SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૮૩ ૧૯૦૭] જેને પર્યુષણ પર્વ. જૈનોના પર્યુષણ પર્વ ને સબંધમાં નેક નામદાર મહારાજાધિરાજ શ્રી ૭ જામ સાહેબને પવિત્ર હુકમ લા. . જા. ના, ૯૦ સીકે, સં. ૧૯૬૪. જાહેર ખબર. માહાલ લાલપર ફ. ક. માજીસ્ટ્રેટ કેરટથી નેક નામદાર મહારાજાધિરાજ જામ શ્રી ૭ જશાજી સાહેબ બહાદુરના 1. ના. ૮૬૪ તારીખ ૧-૯-૦૩ ના ફરમાન અનુસાર–આ ઉપરથી ઘાણવાલા તથા ખાટકી કસાઈ તથા સની લુવાર વિગેરે કોને ખબર આપવામાં આવે છે કે જેન (શ્રાવક) લેકેનાં પવિત્ર પર્યુષણ પર્વ સં. ૧૯૬૪ શ્રાવણ વદી ૧૨ બુધવાર તા. ૪-૯-૦૭ થી બેસે છે તે સં. ૧૯૬૪ના ભાદરવા સુદ ૫ વાર ગુરૂવાર તા ૧૨-૯-૭ ના રોજ પુરા થશે ત્યાં સુધીમાં ઘાણવાલાએ ઘાણી ફેરવવી નહીં અને ખાટકી કસાઈ વિગેરે લેકે એ કાંઈપણ જીવ હિંસા કરવી નહીં. તેમજ એની લુવાર વિગેરે લેકેએ ચુલ કે ભઠી સળગાવવી નહીં. ઉપરના હુકમ વિરૂદ્ધ જે માણસ વરતશે તે કાયદેસર ગુન્હેગાર થશે અને તે શમ્સને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. મિતી સં. ૧૯૬૪ના શ્રાવણ વદી ૬ વાર ગુરૂ તા. ૨૮-૮-૦૪ (સહી) ઈચ્છાશંકર જયશંકર છાયા બી. એ. એલ એલ. બી તાલુકે લાલપર ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ સ્ટેટ જામનગર. નેક નામદાર મહારાજાધિરાજ શ્રી જામસાહેબે ઉપર પ્રમાણે હુકમ પિતાના આખા રાજ્યમાં અમલ થવા સારૂ સ્ટેટ ગેજેટ મારફતે પ્રસિદ્ધ કરી જેન લેકેની ઉત્તમ લાગણીને જે ભારે માન આપ્યું છે તે બદલ સમગ્ર જૈન પ્રજા તેઓ નામદારને માટે આભાર માને છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy