________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૨
૪.
૫.
૬.
શિક્ષાવિજ્ઞાનનિધિ પાણિનિનો પ્રાદુર્ભાવ થયો છે. તે પૂછે છે કે હું શું પ્રિય કરું ? પાણિનિ પ્રત્યુત્તર આપે છે તે ભરતવાકય સૌ સાથે મળીને ગાય છે
૭.
૮.
નાટકની ભારતીય કાવ્યશાસ્ત્રીય વિભાવના મુજબનું આ ‘નાટક' નથી. આમાં પંચસંધિસમન્વય, વિલાસાદિ ગુણ, સુખદુઃખ સમુદ્ભવ, નાના રસ નિરંતરતા, અંનિબંધન, રસના સંગાંગીભાવ અને અદ્દભુતનિર્વહણ નથી. પરંતુ નાટક ‘દશ્યતા’ ને કારણે જ ‘રૂપ' કહેવાતું હોય,પ તો આ નાટકમાં દશ્યતા-અનાકર્ષક નહિ તેવી દશ્યતા છે. પાણિનિ અને તેનાથી આરંભાયેલી અદ્યાપિપર્યન્ત પ્રવણમા વ્યાકરણપરંપરાનો આકર્ષક દશ્યાત્મક ઇતિહાસ છે. આ રીતે આનું મૂલ્ય સહેજ પણ ઓછું નથી. આ પ્રકારની આ ભેવ વિરલ નાટ્યરચના છે. સ્થળ અને કાળના ભૌતિક સીમાડાઓને ઓગાળી નાખીને ઐતિહાસિક પાત્રોને એક સાથે મૂકી આપવાની કથાત્મક ચમત્કૃતિ આ સિવાય અન્યત્ર અલભ્ય છે. લાહૌરમાં છઠ્ઠી સદીનો ચીન દેશીય ઈન્સિંગ અને વીશમી સદીના ફ્રાંસના રેઇનુ ને એમણે એકસાથે મૂકી આપ્યા છે. દશ્યોમાં કાર્યાન્વિતિ નથી; એમ ભૌતિક દ્રષ્ટિએ કહી શકાય. પરંતુ સૂક્ષ્મદા, આ નવેય દશ્યો પાણિનિપ્રશસ્તિના અવ્યક્ત સૂત્રથી પરસ્પરનિબદ્ધ છે. ઇતિવૃત્તની ઈતિહાસ સંમતતા પડકારી શકાય તેમ નથી, જેમકે ઈત્સિંગે પ્રવાસનોંધમાં જણાવ્યું છે કે એમણે શલાતુરમાં પાણિનિપ્રતિમા જોઈ હતી. આર્થર એ. મેકડૅનલે ખરેખર કહ્યું હતું (India's past, p. 136) કે આટલું પરિપૂર્ણ અને વિકસિત વ્યાકરણ વિશ્વના કોઈપણ દેશમાં મળે તેમ નથી. થોડો તકાવત એ પડે છે, કે પ. ગોપાલ શાસ્ત્રીએ મહાભાષ્યના આહિસ્તક ૩૬ કાચા છે; જ્યારે ખરેખર ૮પ છે. પુરુષોત્તમ દેવે ‘ત્રિકઠોળમાં “પાણિનિનાં નામો ગણાવ્યાં છે. તેમાં ઈ. ૧૧૭૨) દાક્ષીપુત્ર, શાલિક અને શાલાતુરીયન સમાવેશ છે. આ રીતે આ સંસ્કૃત નાટક એક અતિવિશિષ્ટ નાટ્યરચના છે.
૯.
निगमसदृशमेतत्पुण्यदं पाणिनीयं प्रियतमजनवृन्दं यत्नतः पाठनीयम् । फलमिह पदबोचे लाघवं साधनीयं द्विजकुलमपि मेघावर्धनं ज्ञापनीयम् ॥
૧૦.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આર. પી. મહેતા
साहित्यदर्पणः ૬/૭-૧, ચૌલમ્બા વિદ્યાભવન, વારાણસી, ૧૧૮૮,
दशरूपकम् १/७ પૌરવમ્યા વિદ્યાપવન, વારાળી, ૧૮૪.
अग्रवाल (डा.) वासुदेव शरण पाणिनि परिचय, मध्यप्रदेश शासन साहित्य परिषद्, भोपाल, १९६५: પ્રથમવૃત્તિ; પૃ. ૧-.
-
पंत (पं.) मोहन वल्लभ પ્રથમ સંસ્કરણ, પૃ. ૨૪.
શુક્લ (ડૉ.) જયદેવભાઈ મો. - પાણિનીય સંસ્કૃત વ્યાકરણ પરંપરાનો ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ; ૧૯૭૫; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૮૦
वर्मा सत्यकाम संस्कृत व्याकरणका उद्भव और विकास, मोतीलाल बनारसी दास, दिल्ली; १९७१ प्रथम સંસ્કરણ, પૃ. ૨૦.
Winternitz M. - History of Indian Literature, Vol. III; Motilal Banarsidass, Delhi; 1985; Reprint i p. 472.
For Private and Personal Use Only
संस्कृत व्याकरण का इतिहास, रामनारायण लाल बेनी माधव, इलाहाबाद, १९५३,