SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કન્ફરન્સ હેડ. [ જાન્યુઆરી શુભ વ્યય કર્યો છે, પણ એક સાથે આવા ઉત્તમ કામમાં આવડી મોટી રકમ ખર્ચનાર કાઇ જો જૈનબ દૃષ્ટિગાચર થતા નથી. તેમણે કરેલી ખીજી સખાવતામાં પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના દેરાના જર્ણોદ્ધારમાં ખુચેંલ રૂ. ૪ લાખ તથા પાલીતાણે યાત્રાળુ ભાઇ માટે મ ધાવેલી ધર્મશાળા મુખ્ય છે. આ પ્રમાણે સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે કે તેમણે સાતે ક્ષેત્રમાં યાશક્તિ ઉત્તમ વ્યય કર્યેા છે. હાઇસ્કૂલ અને દવાખાનું ઘણી ઉત્તમ સેવા બજાવશે તેમાં સશય નથી. મકાન ત્રાંબાકાંટાપર મધ્યમાં આવેલું હાવાથી જૈાને બહુજ પાસે પડશે એમ આશા છે. મકાન ઉત્તમ બાંધણીનું છે. તેપર જમીનની કીમત સુદ્ધાં રૂ. ૨૦૦૦૦૦ ખર્ચાયા છે, મકાનને ટાચે માખરે મયૂરવાહની વીણાધારી સરસ્વતીદેવીનું કાતરકામ મનને આનંદ પમાડે તેવું છે. મયૂરવાહની એ એવું સૂચક હોય તેા ના નહિ, કે વિદ્યા લેવા માટે આસન કામળ અને આધુ એએ, ગાદી તકીઆપર બેસી વિદ્યા મેળવવી મુશ્કેલ છે. વીણાધારી એ અર્થમાં કદાચ હશે, 'વિદ્યા સંગીત સાથે બહુ ત્વરાથી અને સારી રીતે અસર કરી શકે છે. મકાન ઉત્તમ ખવાયું છે એમ તા કહ્યા વિના ચાલતુ નથી. ઉપર જણાવેલી રૂ. ૮, લાખની સખાવત રૂ. ૯૦૮૦૦ની વ્યાજસહિત થઈ છે. તેમાંથી રૂ. ૨,૦૦,૦૦૦ જતાં બાકી રૂ. રા લાખ આશરે નિખાવ કુંડ તરીકે ટ્રસ્ટીઓએ જુદા રાખ્યા છે, અને તેના વ્યાજમાંથી ખર્ચની વ્યવસ્થા કરવા ધારી છે. યાજના બહુ ઉત્તમ છે, ગરીબ ભાઇ ને કાંઇ દાન આપીએ અને પાછું તેને ખીજેથી દાન લીધાજ કરવું પડે તેના કરતાં તેને એવી શક્તિ આપીએ કે જેથી તે પેાતાના નિર્વાહ ચલાવીશકે તે જેમ ઉત્તમ છે, તેવીજ રીતે કઈ પણ સંસ્થા કાઢતી વખત તેના નિભાવ માટે કઇ રકમ જૂદી કાઢી રાખવી ઉત્તમ છે. એવી નિભાવની રકમ કાઢી ન શકાય ત્યાં સુધી વિચારી જવુ ઉત્તમ છે. > મુંબઇ ઇલાકાના નામદાર ગવર્નર લાર્ડ લેંમીંગ્ટનને હાથે આ હાઈસ્કૂલ ઉધાડવાનું મુહૂર્ત તા. ૯ જાન્યુઆરી ૧૯૦૬ ના રેાજ સાંજના ૫ નું હતું. તે પ્રમાણે તે નામદારે મકાન ખુલ્લું મૃયુંછે. ખુલ્લું મૂકતી વખત મરહુમ ગૃહસ્થના સગાંઓએ જે વિશેષ ઉદારતા બતાવીછે, તે પણ ઉત્તમ પ્રકારની છે. જ્ઞાનદાન સમાન બીજું દાન નથી. ભાઈ જીવણલાલ, ભગવાનલાલ તથા મેાહનલાલ પન્નાલાલ અ ત્રણેએ મળી રૂ. ૨૫૦૦૦, રૂ. ૫૦૦૦ બાબુ પનાલાલની વિધવા બાઇ પાર્વતી તરફથી, ચુનીલાલ પુનાલાલ તરફથી રૂ. ૧૫૦૦, અમીચંદ પનાલાલ તરફથી રૂ. ૧૦૦ તથા રૂ. ૧૦૦૦ આજીસાહેબના ભાઈ નાનકચંદ પુરચંદ તરફથી એ પ્રમાણે રૂ. ૩૩૫૦૦ ની સખાવત કર્યાનું જાહેર થયું છે. એ સખાવતને શું પ્રકાર થશે તે હવે પછી જણાવવામાં આવશે. તથા ખાઈ કેશરભાઈ તે બાપુસાહેબની પુત્રોના તરફથી તેમની પુત્રીના સ્મરણાર્થે રૂ. ૨૦૦૦ એવી સરતે આપવાનું જાહેર થયું છે કે તેના વ્યાજમાંથી સ્કોલરશિપ આપવી. Ăાલરશિપ, ઉપરના ગરીબ વિદ્યાર્થીઓને આવા સબધી સરત થાય તેા ઉત્તમ થાય. આ હાઇસ્કૂલમાં ગરીબ તથા મધ્યમ વર્ગના છોકરાઆજ આવવાના વિશેષ સંભવ છે તેાપણુ એવુ જોવામાં આવ્યું છે કે કેાઈ કાઇ વખતે શ્રીમાના ઉપલી પદવીએ ાવતાં તેમને સ્કોલરશિપ મળેકે, તા તેથી કંઈ તેને ખાસ ઉત્તેજનની જરૂર ન હાવા છતાં ભર્યાંમાં ભરાય છે, જ્યારે બીચારા ગરીબ વિદ્યાર્થીને ઉત્તેજનની જરૂર હોયછે તે રહી જાયછે. સ્કોલરશિપની આ બાબત વિષે અમારા કઈ પ્રતું નથી, પણ માત્ર વિચારવાજેવી સૂચના છે. બુકી રૂ. ૩૭૫૦૦ જે કામમાં અહુજ જરૂર હોય તેમાં વાવરવાનું ધ્યાનમાં રાખવા ટસ્ટીઓને વિન ંતિ છે.. ભરતીમાં ભરતી નિહ કરતાં જ્યાં ખરી જરૂર હોય ત્યાંજ—હાઇસ્કૂલ અથવા દવાખાનાની કાઇ ઉપયોગી બાબતમાં—ખરચવા સૂચના છે. આપણા શાસ્ત્રમાં દાનવિષે એવું કહેલું સાંભળ્યું છે કે સીદાંતા ક્ષેત્રમાંજ દાન કરવું અને તે પછી Prior
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy