________________
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
પાયધૂની-મુંબઈ નં. ૩
શ્રી સુકૃત ભંડાર ફંડ.
-
-
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની ઉપરોક્ત લેજના તેના આશયે અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરઠારા અગર હેંડબીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યોજના જૈન લિ.ઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ ગેજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઇપણ જતા હોય તો તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતનો અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ ? જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણું સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની ? વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીધારા સુધારી અગણિત પુણ ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેટી વાત નથી. અઠવાડીયે
એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય તો તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર ભેજના છે. “ ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે ફેડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એનો લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કેમ આવી રીતે નાની રકમમાંથી મેટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણો છો. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુઝને વિશેષ કહેવાની જરૂર ન જ હોય.
સેવ, મકનજી જુઠાભાઈ મહેતા
મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, 'ઓ, રે. જ. સેકેટરીઓ, શ્રી. જે. 9. કૉન્ફરન્સ.