ જરૂરીઆત છે. તે અમે આશા રાખીએ છીએ કે આ સૂચના તે વર્ગ ઉપાડી લેશે અને કેન્ફરન્સના ઠરાવને અમલ થતો નથી એમ કહેનારાઓ શાંત થશે. કેન્ફરન્સે પિતાની સાત વર્ષની હયાતિ દરમ્યાન શું કર્યું છે તે તે દરેક જૈન બંધુ કોન્ફરન્સ એડીસના વાર્ષિક રીપેર્ટો ઉપરથી જાણી શકે છે. માત્ર અતિશય ઉચ્ચ વિચાર કરનારાઓને (idealists) ને આ કેન્ફરન્સના કાર્યોને સરવાળે ઘણે લાગે એ સ્વાભાવિક છે, કારણ કે તેમનું લક્ષ્ય બિંદુ બહુ ઉંચું છે. વિચારસ્વાતંત્રય, અને કિયાસ્વાતંત્રય જે કાર્યવાહકોને મળે તે તે આ લક્ષ્ય બિંદુ સહેલાઈથી પ્રાપ્ય છે. પરંતુ આપણી કેમના પ્રચલિત સંગે અને ખરી સ્થિતિને જે અભ્યાસ કરીએ તે કોન્ફરન્સે જે અત્યાર સુધીમાં કર્યું છે તે કાંઈ થોડું નથી. વ્યવહાર દષ્ટિથી જોઈએ તે સ્પષ્ટ દેખાઈ આવશે કે આપણે ધીમે ધીમે પણ ખચીત આગળ વધીએ છીએ, પ્રતિવર્ષ આપણી કેમની ઉન્નતિમાં વધારો થાય છે, જુના વિચારો બદલાય છે, નવી નવી વેજનાઓ સૂઝે છે, અને નવો અને વધારે સરળ માગ પણ મળી આવે છે. સમાજને લગતાં કાર્યો કાંઈ ઉતાવળથી બની શકતાં નથી. જેટલું વિચારીએ તેટલું જ કાંઈ કિયામાં આવી શકતું નથી. એ વાક્ય જ્યારે એક વ્યક્તિને લાગુ છે ત્યારે સમાજને તે તે વિશેષ લાગુ પડે એ સ્વાભાવિક છે. માત્ર સં૫, સરળ પરિણામ, એક જ લક્ષ્યબિંદુ, સડોદ્યોગ, વિદ્યા સંતેષીઓને અભાવ એ બધી વસ્તુઓની કેઈપણ કાર્ય કરવામાં જરૂર છે તો પછી આવા મહાન કાર્યોમાં હોય તેમાં નવાઈ શી ? આપણને એટલે જેટલે દરજજે ઉપરોકત સાધને મળતાં જશે એટલે તેટલે દરજજે વિજયી થતા જઈશું. - શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને સંવત ૧૯૬૪ની સાલને રીપેટ તથા હિસાબે છેડા વખત પહેલાં બહાર પાડવામાં આવ્યું છે. આ રિપોર્ટ અથથી તે ઈતિ સુધી દરેક જૈન બંધુ વાંચશે એવી અમે આશા રાખીએ છીએ. પુના કેન્ફરન્સ મળ્યા પહેલાં આ રીપોર્ટ દરેક કોનફરન્સમાં ભાગ લેનાર ગૃહસ્થ જે પ્રથમથી વાંચી રાખશે તે આશા છે કે તે કાંઈક નવીન ઉપયોગી સૂચનાઓ કરી શકશે. પરંતુ કોનફરન્સના રીપેર્ટો વાંચ્યા વગર કોન્ફરન્સ ઓફીસે શું શું કાર્યો કરે છે તેને ખ્યાલ કયાંથી આવી શકે? જેઓ એમ કહે છે કે કેન્ફરન્સ કાંઈ કર્યું નથી, તેઓને અમે બેધડક કહીશું કે તમેએ કોન્ફરન્સના કાર્યોને બારીક અભ્યાસ કર્યો નથી અથવા તે તેના રીપોર્ટ વાંચ્યા જ નથી. તેટલા માટે કેન્ફરન્સના રીપેટ વાંચી જેવા અને દરેક વીરપુત્રને ખાસ આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy