SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ] : આપણું ઉન્નતિ કેમ થાય?, સોલીસીટ, બેરીટશે, જડ અને ધારાસભાના સભાસદ ભાગ્યેજ જૈન કેમમાંથી એકાદ મળી આવે છે. - પાટણ ખંભાત વગેરે જગાએ, ઘણું કારીગરે ઉત્તેજન વિના પિતાની શક્તિ ખીલવી શકતા નથી. તેવા કારીગરોની કારીગીરીને લાભ જૈન કેમે પિસાની મદદ કરી શા માટે ન લે જોઈએ. . • - બંધુઓ હવે જૈન કોમની ઉન્નતિ થોડા વખતમાં કેમ થાય અને ઉપરની હાજતે કેમ પુરી પડે તેવીશે લખવાની રજા લઉં છું. આપણી મહાન કેન્ફરન્સ જે જન ધર્મ અને જન કેમની ઉન્નતિ માટે સતત પ્રયાસ કરે છે તેણે કેવી રીતે કામ લેવું જોઈએ તેને વિચાર કરવાની આવશ્યકતા છે. કેટલાક બંધુઓ કહે છે કે અમુક કામ કેન્ફરન્સ કરશે. આપણે કરવાની જરૂર નથી. આ પ્રમાણે કેન્ફરન્સને પિતાથી એક ઈલાયદુ મંડળ અજ્ઞાનતાથી સમજે છે. અને જ્યાં સુધી એ અજ્ઞાનતા દુર થઈ કોન્ફરન્સને અર્થે પુરેપુરે સમજાય નહી ત્યાં સુધી જનેની ઉન્નતિ ત્વરાથી થાય નહીં તે ચેકસ ધ્યાનમાં રાખવું જોઈએ. , કોન્ફરન્સ એ પણ સંઘનું જ નામ છે. ગુજરાતીમાં આપણે સમુદાયને સંઘ કહીએ છીએ તેને અંગ્રેજીમાં કેન્ફરન્સ કહે છે. કોન્ફરન્સ એટલે જુદા જુદા સંઘ તરફથી ચુંટાઈ આવેલા પ્રતિનીધિઓનું એક મહા મંડળ છે. તેમાં દરેક માણસને સમાવેશ થઈ જાય છે. તે પછી અમુક કામ કેન્ફરન્સ કરશે, એમ શા માટે કહેવું જોઈએ. - હું કેન્ફરન્સ છું અને કેન્ફરન્સમારી જ બનેલી છે માટે મારે તે સિાના પહેલાં તેની ઉન્નતિના કામમાં મદદ કરવી જોઈએ. પસાદારોએ ધનથી, વિદ્વાનોએ વિદ્યાથી તેમજ પૈસા અને વિદ્યાના સાધન રહિત હોય તેમણે અંગબળથી મદદ કરવી જોઈએ. જેમનામાં ત્રણ પ્રકારની શક્તિ હોય તેમણે ત્રણે પ્રકારની મદદ કરવી જોઈએ, એમ યથાશક્તિ મદદ કરવામાં આવે તે જૈન કેમની ઉન્નતિ કેમ જલદી ન થાય? • માટે કોનફરન્સને અર્થ સમજાવવા, મોટા શહેરોથી માંડીને નાનામાં નાના ગામડામાં ઉપદેશક મોકલવાની જરૂર છે. જ્યાં સુધી એવા ઉપદેશકે મળે નહી ત્યાં સુધી ધારેલું કાર્ય પુરૂં પડે નહીં. માટે પ્રથમ ઉપદેશકવર્ગ તૈયાર કરવાની જરૂર છે. આપણુ મહાન મુનિરાજે પ્રયાસ કરે છે. પણ તેઓ સંસારથી વિરકત હોવાથી, કેટલીક બાબતે આરંભ સમારંભની હોવાથી તે ઉપર તેમનાથી ઉપદેશ થઈ શકે નહીં. માટે જૈનોમાંથી ઉપદેશકવર્ગ તૈયાર કરવાની જરૂર છે. કે જેમ મુંબઈમાં પંડિત લાલન જૈન વકતૃત્વ કળા પ્રસારક સભામાં ઉપદેશકે તૈયાર કરવાની કોશીશ કરે છે, તેવી રીતે દરેક કેળવાયેલા અને જન કેમ અને જૈન ધર્મની ઉન્નતિમાં પિતાનું હિત સમાયેલું છે તેવું માનનારા અને તે પ્રમાણે વર્તન કરનારા જૈનેએ, પોતે જે સ્થળમાં રહેતા હોય તે સ્થળના જૈન બંધુઓને એક નાની
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy