SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ પ્રભુ સાથે એ મારા બંધુઓ વિહાર કરતા કરતા જ્યારે નજીકમાં પધારશે, ત્યારે મારા દરેક બંધુઓને પોતાનું રાજ્ય પાછું સ્વીકારી લેવા વિનંતિ કરીશ અને મારા અંતઃકરણને નિઃશલ્ય બનાવીશ. આ પ્રમાણે ભરતચક્રીએ ચિત્તમાં નિર્ણય કર્યો. પ્રભુ પાસે ભરતજીનું આગમન અને બંધુઓને વિજ્ઞપ્તિ પ્રારંભમાં જણાવ્યા મુજબ અઠ્ઠાણુ બંધુઓ સાથે ભગવાન ઋષભદેવ પ્રભુ અષ્ટાપદજી ઉપર પધાર્યાંના ભરતને ત્યાં સમાચાર મળ્યા એટલે તુરત ભગતને વંદન કરવા તેમ જ સર્વ બંધુઓને તેમનાં રાજ્યો પાછાં સ્વીકારી લેવાની વિનંતિ કરવા ભરતમહારાજા પ્રભુ પાસે પહોંચ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવાપૂર્વક વંદન નમસ્કાર કરીને સાધુ અવસ્થામાં પોતાના અણુ બધ વોને પણ વંદન નમસ્કાર કરવા સાથે વિનંતિ કરી કે “ તમો દરેક બંધુઓનાં રાજ્યો પુનઃ સ્વીકારી લેવાની મારી નમ્ર વિનંતિ છે. મેં તો સર્વને આના શિરોમાન્ય કરવાનું અથવા તેમ કચ્છા ન હોય તો યુદ્ધ કરવા માટે તૈયાર થવાનું જે કહેણ મોકલેલું, તે મારાં કહેણથી ભયગ્રસ્ત બનીને સંયમ લેવાનું કાંઈ પ્રયોજન નથી. ભગવાનનો જેવો હું પુત્ર છું તેવા તમો પણ પુત્રો છો અને પ્રભુએ પોતેજ દીશા મણ કરવા પહેલાં તોને જુદા જુદા દેશોનું આધિપત્ય સમર્પણ કરેલું છે. તમારું મેં આધિપત્ય છીનવી લેવાનો મારો કોઈ અધિકાર નથી. ચારત્નની ઉત્પત્તિ થયા બાદ ચક્રવર્તી તરીકેના અધિકાર અંગે તે અવસરે કહેણ મોકલતાં મોકલાઈ ગયું પણ હવે એ બાબત મનમાં રાખવાની કશી જરૂર નથી. મારા હૈયામાં બેંકને ભર્યો છે અને એ બંધુસ્નેહના કારણે જ ખરા અંતઃકરણથી રાજ્યને પાછું મળુ કરવાની તનો સર્વ બંધુઓને વિનંતિ કરું હું, સંયમની આરાધના એ જ આત્મકલ્યાનો સાચો રાહ છે. અંતે એ સંયમની આરાધના સિવાય કોઈ પણ આત્માનો ઉદ્દાર નથી એ હું અવશ્ય માનું છું. તમો મારા બંધુઓએ સાચા વૈરાગ્યરંગથી રંગાઈ ને સંયમનો પવિત્ર પથ સ્વીકારેલ હોય તો તો તે માટે ત્રિરયોગે મારી અનુમોદના છે. પરંતુ મારા થી ત્રાસીને તે સંયમ માર્ગ ગ્રહણ કરેલ હોય તો મારા તરફનો હવે પછી બવોરા ભય રાખવાની તમારે જરૂર નથી. તમારાં રાજ્યો તો પુનઃ સ્વીકારો અને નિર્ભયપણે પ્રજાનું પાલન કરો, એ મારી વિનપ્તિ છે, " ૧૦ ઑગસ્ટ ૧૯૫૯ અઠ્ઠાણુ બંધુઓએ ભરતજીની વિનંતિનો આપેલ જવાબ ભરતમહારાજાની વિનંતિ શ્રવણુ કરીને અાણુ બાંધવોએ તેમને જવાબ આપ્યો કે “ હું ભરત! તમારા ભયથી ત્રાસીને અમે આ પવિત્ર માર્ગ સ્વીકારેલ નથી. પરંતુ સાચા વૈરાગ્ય સાથે અંતરના ઉત્સાહથી અમે આ ઉત્તમ માર્ગે સ્વીકારેલ છે. તમોએ દૂત મારત આજ્ઞા સ્વીકારવાનું અથવા કુદ્ધની ઊપારી કરવાનું કરેલું અમારા ઉપર મોકલાવ્યા બાદ અમો સર્વે બંધુઓએ પ્રભુ પાસે જઈને એ બાબતમાં માર્ગદર્શન મેળવવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય મુજબ અમો ભગવાન પાસે આવ્યા. ભગવાન તો સર્વજ્ઞ હોવાથી અમે શા માટે તેમની પાસે આવ્યા છીએ એ બાબત જાણતા હતા. છતાં શ્યમોએ પ્રભુને પ્રદક્ષિણા, વંદન, પ્રખુભ વગેરે કરી તમારા કહેણનો અમલ કરવો કે શું કરવું તે અંગે માર્ગદર્શન આપવાની વિનંતિ કરી. તે વસરે સ્ગાનિધાન વિશ્વબંધુ આપણા એ ભગવાને અમોને સંસારની અસારતા અને જીવનનું ક્ષણભંગુરપણું વગેરે અમૃતથી પણ અધિક મીકી વાણી વડે સમાવ્યું. સાથે સાથે જીવનને ધન્ય બનાવવા-સંઘમમાર્ગનો સ્વીકાર કરવાનો ઉપદેશ આપ્યો. ભરત∞! પ્રભુના એ મંગલમય ઉપ દેશનું શ્રવણ થતાં અમારા દિલમાંથી રાજ્યનો મોહ ઊતરી ગયો. આત્મયાણનો ભાવોલ્લાસ પ્રગટ થયો અને સાચા વૈરાગ્યરંગથી રંગાઈ તે જ અવસરે અમો હાણ ભાઈઓએ આ બાપ” ઉપર જ સંયમના પવિત્ર માર્ગનો સ્વીકાર કર્યો, " “હું ભરત બંધુ! ભલે તમો ગમે તે આરામથી અમોને પુનઃ રાજ્ય સ્વીકારવાની વિનંતિ કરવા આવ્યા હો પણ અમોને હવે રાજ્યનો, સ્ત્રી-પુત્રકૂટુંબપરિવારનો યુકિચિત પણ મોઢે નથી. ખેંવા અથવા એથી પણું અધિક રાન્ડીંગનાં સાધનો તો આત્માને વચક્રમાં ભરતાં અનેકવાર મળ્યાં હતાં આ આત્માને તૃપ્તિ ન થઈ. એ રાજ્યવૈભવ વગેરેની મમતાએ જ . આમને અનંતકાલપર્યંત સંસારમાં ભ્રિમણ કરાવ્યું. અમારો પરમ ભાગ્યોદય જાગ્યો કે તમારું કહેણ આવ્યા બાદ મોએ સ્વતંત્ર નિર્ણય ન કરતાં પ્રભુ પાસે આવી તેઓશ્રીના માર્ગદર્શન પ્રમાણે અમલ કરવાનો નિર્ણય કર્યો—જો અમોએ સ્વતંત્ર નિર્ણય કર્યો હોત તો આજે અમોને સંસારસાગરનો પાર કરનાર આ સંયમરૂપી જે ઉત્તમ પ્રવણુ મળ્યું છે તે ન મળત. હું બંધો ! તો સુખેથી
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy