SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨] જૈન કોન્ફરન્સ હેર૯૭. [અકબર મનુષ્યદેહ શાને માટે છે? ગ@>– લેખક-શાહ નત્તમ ભગવાનદાસ અનુસંધાન પૃષ્ટ ર૩૦. રાત્રિભોજન ત્યાગ–આ ક્રિયા શાસ્ત્રકારોએ નિષેધવાનાં ઘણાં કારણે સંભવે છે. શારીરિક, માનસિક તથા આત્મિક ત્રણે જાતના લાભ જોઈને જ શાસ્ત્રકારોએ તેવું ફરમાન કર્યું લાગે છે. ખરે શુદ્ધ જૈન રાત્રિભૂજન કરેજ નહિ, અને એવાજ સજેગે આવી પડે કે જેથી બીજે ઉપાય ન રહે, તે જેમ બને તેમ ઓછી વખત રાત્રિભૂજન કરે, તે પણ રાચીમાચીને, જાણીજોઈને, રાત્રિભોજન કરે નહિ. શાસ્ત્રકારોએ તેને મુનિરાજના છઠા વ્રત તરીકે ગણ્યું છે, તેને હેતુ હાલની કારણૉધકટષ્ટિથી પુરતે સમજાતું નથી, કેમકે તેને પ્રથમ ત્રતાદિમાં સમાવેશ થાય છે. છતાં પણ જ્ઞાનીઓ આપણાથી અનંત શક્તિના ધણી હતા, તેઓએ જે રેગ્ય જાણ્યું તે જનહિતના ફાયદા માટે જણાવ્યું છે. તે પ્રમાણે સમજયા વગર પણ જે વર્તશે તે પરંપરાએ સુખી થશે. વિરૂદ્ધ વર્તનાર દુઃખી થશે. રાત્રે જમવાથી જઠરને જે આવશ્યક આરામ મળ જોઈએ તે મળતું નથી, જઠરપર કામને બે વિશેષ પડવાથી નબળું પડતું જાય છે, તેની શરીરના દરેક અવયવને અમુક અંશે સહન કરવું પડે છે, એ શારીરિક ગેરફાયદો. રાત્રિભોજન કરનારી ન્યાતમાં રાત્રે ૧૦-૧૨-૨ વાગે પણ જમે છે, કોઈ જાતને પ્રતિબંધ રહેતું નથી, ભલેલુપતા વધે છે, એ માનસિક નિર્બન ળતાને બીજે ગેરકાયદે. કેઈ વખતે રાત્રે ઝીણા કે મોટા જંતુઓ ન દેખાતાં પિટમાં ચાલ્યા જાય, અને શરીરને અડચણ કરે. સૂર્યથી સ્પર્શેલું અન્ન જેવું પવિત્ર, શુદ્ધ હોય છે તેવું સૂર્યથી સ્પર્યા વિનાનું અન્ન પવિત્ર, શુદ્ધ થઈ શકે નહિ, તેથી પણ રાત્રે જમવું સલાહકારક નથી. માનસિક નિર્બળતા આત્મિક હાનિનું પહેલું શરૂઆતનું પગથીયું છે. તમસકાયનાં જંતુઓ રાકનાં રંગની જેવાજ રંગના દરેક રાકમાં રાત્રે પ્રવેશ કરે છે, આ બધાં કારણોથી રાત્રે જમવું સલાહકારક તથા ઈષ્ટ નથી. ભક્ષ્યા ભક્ષ્ય–હાલને જમાને શાસ્ત્રીય શોધખોળપરથી આગલી હકીકત સત્ય ઠરે તે સ્વીકારવાને ચાલે છે. સાત વ્યસનમાં મધ, માંસ આવી જાય છે. રર અભક્ષ્ય સિવાયની વસ્તુઓ ભક્ષ્ય છે. માંસ ખાનારા પારસીઓ ગાયનું માંસ ખાતા નથી, કારણકે તે ગાયને પવિત્ર ગણે છે. મુસલમાને ડુકરનું માંસ ખાતા નથી, કારણકે તેઓ તેને અપવિત્ર ગણે છે, એટલે કે તે શરીરમાં ઘણા
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy