________________
પ્રાચીન જૈન પરિષદ
ઉલ્લેખ સ્પષ્ટ કર્યાં છે; અને આ ગ્રંથના ઉપયોગી ભાગાના સાર ડાકટર ભાંડારકરે ઇ. સ. ૧૮૮૩-૮૪ ના સંસ્કૃત હસ્તલેખાની શોધ વિષેના રિપોર્ટમાં અંગ્રેજીમાં ઉતાર્યો છે તેમાં આ સબંધે પૃ. ૧૩૪ મે નીચે પ્રમાણે ઉપલી બીનાને બરાબર મળતું વચન છેઃ—
was a
On one occasion there dreadful famine of 12 years in the land, The Siddhantas were forgotten for want of revision, for which the search after food left no time. At the end of the period the Sadhus assembled in Pataliputra and each one repeating what he remembered they succeeded in recovering the eleven Angas but the Drisltivada was forgotten. So they sent Sthula bhadra and others to Nepal to learn it from Bhadrabahu, Sthulabhadra alone persevered in studying it steadily and learnt 8 Purvas in as many years. After he had learnt :ten Purvas with the exception of 2 Vasts,
he came back with Bhadrabahu to Pataliputra.
સ. ૧૪૨૦ માં આચાર્ય પદ પામેલા યાનંદ સૂરિ પોતાના‘સ્થૂલભદ્ર ચરિત્ર '+ માં ઉપયુક્ત હકીકત જણાવે છે કેઃ—
સમિશાલ તથામૂલૢ વુડાજો દારાદિક नग्मुर्मुमक्षषस्तेन तटे बाद्धेरितस्ततः ॥ ५८६ ॥ तत्रातिक्रम्य दुष्कालं करालं ते महर्षयः । सुभिक्षसंभवे भूयः पाटलीपुत्रमाययुः ॥ ५८७ ॥ गुणनाभावतस्तेषां सिद्धान्तो विस्मृतस्तदा । ચાને સ્વામિનિ નું ન ચેય જ્ઞાયતે ચતઃ૧૮૮
+ પ્રકાશક દેવચંદ લાલભાઈ પુસ્તકાષ્ઠાર ફ્રેંડ મૂલ્ય
માત્ર એ આના. હવે મળતું નથી.
૧૧૯
માર્માર્ં વાયËજારચાંની ચત્તિને। यत्नतो मेलिता यस्मादनिर्विण्णं श्रियः ॥ ५८९ ॥
જૈન ધર્મીપ્રસારક સભા (ભાવનગર) એ પ્રસિદ્ધ કરેલ ચરિતાવળીમાં આપેલા સ્થૂલભદ્ર ચરિત્ર કે જે ઉપરના સંસ્કૃત ગ્રંથનું ભાષાંતર છે તેમાં ઉપરના શ્લોકાનુ` ભાષાંતર આ પ્રમાણે આપ્યું છેઃ
આ સમયે ખાર વરસના વિષમ દુકાલ પડયા હતા તેથી સર્વે સાધુએ સમુદ્રના કાંઠા તરફ વિહાર કરી ગયા. તેઓ સુભિક્ષ થયા પછી પાટિલપુત્ર નગરને વિષે આવ્યા. ભણવાના અભાવથી સાધુઓ સિદ્ધાંતને વિસરી ગયા, શાસ્ત્ર, રાજા અને સ્ત્રીને વિષે સ્થિરતા હેાતી નથી. ધણા ઉદ્યમથી તે મુનિએએ અગ્યાર અંગ તા મેળવ્યા ’( પરાવર્ત્તન કરી સ†ભારી સંભારીને )
વિ. સં. ૧૫૦૯ માં શુભશીલ મુનિએ રચેલા ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ નામના ગ્રંથમાં સ્થૂલભદ્રની કથા આપેલી છે તેમાં પણ એજ વાત આવે છે. તે માટે જુએ તેનું ગુજરાતી ભાષાંતર પૃ. ૭૮:
“ હવે એકદા ખાર વર્ષ સુધી દુકાળ પડયા, તે વખતે સાધુઓના સધ સમુદ્રવારે શ્રી ગુરૂની પાસે આવ્યા. આવે વિષમ સમય થવાથી સાધુએ ક્ષુધાથી પીડાતા હોવાથી ભણતા ગણતા બંધ થયા, તેથી સૌ સિદ્ધાંતા વિસરી ગયા. તે ઉપરથી પાટિલપુત્ર નગરમાં સધ મળ્યા. ત્યાં જેને જેને જે જે સૂત્ર આવડતાં હતાં, તે તે એકઠાં કરીને અગીઆર અંગ પૂર્ણ કા ત્યાર પછી શ્રી સંધે ખારમા દૃષ્ટિવાદ અંગ માટે એ
સાધુને શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા. ’
આ રીતે આપણે સં. ૧૧૬૬ થી સ. ૧૫૦૯ સુધીમાં થયેલા પ્રસિદ્ધ ગ્રંથકારા હેમચંદ્રાચાર્યથી માંડીને શુભશીલ મુનિ જે જણાવે છે તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે મગધના પાટનગર પાટિલપુત્રમાં પ્રથમ જૈન પરિષદ્ (સંધ) મળી હતી. આથી પણ પ્રાચીન પ્રમાણુ આની સખળતા માટે જોઈતું હાય તે। વિક્રમં સંવત્ ૫૮૫ માં સ્વર્ગસ્થ થયેલા શ્રીમાન્ હરિભદ્રસૂરિના પ્રાકૃત ભાષાના ઉપદેશપદ નામના ગ્રંથ છે. તેમાં ગાથામાં જણાવેલું છે કેઃ—